જૂનાગઢ:વંથલીમાં માલધારી અને વન વિભાગના કર્મચારી પર સિંહના હુમલાથી ફફડાટ

જૂનાગઢ જિલ્લાના વંથલી તાલુકાના નરેડી ગામે સીમ વિસ્તારમાં માલધારી અને વન વિભાગના કર્મચારી પર સિંહે હુમલો કર્યો હતો.બંને ઇજાગ્રસ્તોને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં

New Update

વંથલીમાં સિંહ હુમલાની ઘટનાથી ફફડાટ

માલધારી પર સિંહે કર્યો હુમલો

રેસ્ક્યુ કરતા વનકર્મી પણ બન્યો સિંહ હુમલાનો ભોગ

ઇજાગ્રસ્તોને સારવાર હેઠળ ખસેડાયા

સિંહના હુમલાની ઘટનાથી ગ્રામજનોમાં ફફડાટ

જૂનાગઢ જિલ્લાના વંથલી તાલુકાના નરેડી ગામે સીમ વિસ્તારમાં માલધારી અને વન વિભાગના કર્મચારી પર સિંહે હુમલો કર્યો હતો.બંને ઇજાગ્રસ્તોને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા.

જૂનાગઢ જિલ્લાના વંથલી પંથકમાં છેલ્લા ઘણા સમયથી  હિંસક પ્રાણીઓની અવરજવરથી લોકોમાં ભય ફેલાયો છે.ત્યારે વંથલી તાલુકાના નરેડી ગામે ઘેંટા બકરા ચરાવવા ગયેલા  માલધારી પર સિંહે હુમલો કર્યો હતો. અને સિંહનું રેસ્ક્યુ કરવા ગયેલા વન વિભાગના કર્મચારી પર પણ સિંહે હુમલો કર્યાનો બનાવ સામે આવ્યો છે.રમેશ મુંધવા નામના 40 વર્ષીય માલધારી ઘેંટા બકરા ચરાવવા માટે સીમ વિસ્તારમાં ગયા હતા.તે સમયે સિંહે માલધારી પર હુમલો કર્યો હતો. આ બાબતની જાણ વન વિભાગને થતા વન વિભાગ ઘટના સ્થળે પહોંચ્યું હતું. જ્યાં રેસ્ક્યુ કરવા ગયેલા વન વિભાગના કર્મચારી પર પણ સિંહે હુમલો કર્યો હતો.સિંહના હુમલાની જાણ આસપાસના ખેતરમાં કામ કરતા લોકોને થતા લોકોના ટોળા એકઠા થયા હતા. સિંહ હુમલામાં ઈજાગ્રસ્ત માલધારી અને વન વિભાગના કર્મચારીને તાત્કાલિક સારવાર માટે જૂનાગઢ સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા.સર્જાયેલી ઘટનાના પગલે વંથલી પંથકમાં ભારે ભયનો માહોલ છવાયો છે.

Read the Next Article

સુરેન્દ્રનગર : ખેડૂતોના પ્રશ્નો અંગે કલેકટર કચેરી સુધી રેલી યોજાઈ,રોડ પર ધરણા બાદ કચેરીનો ઘેરાવ

સુરેન્દ્રનગર જિલ્લામાં કોંગ્રેસ દ્વારા ખેડૂતોના વિવિધ પ્રશ્નોને લઈને ખેડૂત અધિકાર યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું.આ યાત્રામાં મોટી સંખ્યામાં કોંગ્રેસના કાર્યકરો અને ખેડૂતો જોડાયા હતા.

New Update

કોંગ્રેસ દ્વારા ખેડૂત પ્રશ્નો અંગે કલેકટર કચેરીનો ઘેરાવ

ખેડુત અધિકાર યાત્રાનું કરાયું આયોજન

રોડ પર ધરણા બાદ કલેક્ટર કચેરીનો ઘેરાવ

ખેડૂતોના વિવિધ પ્રશ્નોના નિરાકરણ માટે કરાય માંગ

કલેક્ટરને આવેદનપત્ર પાઠવી કરી ઉગ્ર રજૂઆત

સુરેન્દ્રનગર જિલ્લામાં કોંગ્રેસ દ્વારા ખેડૂતોના વિવિધ પ્રશ્નોને લઈને ખેડૂત અધિકાર યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું.આ યાત્રામાં મોટી સંખ્યામાં કોંગ્રેસના કાર્યકરો અને ખેડૂતો જોડાયા હતા.

સુરેન્દ્રનગર જિલ્લામાં કોંગ્રેસ દ્વારા ખેડૂતોના વિવિધ પ્રશ્નોને લઈને ખેડૂત અધિકાર યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું.આ યાત્રામાં મોટી સંખ્યામાં કોંગ્રેસના કાર્યકરો અને ખેડૂતો જોડાયા હતા.ખેડૂતોના પાક વળતરપ્રધાનમંત્રી ફસલ વીમા યોજનાનો લાભઅને પશુપાલકોને પોષણ સમભાવ સહિતની મુખ્ય માંગણીઓ સાથે આ આંદોલન કરવામાં આવ્યું હતું. આ રેલીમાં ખેડૂત આગેવાન વિક્રમ રબારી સહિત કોંગ્રેસના આગેવાનો અને મોટી સંખ્યામાં ખેડૂતો ટ્રેક્ટર સાથે જોડાયા હતા.

આ રેલી સુરેન્દ્રનગરના રાજપટલ પાસે આવેલા આંબેડકર ચોકથી શરૂ થઈને કલેક્ટર કચેરી સુધી યોજાઇ હતી. કલેકટર કચેરી પાસે પહોંચીને પ્રદર્શનકારીઓ એ રસ્તા પર બેસીને ધરણાં કર્યા હતા અને સરકાર પર ખેડૂતોનું શોષણ કરવાનો આરોપ લગાવ્યો હતો.આંદોલનકારીઓએ કલેકટરને લેખિત આવેદનપત્ર પાઠવીને ખેડૂતોની માંગણીઓ સંતોષવા રજૂઆત કરી હતી. જો આગામી સમયમાં તેમની માંગણીઓ નહીં સંતોષાય તો ઉગ્ર આંદોલન કરવાની ચીમકી પણ ઉચ્ચારવામાં આવી હતી.