-
ગુજરાતમાં માર્કેટિંગ યાર્ડ એક સપ્તાહ માટે રહેશે બંધ
-
વાર્ષિક હિસાબ કિતાબ માટે રહેશે બંધ
-
26થી 31 માર્ચ સુધી માર્કેટિંગ યાર્ડ રહેશે બંધ
-
આ સમય દરમિયાન હરાજી રહેશે બંધ
-
પ્રથમ એપ્રિલથી યાર્ડ રાબેતા મુજબ શરૂ થશે
જૂનાગઢ સહિત ગુજરાતના મોટા ગણાતા માર્કેટિંગ યાર્ડ તારીખ 26મી માર્ચ થી 31 માર્ચ સુધી બંધ રહેશે,વાર્ષિક હિસાબોની કામગીરીને પગલે માર્ચ એંડિગનમાં યાર્ડ બંધ રાખવામાં આવશે,જયારે 1 એપ્રિલથી યાર્ડની કામગીરી રાબેતા મુજબ ચાલુ કરવામાં આવશે.
ગુજરાતના કેટલાક માર્કેટ યાર્ડ દ્વારા ખેડૂતો માટે મહત્વની જાહેરાત કરવામાં આવી છે. માર્ચ એન્ડિંગની કામગીરીને કારણે જૂનાગઢ,બોટાદ, જામનગર અને ઊંઝા માર્કેટ યાર્ડમાં એક અઠવાડિયા માટે હરાજી બંધ રહેશે. આ સમયગાળા દરમિયાન માર્કેટ યાર્ડમાં વાર્ષિક હિસાબની કામગીરી હાથ ધરવામાં આવશે. જો કે, પહેલી એપ્રિલ 2025થી યાર્ડની કામગીરી રાબેતા મુજબ શરૂ થશે.
માર્ચ એન્ડિંગની કામગીરીને કારણે 25મી માર્ચથી 31મી માર્ચ 2025 સુધી હરાજી બંધ રહેશે.જયારે 1 એપ્રિલ 2025થી યાર્ડની કામગીરી રાબેતા મુજબ શરૂ કરવામાં આવશે.