જૂનાગઢ: વન્યપ્રાણીઓની સુરક્ષા માટે ગીર સ્પીડ મોનીટરીંગ સીસ્ટમ કાર્યરત, રસ્તામાં પશુ હશે તો એલર્ટ કરશે

ગીર સ્પીડ મોનીટરીંગ સીસ્ટમ હેઠળ સેન્સર આધારીત ઓટોમેટિક નંબર પ્લેટ રેકગ્નિશન તેમજ પ્રાણીઓની શોધ માટે થર્મલ ઓપ્ટિકલ કેમેરાથી સજ્જ કરવામાં અવાી છે

New Update

જૂનાગઢ વન વિભાગનો નવતર અભિગમ

ગીર સ્પીડ મોનીટરીંગ સીસ્ટમ કાર્યરત કરાય

વન્યપ્રાણીઓની સુરક્ષા માટે પાયલટ પ્રોજેકટ શરૂ

વાહનોની ગતિમર્યાદા દર્શાવાશે

માર્ગમાં પ્રાણી હશે તો પણ એલર્ટ અપાશે

હવે સાસણ ગિર જતા તમામ વાહનો સાથે વન્ય પ્રાણીઓના અકસ્માતને અટકાવવા વનવિભાગ દ્વારા અત્યાધુનિક ટેક્નોલોજીનો ઉપયોગ કરી સ્પીડ મોનીટરીંગ સીસ્ટમ કાર્યરત કરી દેવામાં આવી છે
વનવિભાગ દ્વારા વન્યપ્રાણીઓની સુરક્ષા માટે એક પાયલટ પ્રોજેક્ટ તરીકે ગીર સ્પીડ મોનીટરીંગ સીસ્ટમ કાર્યરત કરાઇ છે. આ સીસ્ટમ હેઠળ સેન્સર આધારીત ઓટોમેટિક નંબર પ્લેટ રેકગ્નિશન તેમજ પ્રાણીઓની શોધ માટે થર્મલ ઓપ્ટિકલ કેમેરાથી સજ્જ કરવામાં અવાી છે. આ સીસ્ટમ મેંદરડાથી વાણીયાવાવ ચેક પોસ્ટથી શરૂ થઇ સાસણ તરફ 1 કિમી સુધી લગાવાઇ છે.
આ સીસ્ટમ વાહનોની ઓળખ કરીને તેની ગતિને માપે છે. તેની નંબર પ્લેટો થકી ડ્રાઇવરોની પણ ઓળખ થઇ જાય છે. જો વાહનની સ્પીડ વધુ હશે તો ડ્રાઇવરને તુરતજ રસ્તા પર રાખેલા એલઇડી સ્ક્રીન પર તેની સ્પીડ વિશે માહિતી મળી જશે. એ રીતે રસ્તા પર જો વન્ય પ્રાણી આવી ગયું હોય તો પણ એજ બોર્ડ પર વાઇલ્ડ લાઇફ અહેડ એવી સુચના પ્રદર્શિત થશે.
એવા સંજોગોમાં વાહન થોભાવી દેવાનું રહેશે. રાત્રીના સમયે પણ આ સીસ્ટમ કાર્યરત રહેશે અને અતિભારે વરસાદ કે શિયાળામાં ધૂમ્મસના સંજોગોમાં પણ આ સીસ્ટમ અસરકારક રીતે કાર્ય કરે છે.હાલ આ સીસ્ટમમાં 16 થર્મલ ઓપ્ટીકલ કેમેરા, 8 પીટીઝેડ કેમેરા, 4 એએનપીઆર કેમેરા, 4 સ્પીડ રડાર, 4 સ્ટ્રોબ લાઇટ, 20 રોડ પરના ડિસ્પ્લે યુનિટ અને કંટ્રોલ યુનિટનો સમાવેશ થાય છે.
Read the Next Article

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે બનાસકાંઠાના નડાબેટમાં સરહદના સંત્રીઓ BSF જવાનો સાથે કર્યો સંવાદ

બનાસકાંઠા જિલ્લાને વિવિધ વિકાસકામોની ભેટ આપવા સુઈ ગામની મુલાકાત દરમિયાન મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલે નડાબેટ બોર્ડર સિક્યોરિટી ફોર્સના જવાનો અને અધિકારીઓને મળીને તેમની સાથે સંવાદ ગોષ્ઠી કર્યા હતા.

New Update

CM ભુપેન્દ્ર પટેલે નડા બેટની લીધી મુલાકાત

CMBSFના જવાનો સાથે કર્યો સંવાદ

આ પ્રસંગેCMએ વિકાસકાર્યોની આપી ભેટ

BSF માટે મીઠા પાણીની સુવિધાનો પ્રારંભ

CMએ સમા દર્શનના કાર્યને બિરદાવ્યું

બનાસકાંઠા જિલ્લાને વિવિધ વિકાસકામોની ભેટ આપવા સુઈ ગામની મુલાકાત દરમિયાન મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલે નડાબેટ બોર્ડર સિક્યોરિટી ફોર્સના જવાનો અને અધિકારીઓને મળીને તેમની સાથે સંવાદ ગોષ્ઠી કર્યા હતા. વડાપ્રધાન નરેન્દ્ર  મોદીના મક્કમ નિર્ધારણને પગલે ઓપરેશન સિંદુરની જ્વલંત સફળતામાંBSF અને સેનાના જવાનોના શૌર્યસભર યોગદાન માટે તેમણે જવાનોને અભિનંદન પાઠવ્યા હતા.રાજ્ય સરકારે નડાબેટ ખાતે શરૂ કરેલા સીમા દર્શનને પરિણામેBSFને નજીકથી જાણવાની લોકોને તક મળી છે અને લાખો પ્રવાસીઓ સીમા દર્શન અન્વયે બોર્ડર ટુરિઝમને વેગ આપે છે. એમ પણ તેમણે ઉમેર્યું હતું.

BSFના આઈ.જી.અભિષેક પાઠકે રાજ્ય સરકારે નડાબેટ સહિતના સરહદી વિસ્તારોમાંBSF માટે મીઠા પાણીની સુવિધા અને અન્ય ઇન્ફ્રાસ્ટ્રક્ચરની કરેલી વ્યવસ્થા માટે આભાર વ્યક્ત કર્યોહતો.

મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલને આ પ્રસંગેBSF જવાનોએ ગાર્ડ ઓફ ઓનર આપ્યું હતું અને સ્મૃતિ ચિન્હ અર્પણ કર્યું હતું.આ મુલાકાતમાં વિધાનસભાના અધ્યક્ષ શંકર ચૌધરી અને ઉદ્યોગ મંત્રી  બળવંતસિંહ રાજપૂત પણ જોડાયા હતા.