-
મહિલાની જટીલ સર્જરીનું સફળ નિદાન
-
NRI મહિલાને હતી ગંભીર પેટ સંબંધિત સમસ્યા
-
લંડનમાં પણ ડોક્ટરોએ સર્જરીને ગણાવી હતી જોખમી
-
સ્થાનિક ડોક્ટરે અશક્યને શક્ય કરી બતાવ્યું
-
મહિલાનું લેપ્રોસ્કોપીથી ઓપરેશન કરીને કરાયું નિદાન
જુનાગઢમાં ડોકટર દ્વારા NRI મહિલાના અસહ્ય દર્દ અને દુઃખ માંથી જટીલ સર્જરી કરીને મુક્તિ આપી હતી,જે ઓપરેશન માટે લંડનમાં તબીબોએ જોખમરૂપ ગણાવ્યું હતું તે સર્જરી સ્થાનિક ડોકટરે આધુનિક ઉપકરણોની મદદથી કરીને મહિલાને નવજીવન આપ્યું હતું.
જૂનાગઢના વતની ડેનિશભાઈ છેલ્લા 20 વર્ષથી પર સાથે લંડનમાં સ્થાયી થયા છે,ડેનિશભાઈના પત્નીને પેટ સંબંધિત જટિલ સમસ્યાથી તે પીડાય રહ્યા હતા,જેના માટે તેઓએ લંડનના હોસ્પિટલના ડોક્ટરનો સંપર્ક કરીને સારવાર માટેની ઈચ્છા વ્યક્ત કરી હતી,જોકે ત્યાંના ડોકટરે જરૂરી તબીબી પરીક્ષણ કર્યા બાદ મહિલાની સર્જરી ખૂબ જ જોખમી હોવાનું જણાવ્યું હતું.
કારણ કે મહિલાને ત્રણ વખત સીઝર કરવામાં આવ્યું હતું,ઉપરાંત ગર્ભાશયમાં ગાંઠ તેમજ ચોકલેટ સિસ્ટ હતું.મહિલાના ગર્ભાશયની અંદર અને ગર્ભાશયની આસપાસ યુરિનની થેલી,આંતરડા તે બધું ખૂબ ચોંટી ગયું હતું,તેથી સર્જરી કરવી પણ લંડન ડોક્ટરોને જોખમી લાગ્યું હતું,જ્યારે આ દંપતીએ જૂનાગઢના તબીબ ડોક્ટર કે.પી.ગઢવીનો સંપર્ક કર્યો હતો.
અને એક મહિનાના વિઝા મેળવીને તેઓ લંડનથી જુનાગઢ સારવાર માટે આવ્યા હતા.અને તેઓની સમસ્યાનું સમાધાન તેઓને મળી ગયું હતું. અને ડોક્ટર દ્વારા લેપ્રોસ્કોપી પદ્ધતિથી ઓપરેશન કરીને મહિલાની જટીલ સમસ્યાનું સુખદ નિદાન કરવામાં આવ્યું હતું,અને માત્ર ત્રણ દિવસમાં મહિલાને હોસ્પિટલમાંથી રજા આપવામાં આવતા મહિલા ખુદ ચાલીને ઘરે ગયા હતા.આ NRI દંપતીએ ઇન્ડિયન મેડિકલ સિસ્ટમના વખાણ કર્યા હતા,અને ડોક્ટરનો આભાર વ્યક્ત કર્યો હતો.