જુનાગઢ : મનપા રખડતાં ઢોર બોર્ડર વિસ્તારમાં છુટા મુકે તે પહેલા કરિયા ગામે “જનતા રેડ”

જુનાગઢ જિલ્લાના ભેસાણ તાલુકાના જંગલ વિસ્તારની બોર્ડર ઉપર કરિયા, સામતપરા, દુધાળા અને પછવાડા સહિત 7થી 12 ગામો આવેલા છે.

New Update
જુનાગઢ : મનપા રખડતાં ઢોર બોર્ડર વિસ્તારમાં છુટા મુકે તે પહેલા કરિયા ગામે “જનતા રેડ”

જુનાગઢ જિલ્લાના ભેસાણ તાલુકાના કરિયા ગામે જંગલની બોર્ડરના ગામડાઓમાં મહાનગરપાલિકા દ્વારા રખડતાં ભટકતા પકડેલા વાછરડા તેમજ ગાયોને જંગલના બોર્ડર વિસ્તારમાં છુટા મુકે તે પહેલાં ગ્રામજનોએ જનતા રેડ કરી હતી.

જુનાગઢ જિલ્લાના ભેસાણ તાલુકાના જંગલ વિસ્તારની બોર્ડર ઉપર કરિયા, સામતપરા, દુધાળા અને પછવાડા સહિત 7થી 12 ગામો આવેલા છે. સિંહ-દીપડાઓ પણ અહી મોટી સંખ્યામાં વસવાટ કરતા હોય છે. આ ગામના મોટાભાગના ખેડૂતો ખેતી કરી આજીવિકા રળતા હોય છે, ત્યારે જુનાગઢ મહાનગરપાલિકા દ્વારા રખડતા ભટકતા ઢોરને પકડવાની ઝુંબેશ ચાલી રહી હોય, તેવામાં મનપા દ્વારા ગાયો તેમજ વાછરડાઓને ટેગ એટલે કે, કોઈ નિશાની વગર ગેરકાયદેસર રીતે વાહનોમાં ભરી ગૌશાળામાં મુકીને નિભાવ કરવાની પાલિકાના જવાબદાર અધિકારની હોય છે. આ બાબતની પોલીસે પણ તપાસ કરી રહી હતી. પરંતુ આ ગાય વાછરડાઓને જંગલના બોર્ડરના ગામડાઓમાં છુટા મુકવામાં આવે તે પહેલા 3 ગામના સરપંચ સહિત 60 જેટલા લોકોએ જનતા રેડ કરીને પાલિકાના ટ્રેક્ટર-ટ્રોલીમાં જે ગાય-વાછરડા હતા. તેને પકડી પાડી ભેસાણ પોલીસ સ્ટેશને લઈ જવામાં આવ્યા હતા. આ મામલે ગામના ખેડૂતો તેમજ રહિશો દ્વારા વન વિભાગ તેમજ પોલીસ ખાતાને પણ લેખિતમાં જાણ કરવામાં આવી હતી. ગ્રામજનોના જણાવ્યા અનુસાર, દરરોજ ગાય અને વાછરડાના સિંહો મારણ કરે છે. એટલે અમારા જે ગામડાઓ છે, એમાં વધારે સિંહ અને દીપડાનો વસવાટ થઈ ગયો છે. તો રાત્રે દિવસે ખેતી કામ કેવી રીતે કરવું અને મહિલાઓ-બાળકો ગામમાં ધોળા દિવસે નીકળતા પણ ડરે છે. ભેસાણ તાલુકાના કરિયા ગામે જંગલની બોર્ડરના ગામડાઓમાં મહાનગરપાલિકા દ્વારા રખડતાં ભટકતા પકડેલા વાછરડા તેમજ ગાયોને જંગલના બોર્ડર વિસ્તારમાં છુટા મુકે તે પહેલાં ગ્રામજનોએ જનતા રેડ કરી વિરોધ નોંધાવ્યો હતો.

Read the Next Article

સુરત : અમરોલીમાં યુવકને ચપ્પુ બતાવી રૂ. 7 લાખની ચલાવનાર 2 લૂંટારુઓ આણંદના તારાપુરથી ઝડપાયા...

સુરત શહેરના અમરોલી વિસ્તારમાં લૂંટની ઘટનાને અંજામ આપનાર લૂંટારુઓને ક્રાઇમ બ્રાન્ચ પોલીસે ઝડપી પાડ્યા છે. કલેકશનનું કામ કરતા યુવક શ્રીમાન વસોયાને ચપ્પુ બતાવી 2 લૂંટારુઓએ

New Update

અમરોલી વિસ્તારમાં બની હતી લૂંટની ચકચારી ઘટના

યુવકને ચપ્પુ બતાવીને રૂ. 7 લાખની ચલાવી હતી લૂંટ

લૂંટને અંજામ આપનાર 2 લૂંટારુ પોલીસના હાથે ઝડપાયા

પોલીસે આણંદના તારાપુરથી બન્ને લૂંટારુને ઝડપી પાડ્યા

રૂ. 4.66 લાખ સહિત અન્ય મુદ્દામાલ પોલીસે જપ્ત કર્યો

સુરત શહેરના અમરોલી વિસ્તારમાં લૂંટની ઘટનાને અંજામ આપનાર લૂંટારુઓને ક્રાઇમ બ્રાન્ચ પોલીસે ઝડપી પાડ્યા છે. કલેકશનનું કામ કરતા યુવક શ્રીમાન વસોયાને ચપ્પુ બતાવી 2 લૂંટારુઓએ રૂ. 7 લાખની લૂંટ ચલાવી હતી. જોકેલૂંટ ચલાવી ભાગતા લૂંટારુઓ નજીકમાં રહેલાCCTV કેમેરામાં કેદ થયા હતા. સમગ્ર મામલે સુરત પોલીસે ઝીણવટભરી તપાસ હાથ ધરી હતી. જેમાં 2 લૂંટારુ જશપાલ ઝાલા અને વિજય પરમારને પોલીસે આણંદના તારાપુરથી ઝડપી પાડ્યા હતા. આ સાથે જ પોલીસે લૂંટમાં ગયેલા રૂ. 4.66 લાખ સહિત અન્ય મુદ્દામાલ પણ જપ્ત કર્યો છે. અત્રે ઉલ્લેખનીય છે કેઆણંદથી લૂંટ કરવા આવેલા બંને લૂંટારુઓએ પહેલા વિસ્તારની રેકી કરી હતીઅને ત્યાર બાદ લૂંટની ઘટનાને અંજામ આપ્યો હોવાનું પોલીસ તપાસમાં સામે આવ્યું છે.