જુનાગઢ : સગીરાનું અપહરણ કરી તેના સાથે દુષ્કર્મ આચરનાર 4 નરાધમોની પોલીસે કરી ધરપકડ…

ગુજરાત | Featured | સમાચાર, જુનાગઢમાં સગીરાનું અપહરણ કરી તેના સાથે થયેલા જધન્ય કૃત્યના મામલા પોલીસે 4 આરોપીઓની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી સાથે વધુ તપાસ હાથ ધરી છે.

New Update

સગીરાના અપહરણ બાદ તેના સાથે જધન્ય કૃત્યનો મામલો

14 ઈસમોએ સગીરાનું અપહરણ કર્યું હોવાનો ફરિયાદમાં ઉલ્લેખ

રાજકોટમાં જુદા જુદા સ્થળ પર આચરવામાં આવ્યું હતું દુષ્કર્મ

સગીરા પાસે દેહ વ્યાપાર પણ કરાવ્યો હતો : જુનાગઢ પોલીસ

પોલીસ દ્વારા આરોપીઓની ધરપકડ સાથે કાયદેસરની કાર્યવાહી

જુનાગઢમાં સગીરાનું અપહરણ કરી તેના સાથે થયેલા જધન્ય કૃત્યના મામલા પોલીસે 4 આરોપીઓની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી સાથે વધુ તપાસ હાથ ધરી છે.

ગુજરાતમાં મહિલા સુરક્ષા વધુ સુરક્ષિત કરવા માટે સરકાર કટિબદ્ધ છે. રાજ્યમાં ગૃહ વિભાગસરકાર અને પોલીસની ઈચ્છાશક્તિથી હવે દુષ્કર્મ જેવા જઘન્ય કેસોમાં પીડિતાઓ અને તેમના પરિવારોને ઝડપી ન્યાય મળી રહ્યો છેત્યારે જુનાગઢમાં સગીરાનું અપહરણ કરી તેના સાથે જધન્ય કૃત્ય થયું હોવાનો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. મળતી માહિતી અનુસારગત તા. 13મી સપ્ટેમ્બરના રોજ જુનાગઢમાં સગીરા સાથે થયેલા દુષ્કર્મ બાબતે ફરિયાદ નોંધાય હતી. જેમાં 14 ઈસમો દ્વારા સગીરાનું અપહરણ કર્યા બાદ એ’ ડિવિઝન પોલીસ મથકમાં દુષ્કર્મની ફરિયાદ નોંધાતા ચકચાર મચી જવા પામી હતી. પોલીસ તપાસમાં અરબાઝ નામનો ઈસમ સગીરાનો મિત્ર હતો. રાજકોટમાં જુદા જુદા સ્થળ પર પહેલા અરબાઝ અને બાદમાં તેના મિત્રોએ સગીરા પર દુષ્કર્મ આચર્યું હોવાની બાબતનો ફરિયાદમાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે. એટલું જ નહીં સગીરાના મિત્ર અરબાઝ અને અરબાઝના મિત્ર આકાશ નામના ઈસમે પણ સગીરા પાસે દેહ વ્યાપાર કરાવ્યો હતો. સમગ્ર મામલે પોલીસે આકાશ નેપાળીહિરેન સાપરાજસ્મીન મકવાણા સહિત હાર્દિક ઝાપડાની ધરપકડ કરી છેજ્યારે પોલીસે આ અગાઉ રેહાન અને કિરણ નામના ઇસમોની ધરપકડ કરી હતીત્યારે હાલ તો જુનાગઢ પોલીસે સગીરાના અપહરણ અને દુષ્કર્મ મામલે આગળની કાર્યવાહી હાથ ધરી હોવાનું જાણવા મળ્યું છે.

Read the Next Article

આદિપુરથી અંજાર તરફ જતાં રોડ પર કિશોરી પર દુસ્કર્મ કરવાના બનાવમાં બે આરોપીઓની કરાઇ ધરપકડ

આદિપુર પોલીસના જણાવ્યા મુજબ, તા. ૨૬/૬ના સાંજના ૭:૩૦થી ૭:૪૫ વાગ્યાના અરસામાં અંજાર પંથકમાં રહેતી કિશોરી એક કિશોર સાથે મોપેડ પર શનિદેવ મંદિરથી શિણાય તરફ જતા હતા. 

New Update
aadipur

આદિપુર પોલીસના જણાવ્યા મુજબ, તા. ૨૬/૬ના સાંજના ૭:૩૦થી ૭:૪૫ વાગ્યાના અરસામાં અંજાર પંથકમાં રહેતી કિશોરી એક કિશોર સાથે મોપેડ પર શનિદેવ મંદિરથી શિણાય તરફ જતા હતા.  ત્યારે રસ્તામાં બે અજાણ્યા ઇસમોએ તેને આંતરીને પોલીસ સ્ટેશનમાં લઈ જવાની ધમકી આપી હતી.

બાદ, તેમાંથી એક આરોપી પોલીસ સ્ટેશનમાં લઈ જવાના બહાને કિશોરીને મોપેડમાં બેસાડી અપહરણ કરી, રસ્તામાં કોઇ ટેકરા જેવી જગ્યાએ લઈ ગયો હતો.જ્યાં દુસ્કર્મ આચરવામાં આવ્યુ હતુ ઘટના બાદ પીડિતાએ પરિવારજનોને જાણ કરતાં પરિવારે હિંમત દાખવી પોલીસ ફરિયાદ નોંધાવવાનો નિર્ણય કરતાં ચોંકાવનારી ઘટના પ્રકાશમાં આવી હતી. આ બનાવમાં મહેશ ઉર્ફે ડાભલો  મોતીભાઈ કોલી, સંદીપભાઈ ઘનશ્યામગર ગુસાઈ ની ધરપકડ કરવામાં આવી છે.