જૂનાગઢ : ખાનગી હોસ્પિટલમાં મહિલા દર્દીનું પિત્તાશયની સારવાર દરમિયાન મોત નિપજતા પરિવારે ડોક્ટર પર કર્યો બેદરકારીનો આક્ષેપ

જૂનાગઢની શ્રીજી હોસ્પિટલમાં એક ચોંકાવનારી ઘટના સામે આવી છે.પિતાશયની સારવાર માટે દાખલ થયેલી 25 વર્ષીય મહિલાનું સારવાર દરમિયાન મોત નિપજ્યું છે. મૃતક

New Update

મહિલા દર્દીના મોતથી હોબાળો

પિત્તાશયની સારવાર દરમિયાન નીપજ્યું મોત

પરિવારજનોએ ડોક્ટરની બેદરકારીનો લગાવ્યો આરોપ

ડોક્ટર મુજબ છાતીમાં દુખાવા બાદ નીપજ્યું મોત

પરિવારે હોસ્પિટલ સામે યોગ્ય કાર્યવાહીની કરી માંગ   

જૂનાગઢની શ્રીજી હોસ્પિટલમાં એક ચોંકાવનારી ઘટના સામે આવી છે.પિતાશયની સારવાર માટે દાખલ થયેલી 25 વર્ષીય મહિલાનું સારવાર દરમિયાન મોત નિપજ્યું છે.મૃતક મહિલાના પરિવારે ડોક્ટર અને સ્ટાફની બેદરકારીનો આરોપ લગાવ્યો છે.

 મૃતક મનિષા વાઘેલાને પિતાશયમાં સોજાની તકલીફ હતી.4 માર્ચના રોજ બપોરે 2 વાગ્યે તેમને ઉલટી અને પેટનો દુખાવો શરૂ થયો હતો.તેમના નાડીના ધબકારા ઓછા અને બ્લડ પ્રેશર વધારે હોવાથી તેમને તાત્કાલિક દાખલ કરવામાં આવ્યા હતા.

મૃતકના સગા આશિષ વાઘેલાના જણાવ્યા અનુસાર રાત્રે વારંવાર સ્ટાફને તપાસ માટે બોલાવવા છતાં યોગ્ય ધ્યાન આપવામાં આવ્યું ન હતું. દર્દીને છાતીમાં દુખાવો અને ઉલટીઓ થવા લાગી હતી.પરિવારના સભ્યોએ જણાવ્યું કે મનિષાને પિતાશય સિવાય અન્ય કોઈ બીમારી ન હતી.

હોસ્પિટલના ડો.કુલદીપ વાણવીએ જણાવ્યું કે સવારે 7 વાગ્યે દર્દીને છાતીનો દુખાવો થયો હતો. ફરજ પરના ડોક્ટરે સારવાર શરૂ કરી,પરંતુ હૃદય બંધ પડી જતા CPR આપવા છતાં મનિષાબેનનું મૃત્યુ થયું હતું.ડોક્ટરે જણાવ્યું કે બહુ ઓછા કેસોમાં આવી સાઈડ ઈફેક્ટ જોવા મળે છે. પરિવારજનોએ આ મામલે ફરિયાદ કરવાની તૈયારી બતાવી છે. હોસ્પિટલ સામે યોગ્ય કાર્યવાહીની માંગ કરવામાં આવી રહી છે.

 

Read the Next Article

ભરૂચ: પ્લેન દુર્ઘટનામાં મૃત્યુ પામેલ પૂર્વ CM વિજય રૂપાણીને શ્રધ્ધાસુમન અર્પણ કરાયા, શોકસભાનું કરાયુ આયોજન

ભરૂચ જિલ્લા ભાજપ દ્વારા પૂર્વ મુખ્યપ્રધાન વિજય રૂપાણી માટે શોકસભાનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં ભાજપના આગેવાનો અને કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા 

New Update
  • ભરૂચમાં કરવામાં આવ્યું આયોજન

  • ભાજપ દ્વારા શોકસભાનું આયોજન

  • સ્વ.વિજય રૂપાણીને શ્રદ્ધાસુમન અર્પણ કરાયા

  • ભાજપના આગેવાનો રહ્યા ઉપસ્થિત

  • સ્વ.વિજય રૂપાણીના કાર્યોને યાદ કરાયા

ભરૂચ જિલ્લા ભાજપ દ્વારા પૂર્વ મુખ્યપ્રધાન વિજય રૂપાણી માટે શોકસભાનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં ભાજપના આગેવાનો અને કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા 
તાજેતરમાં વિમાન દુર્ઘટનામાં અવસાન પામેલા ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણી માટે ભરૂચ શહેરમાં શોકસભાનું આયોજન કરવામાં આવ્યું હતું.
શોકસભામાં ભરૂચના સાંસદ મનસુખ વસાવા, જિલ્લાના ભાજપ પ્રમુખ પ્રકાશ મોદી, ભરૂચના ધારાસભ્ય રમેશ મિસ્ત્રી, વાગરાના ધારાસભ્ય અરુણસિંહ રણા, જંબુસરના ધારાસભ્ય ડી.કે. સ્વામી,પૂર્વ ધારાસભ્ય અને સંઘ પ્રદેશ ભાજપના પ્રભારી દુષ્યંત પટેલ, પૂર્વ પ્રમુખ મારુતિસિંહ અટોદરીયા સહિતના આગેવાનોએ ઉપસ્થિત રહી પુર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણીને ભાવભીની શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી.શોકસભામાં પક્ષના કાર્યકરો તથા વિભિન્ન સમાજના પ્રતિનિધિઓએ પણ હાજરી આપી દુઃખની લાગણી વ્યક્ત કરી હતી. કાર્યક્રમના અંતે સૌએ પ્રાર્થના કરી સ્વ.વિજય રૂપાણીના આત્માને શાંતિ મળે તે માટે પ્રાર્થના કરી હતી.