વંથલીમાં સિંહ હુમલાની ઘટનાથી ફફડાટ
માલધારી પર સિંહે કર્યો હુમલો
રેસ્ક્યુ કરતા વનકર્મી પણ બન્યો સિંહ હુમલાનો ભોગ
ઇજાગ્રસ્તોને સારવાર હેઠળ ખસેડાયા
સિંહના હુમલાની ઘટનાથી ગ્રામજનોમાં ફફડાટ
જૂનાગઢ જિલ્લાના વંથલી તાલુકાના નરેડી ગામે સીમ વિસ્તારમાં માલધારી અને વન વિભાગના કર્મચારી પર સિંહે હુમલો કર્યો હતો.બંને ઇજાગ્રસ્તોને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા.
જૂનાગઢ જિલ્લાના વંથલી પંથકમાં છેલ્લા ઘણા સમયથી હિંસક પ્રાણીઓની અવરજવરથી લોકોમાં ભય ફેલાયો છે.ત્યારે વંથલી તાલુકાના નરેડી ગામે ઘેંટા બકરા ચરાવવા ગયેલા માલધારી પર સિંહે હુમલો કર્યો હતો. અને સિંહનું રેસ્ક્યુ કરવા ગયેલા વન વિભાગના કર્મચારી પર પણ સિંહે હુમલો કર્યાનો બનાવ સામે આવ્યો છે.રમેશ મુંધવા નામના 40 વર્ષીય માલધારી ઘેંટા બકરા ચરાવવા માટે સીમ વિસ્તારમાં ગયા હતા.તે સમયે સિંહે માલધારી પર હુમલો કર્યો હતો. આ બાબતની જાણ વન વિભાગને થતા વન વિભાગ ઘટના સ્થળે પહોંચ્યું હતું. જ્યાં રેસ્ક્યુ કરવા ગયેલા વન વિભાગના કર્મચારી પર પણ સિંહે હુમલો કર્યો હતો.સિંહના હુમલાની જાણ આસપાસના ખેતરમાં કામ કરતા લોકોને થતા લોકોના ટોળા એકઠા થયા હતા. સિંહ હુમલામાં ઈજાગ્રસ્ત માલધારી અને વન વિભાગના કર્મચારીને તાત્કાલિક સારવાર માટે જૂનાગઢ સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા.સર્જાયેલી ઘટનાના પગલે વંથલી પંથકમાં ભારે ભયનો માહોલ છવાયો છે.