જુનાગઢ : ભેંસાણમાં કોંગ્રેસ દ્વારા વિજય વિશ્વાસ સંમેલન યોજાયું, અમદાવાદ પ્લેન દુર્ઘટનામાં મૃતકોને શ્રદ્ધાંજલી અર્પણ કરાય...

ભેંસાણમાં કોંગ્રેસ દ્વારા ઉમેદવાર નીતિન રાણપરિયાના સમર્થનમાં વિજય વિશ્વાસ સંમેલન યોજાયું હતું. વિજય વિશ્વાસ સંમેલનના પ્રારંભે અમદાવાદ પ્લેન દુર્ઘટનમાં મોતને ભેટેલા તમામ લોકોને શ્રદ્ધાંજલિ આપવામાં આવી

New Update
  • વિસાવદર અને ભેંસાણ વિધાનસભા પેટા ચૂંટણી યોજાશે

  • ભેંસાણમાં કોંગ્રેસ દ્વારા વિજય વિશ્વાસ સંમેલનનું આયોજન

  • અમદાવાદ પ્લેન દુર્ઘટનામાં મૃતકોને શ્રદ્ધાંજલી અર્પણ કરાય

  • કોંગ્રેસ પ્રભારી મુકુલ વાસ્નિક સહિતના આગેવાનોની હાજરી

  • તાલુકાનો વિકાસ થાય તેમ મતદાન કરવા લોકોને અપીલ 

જુનાગઢ જિલ્લાના ભેંસાણમાં કોંગ્રેસ દ્વારા વિજય વિશ્વાસ સંમેલન યોજાયું હતું. જેમાં અમદાવાદ પ્લેન દુર્ઘટનામાં મોતને ભેટેલા લોકોને શ્રદ્ધાંજલી અર્પણ કરવામાં આવી હતી.

જુનાગઢ જિલ્લાના વિસાવદર અને ભેંસાણ તાલુકાની વિધાનસભા પેટા ચૂંટણીને આડે હવે ગણતરીના દિવસો બાકી રહ્યા છેત્યારે ઉમેદવારો આખરી ચરણમાં પણ મતદારોને રીઝવવા ચૂંટણી પ્રચારમાં વ્યસ્ત બન્યા છે. ભેંસાણમાં કોંગ્રેસ દ્વારા ઉમેદવાર નીતિન રાણપરિયાના સમર્થનમાં વિજય વિશ્વાસ સંમેલન યોજાયું હતું. વિજય વિશ્વાસ સંમેલનના પ્રારંભે અમદાવાદ પ્લેન દુર્ઘટનમાં મોતને ભેટેલા તમામ લોકોને શ્રદ્ધાંજલિ અર્પણ કરવામાં આવી હતી.

આ સાથે જ કોંગ્રેસના આગેવાનોએ ઉમેદવારને જંગી લીડથી જીતાડી તાલુકાનો વિકાસ થાય તેમ મતદાન કરવા લોકોને અપીલ કરી હતી. આ કાર્યકમમાં ગુજરાત કોંગ્રેસના પ્રભારી મુકુલ વાસ્નિકઅમિત ચાવડાનેતા પરેશ ધાનાણીજેની ઠુમ્મરઇન્દ્રનીલ રાજ્યગુરુ સહિત કોંગ્રેસના અગ્રણીઓ અને મોટી સંખ્યામાં ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા.

Read the Next Article

ગાંધીનગર : રાજ્યપાલ આચાર્ય દેવવ્રતની ઉપસ્થિતિમાં રાજભવન ખાતે 11મા આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણી કરાય..

રાજભવન પરિવારના તમામ અધિકારીઓ અને કર્મચારીઓએ ઉત્સાહભેર સમૂહ યોગાભ્યાસ કર્યો યોગાભ્યાસ બાદ રાજ્યપાલ આચાર્ય દેવવ્રતએ સૌને સ્વસ્થ જીવનશૈલી અપનાવવાના શપથ પણ લેવડાવ્યા

New Update
  • રાજભવન ખાતે 11મા આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણી

  • રાજ્યપાલ આચાર્ય દેવવ્રતની ઉપસ્થિતિમાં ઉજવણી કરાય

  • રાજભવન પરિવારના અધિકારીઓ-કર્મચારીઓની ઉપસ્થિતી

  • યોગ દિવસ નિમિત્તે ઉપસ્થિતોએ સમૂહમાં યોગાભ્યાસ કર્યો

  • યોગને જીવનનો નિયમિત ભાગ બનાવો : આચાર્ય દેવવ્રત 

ગાંધીનગર રાજભવન ખાતે રાજ્યપાલ આચાર્ય દેવવ્રતની પ્રેરક ઉપસ્થિતિમાં 11મા આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી. 11મા આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ગાંધીનગર રાજભવન ખાતે રાજ્યપાલ આચાર્ય દેવવ્રતની પ્રેરક ઉપસ્થિતિમાં ઉજવણી કરવામાં આવી હતી. જેમાં રાજભવન પરિવારના તમામ અધિકારીઓ અને કર્મચારીઓએ ઉત્સાહભેર સમૂહ યોગાભ્યાસ કર્યો હતો.

યોગાભ્યાસ બાદ રાજ્યપાલ આચાર્ય દેવવ્રતએ સૌને સ્વસ્થ જીવનશૈલી અપનાવવાના શપથ પણ લેવડાવ્યા હતા. આ પ્રસંગે રાજ્યપાલ આચાર્ય દેવવ્રતએ જણાવ્યું હતું કેયોગને જીવનનો નિયમિત ભાગ બનાવો. વધુમાં તેમણે કહ્યું કેયોગથી જીવનમાં આરોગ્ય અને સુખ તો આવે જ છેસાથોસાથ આધ્યાત્મિક ઉન્નતિનો માર્ગ પણ પ્રશસ્ત થાય છે.