જૂનાગઢ : માર્ચ એન્ડિંગમાં વાર્ષિક હિસાબોની કામગીરીને પગલે માર્કેટિંગ યાર્ડ રહેશે બંધ

ગુજરાતમાં માર્કેટિંગ યાર્ડ એક સપ્તાહ માટે રહેશે બંધ, વાર્ષિક હિસાબ કિતાબ માટે રહેશે બંધ, આ સમય દરમિયાન હરાજી રહેશે બંધ, પ્રથમ એપ્રિલથી યાર્ડ રાબેતા મુજબ શરૂ થશે.

New Update
  • ગુજરાતમાં માર્કેટિંગ યાર્ડ એક સપ્તાહ માટે રહેશે બંધ

  • વાર્ષિક હિસાબ કિતાબ માટે રહેશે બંધ 

  • 26થી 31 માર્ચ સુધી  માર્કેટિંગ યાર્ડ રહેશે બંધ 

  • આ સમય દરમિયાન હરાજી રહેશે બંધ 

  • પ્રથમ એપ્રિલથી યાર્ડ રાબેતા મુજબ શરૂ થશે 

જૂનાગઢ સહિત ગુજરાતના મોટા ગણાતા માર્કેટિંગ યાર્ડ તારીખ 26મી માર્ચ થી 31 માર્ચ સુધી બંધ રહેશે,વાર્ષિક હિસાબોની કામગીરીને પગલે માર્ચ એંડિગનમાં યાર્ડ બંધ રાખવામાં આવશે,જયારે 1 એપ્રિલથી યાર્ડની કામગીરી રાબેતા મુજબ ચાલુ કરવામાં આવશે. 

ગુજરાતના કેટલાક માર્કેટ યાર્ડ દ્વારા ખેડૂતો માટે મહત્વની જાહેરાત કરવામાં આવી છે. માર્ચ એન્ડિંગની કામગીરીને કારણે જૂનાગઢ,બોટાદ, જામનગર અને ઊંઝા માર્કેટ યાર્ડમાં એક અઠવાડિયા માટે હરાજી બંધ રહેશે. આ સમયગાળા દરમિયાન માર્કેટ યાર્ડમાં વાર્ષિક હિસાબની કામગીરી હાથ ધરવામાં આવશે. જો કે, પહેલી એપ્રિલ 2025થી યાર્ડની કામગીરી રાબેતા મુજબ શરૂ થશે.

માર્ચ એન્ડિંગની કામગીરીને કારણે 25મી માર્ચથી 31મી માર્ચ 2025 સુધી હરાજી બંધ રહેશે.જયારે 1 એપ્રિલ 2025થી યાર્ડની કામગીરી રાબેતા મુજબ શરૂ કરવામાં આવશે.

Read the Next Article

દાહોદ : સાંસદ દ્વારા સંચાલિત કે.જે.ભાભોર શાળામાં એલસી માટે વિદ્યાર્થી પાસેથી રૂ.5000 વસૂલ્યા,સ્ટિંગ ઓપરેશનમાં ફૂટ્યો ભાંડો

એક વિદ્યાર્થી જ્યારે શાળામાં પોતાની એલ.સી. લેવા ગયો ત્યારે તેની પાસેથી 5 હજાર રૂપિયા લેવામાં આવ્યા હતા,જે અંગેનો વિદ્યાર્થીના વાલીએ સ્ટિંગ ઓપરેશન કરીને ભાંડો ફોડ્યો હતો.

New Update
  • શિક્ષણ જગતને શર્મસાર કરતો કિસ્સો

  • સાંસદની કે.જે.ભાભોર સ્કૂલનો બનાવ

  • એલસી માટે વિદ્યાર્થી પાસેથી લીધા રૂપિયા

  • 5 હજારમાં વિદ્યાર્થીને આપ્યું એલસી

  • વાલીએ સમગ્ર ઘટનાનું કર્યું સ્ટિંગ ઓપરેશન

દાહોદ જિલ્લાના લીમખેડામાં આવેલી સાંસદ જશવંતસિંહ ભાભોરની કે.જે. ભાભોર સ્કૂલ વિવાદમાં આવી છે. એક વિદ્યાર્થી જ્યારે શાળામાં પોતાની એલ.સી. લેવા ગયો ત્યારે તેની પાસેથી 5 હજાર રૂપિયા લેવામાં આવ્યા હતા,જે અંગેનો વિદ્યાર્થીના વાલીએ સ્ટિંગ ઓપરેશન કરીને ભાંડો ફોડ્યો હતો.

દાહોદ જિલ્લાના લીમખેડામાં આવેલી સાંસદ જશવંતસિંહ ભાભોરની કે.જે. ભાભોર સ્કૂલ વિવાદમાં આવી છે. એક વિદ્યાર્થી જ્યારે શાળામાં પોતાની એલ.સી. લેવા ગયો ત્યારે તેની પાસેથી 5 હજાર રૂપિયા લેવામાં આવ્યા હતા.અને સામે આપેલી રસીદમાં કયા કારણોસર ફી લીધી એની નોંધ કરવામાં આવી ન હતી.આ અંગે વિદ્યાર્થીના વાલીએ સ્ટિંગ ઓપરેશન કરીને ભાંડો ફોડ્યો હતો.

આ અંગે દાહોદ જિલ્લા શિક્ષણ અધિકારી એસ.એલ.દામાએ જણાવ્યું હતું કેપ્રથમ વખત એલ.સી. કઢાવવાનો કોઇ ચાર્જ હોતો નથી. જો આ શાળાએ એલ.સી. માટે ફી લીધી હશે તો એ નિયમ વિરૂદ્ધ છે. વિજ્ઞાન પ્રવાહની શાળાઓમાં સરકારી શાળામાં કોઈ ફી નથી હોતીગ્રાન્ટેડ શાળામાં જોગવાઈ પ્રમાણે નોર્મલ ફી જે લેવા પાત્ર થતી હોય એ લઇ શકે છે અને જો ખાનગી શાળા હોય તો એફ.આર.સી. દ્વારા એને મંજૂરી આપવામાં આવેલી હોય છે. જે એફ.આર.સી.ના ધારાધોરણ મુજબ એ ફી લઇ શકતા હોય છે.

ઉલ્લેખનીય છે કે સમગ્ર ઘટના બાબતે હવે શિક્ષણ વિભાગ શાળા વિરુદ્ધ નક્કર કાર્યવાહી કરે છે કે પછી સાંસદની શાળા હોવાથી માત્ર તપાસનું તરકટ કરવામાં આવશે તે જોવું રહ્યું.