જુનાગઢ કૃષિ યુનિવર્સિટી દ્વારા 20મો પદવીદાન સમારોહ યોજાયો, રાજ્યપાલના હસ્તે 588 વિદ્યાર્થીઓને પદવી એનાયત

દિક્ષાંત સમારંભમાં કૃષિ, બાગાયત, કૃષિ ઇજનેરી અને ટેકનોલોજી તથા એગ્રી-બિઝનેસ મેનેજમેન્ટ વિદ્યાશાખાના સ્નાતક તેમજ અનુસ્નાતક કક્ષાના કુલ 588 વિદ્યાર્થીઓને રાજ્યપાલના વરદહસ્તે પદવીઓ એનાયત કરવામાં આવી

New Update
  • જુનાગઢ કૃષિ યુનિવર્સિટી દ્વારા કરવામાં આવ્યું સુંદર આયોજન

  • 20માં પદવીદાન સમારંભનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું

  • ગુજરાતના રાજ્યપાલ આચાર્ય દેવવ્રત રહ્યા વિશેષ ઉપસ્થિત

  • 588 વિદ્યાર્થીઓને રાજ્યપાલના હસ્તે પદવીઓ એનાયત કરાય

  • શ્રેષ્ઠ વિદ્યાર્થીઓને ગોલ્ડ-સિલ્વર મેડલરોકડ પુરસ્કાર એનાયત

ગુજરાતના રાજ્યપાલ આચાર્ય દેવવ્રતની અધ્યક્ષતામાં જુનાગઢ કૃષિ યુનિવર્સિટીના 20માં પદવીદાન સમારંભનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું. જુનાગઢના સરદાર પટેલ સભાગૃહ ખાતે ગુજરાતના રાજ્યપાલ આચાર્ય દેવવ્રતની અધ્યક્ષતામાં જુનાગઢ કૃષિ યુનિવર્સિટીના 20માં પદવીદાન સમારંભનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું.

આ દિક્ષાંત સમારંભમાં કૃષિબાગાયતકૃષિ ઇજનેરી અને ટેકનોલોજી તથા એગ્રી-બિઝનેસ મેનેજમેન્ટ વિદ્યાશાખાના સ્નાતક તેમજ અનુસ્નાતક કક્ષાના કુલ 588 વિદ્યાર્થીઓને રાજ્યપાલના વરદહસ્તે પદવીઓ એનાયત કરવામાં આવી હતી. આ ઉપરાંત શૈક્ષણિક ક્ષેત્રે ઉચ્ચ ગુણાંક મેળવનાર શ્રેષ્ઠ વિદ્યાર્થીઓને ગોલ્ડ મેડલસિલ્વર મેડલ તથા રોકડ પુરસ્કાર પણ એનાયત કરવામાં આવ્યા હતા.

જેમાં કૃષિમંત્રી રાઘવજી પટેલ દ્વારા વિડિયોના માધ્યમથી પદવી મેળવનાર તમામ વિદ્યાર્થીને શુભેચ્છા પાઠવવામાં આવી હતી. આ પ્રસંગે જુનાગઢ કૃષિ વિશ્વવિદ્યાલયના કુલાધિપતિકુલસચિવઅધિકારીઓપ્રાધ્યાપકો સહિત મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા.

Read the Next Article

“વિશ્વ વસ્તી દિન” : ભરૂચના આમોદમાં આરોગ્ય કર્મચારીઓએ રેલી યોજી લોકોમાં જાગૃતિ લાવવાનો પ્રયાસ કર્યો...

ભરૂચ જિલ્લાના આમોદ ખાતે આરોગ્ય કર્મચારીઓ દ્વારા વિશ્વ વસ્તી દિવસ નિમિત્તે વિશાળ રેલી યોજી લોકોમાં જાગૃતિ લાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો.

New Update

આજરોજ ઠેર ઠેર વિશ્વ વસ્તી દિવસની ઉજવણી કરાય

ભરૂચ જિલ્લા પંચાયત આરોગ્ય શાખા દ્વારા આયોજન

આમોદ તાલુકા આરોગ્ય કચેરી દ્વારા કાર્યક્રમ યોજાયો

આરોગ્ય કર્મચારીઓ દ્વારા સૂત્રોચાર સાથે રેલી યોજાય

સૂત્રો પોકારી લોકોમાં જાગૃતિ લાવવાનો પ્રયાસ કર્યો

ભરૂચ જિલ્લાના આમોદ ખાતે આરોગ્ય કર્મચારીઓ દ્વારા વિશ્વ વસ્તી દિવસ નિમિત્તે વિશાળ રેલી યોજી લોકોમાં જાગૃતિ લાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો.

ભરૂચ જિલ્લા પંચાયત આરોગ્ય શાખા-ભરૂચના માર્ગદર્શન હેઠળ આમોદ તાલુકા આરોગ્ય કચેરી દ્વારા વિશ્વ વસ્તી દિવસની ઉજવણી કરવામાં આવી હતી. જેમાં આમોદ તાલુકા આરોગ્ય કચેરીથી મામલતદાર કચેરી સુધી આરોગ્ય કર્મચારીઓએ હાથમાં વિવિધ પ્લેકાર્ડ લખેલા સૂત્રોચાર સાથે વિશાળ રેલી યોજી હતી. જેમાં આમોદ તાલુકાના સમનીઆછોદ તેમજ માતર પ્રાથમિક આરોગ્ય કેન્દ્રના તમામ આરોગ્ય કર્મચારીઓ હાજર રહ્યા હતા. આ સાથે જ આમોદ તાલુકા આરોગ્ય અધિકારી ડો. કંચનકુમાર સિંગ પણ રેલીમાં જોડાયા હતા. રેલી દરમિયાન આરોગ્ય કર્મચારીઓએ હાથમાં વિવિધ સૂત્રો લખેલા પ્લેકાર્ડ બતાવી લોકોને જાગૃત કર્યા  હતા. તેમજ'નાનું કુટુંબસુખી કુટુંબ', 'માઁ બનવાની એ જ ઉંમરજ્યારે શરીર અને મન હોય તૈયારજેવા સૂત્રો પોકારી લોકોમાં જાગૃતિ લાવવાનો પ્રયાસ કર્યો હતો. વિશ્વ વસ્તી દિવસ નિમિત્તે આમોદ તાલુકા આરોગ્ય અધિકારી કંચનકુમાર સિંગ દ્વારા વસ્તી નિયંત્રણ કરવા લોકોને અપીલ કરવામાં આવી હતી.