જૂનાગઢ : લંડનમાં સ્થાઈ થયેલા NRI મહિલાને જટીલ સર્જરી કરીને નવજીવન આપતા તબીબ

ઓપરેશન માટે લંડનમાં તબીબોએ જોખમરૂપ ગણાવ્યું હતું તે સર્જરી જૂનાગઢની હોસ્પિટલના સ્થાનિક ડોકટરે આધુનિક ઉપકરણોની મદદથી કરીને મહિલાને નવજીવન આપ્યું

New Update
  • મહિલાની જટીલ સર્જરીનું સફળ નિદાન

  • NRI મહિલાને હતી ગંભીર પેટ સંબંધિત સમસ્યા

  • લંડનમાં પણ ડોક્ટરોએ સર્જરીને ગણાવી હતી જોખમી

  • સ્થાનિક ડોક્ટરે અશક્યને શક્ય કરી બતાવ્યું

  • મહિલાનું લેપ્રોસ્કોપીથી ઓપરેશન કરીને કરાયું નિદાન

જુનાગઢમાં ડોકટર દ્વારાNRI મહિલાના અસહ્ય દર્દ અને દુઃખ માંથી જટીલ સર્જરી કરીને મુક્તિ આપી હતી,જે ઓપરેશન માટે લંડનમાં તબીબોએ જોખમરૂપ ગણાવ્યું હતું તે સર્જરી સ્થાનિક ડોકટરે આધુનિક ઉપકરણોની મદદથી કરીને મહિલાને નવજીવન આપ્યું હતું.

જૂનાગઢના વતની ડેનિશભાઈ છેલ્લા 20 વર્ષથી પર સાથે લંડનમાં સ્થાયી થયા છે,ડેનિશભાઈના પત્નીને પેટ સંબંધિત જટિલ સમસ્યાથી તે પીડાય રહ્યા હતા,જેના માટે તેઓએ લંડનના હોસ્પિટલના ડોક્ટરનો સંપર્ક કરીને સારવાર માટેની ઈચ્છા વ્યક્ત કરી હતી,જોકે ત્યાંના ડોકટરે જરૂરી તબીબી પરીક્ષણ કર્યા બાદ મહિલાની સર્જરી ખૂબ જ જોખમી હોવાનું જણાવ્યું હતું. 

કારણ કે મહિલાને ત્રણ વખત સીઝર કરવામાં આવ્યું હતું,ઉપરાંત  ગર્ભાશયમાં ગાંઠ તેમજ ચોકલેટ સિસ્ટ હતું.મહિલાના ગર્ભાશયની અંદર અને ગર્ભાશયની આસપાસ યુરિનની થેલી,આંતરડા તે બધું ખૂબ ચોંટી ગયું હતું,તેથી સર્જરી કરવી પણ લંડન ડોક્ટરોને જોખમી લાગ્યું હતું,જ્યારે આ દંપતીએ જૂનાગઢના તબીબ ડોક્ટર કે.પી.ગઢવીનો સંપર્ક કર્યો હતો. 

અને એક મહિનાના વિઝા મેળવીને તેઓ લંડનથી જુનાગઢ સારવાર માટે આવ્યા હતા.અને તેઓની સમસ્યાનું સમાધાન તેઓને મળી ગયું હતું. અને ડોક્ટર દ્વારા લેપ્રોસ્કોપી પદ્ધતિથી ઓપરેશન કરીને મહિલાની જટીલ સમસ્યાનું સુખદ નિદાન કરવામાં આવ્યું હતું,અને માત્ર ત્રણ દિવસમાં મહિલાને હોસ્પિટલમાંથી રજા આપવામાં આવતા મહિલા ખુદ ચાલીને ઘરે ગયા હતા.આNRI દંપતીએ ઇન્ડિયન મેડિકલ સિસ્ટમના વખાણ કર્યા હતા,અને ડોક્ટરનો આભાર વ્યક્ત કર્યો હતો.

Read the Next Article

ગીર સોમનાથ : સુત્રાપાડાના સમુદ્રકાંઠે 57.50 લાખની કિંમતનું 1150 ગ્રામ બિનવારસી ચરસ મળી આવતા ચકચાર

ગીર સોમનાથ જિલ્લાના સુત્રાપાડાના GHCL કંપની નજીકના સમુદ્ર કિનારેથી અફઘાન પ્રોડક્ટનું 1150 ગ્રામનું ચરસનું પેકેટ બિનવારસી હાલતમાં મળી આવ્યું છે.

New Update
  • અફઘાન પ્રોડક્ટ લખેલું બિનવારસી મળ્યું પેકેટ

  • 1150 ગ્રામ ચરસ મળી આવતા ચકચાર

  • જિલ્લાનો 110 કિમીનો કોસ્ટલ બેલ્ટ એલર્ટ 

  • પોલીસે 57.50 લાખનું ચરસ કર્યું  જપ્ત

  • SOG,LCB,મરીન પોલીસ તપાસમાં જોડાય

ગીર સોમનાથ જિલ્લાના સુત્રાપાડાનાGHCL કંપની નજીકના સમુદ્ર કિનારેથી અફઘાન પ્રોડક્ટનું 1150 ગ્રામનું ચરસનું પેકેટ બિનવારસી હાલતમાં મળી આવ્યું છે. આ ઘટનાની જાણ થતાંSOG, LCB અને સ્થાનિક પોલીસની ટીમ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી.અને તપાસ શરૂ કરી હતી.

ગીર સોમનાથ જિલ્લાના સુત્રાપાડાનાGHCL કંપની નજીકના દરિયા કિનારેથી અફઘાન પ્રોડક્ટનું 57.50 લાખની કિંમતનું 1150 ગ્રામ બિનવારસી ચરસ મળી આવ્યું હતું.ઘટનાને પગલે ગીર સોમનાથSOG,LCB અને સ્થાનિક પોલીસની ટીમ ઘટના સ્થળે દોડી આવી હતી.અને પોલીસે આ વિસ્તારમાં સર્ચ ઓપરેશન હાથ ધર્યું હતું. અગાઉ પણ ગીર સોમનાથના વેરાવળધામળેજ અને વડોદરા ઝાલા સહિતના દરિયાકિનારા વિસ્તારમાંથી ચરસના પેકેટો મળી આવ્યા હતા. સૌરાષ્ટ્ર-કચ્છનો દરિયાકિનારો નશીલા પદાર્થોની હેરાફેરી માટે ઉપયોગમાં લેવાતો હોવાની આશંકા છે.

પ્રાથમિક તપાસમાં એવું અનુમાન છે કે આ પેકેટ સમુદ્રમાંથી તણાઈને કિનારે આવ્યું હોઈ શકે છે. ગિર સોમનાથ સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ અને લોકલ ક્રાઈમ બ્રાન્ચના અધિકારીઓ જિલ્લા પોલીસ અધિક્ષક મનોહરસિંહ જાડેજાના માર્ગદર્શન હેઠળ સઘન તપાસ કરી રહ્યા છે.

Latest Stories