જુનાગઢ : સગીરાનું અપહરણ કરી તેના સાથે દુષ્કર્મ આચરનાર 4 નરાધમોની પોલીસે કરી ધરપકડ…

ગુજરાત | Featured | સમાચાર, જુનાગઢમાં સગીરાનું અપહરણ કરી તેના સાથે થયેલા જધન્ય કૃત્યના મામલા પોલીસે 4 આરોપીઓની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી સાથે વધુ તપાસ હાથ ધરી છે.

New Update

સગીરાના અપહરણ બાદ તેના સાથે જધન્ય કૃત્યનો મામલો

14 ઈસમોએ સગીરાનું અપહરણ કર્યું હોવાનો ફરિયાદમાં ઉલ્લેખ

રાજકોટમાં જુદા જુદા સ્થળ પર આચરવામાં આવ્યું હતું દુષ્કર્મ

સગીરા પાસે દેહ વ્યાપાર પણ કરાવ્યો હતો : જુનાગઢ પોલીસ

પોલીસ દ્વારા આરોપીઓની ધરપકડ સાથે કાયદેસરની કાર્યવાહી

જુનાગઢમાં સગીરાનું અપહરણ કરી તેના સાથે થયેલા જધન્ય કૃત્યના મામલા પોલીસે 4 આરોપીઓની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી સાથે વધુ તપાસ હાથ ધરી છે.

ગુજરાતમાં મહિલા સુરક્ષા વધુ સુરક્ષિત કરવા માટે સરકાર કટિબદ્ધ છે. રાજ્યમાં ગૃહ વિભાગસરકાર અને પોલીસની ઈચ્છાશક્તિથી હવે દુષ્કર્મ જેવા જઘન્ય કેસોમાં પીડિતાઓ અને તેમના પરિવારોને ઝડપી ન્યાય મળી રહ્યો છેત્યારે જુનાગઢમાં સગીરાનું અપહરણ કરી તેના સાથે જધન્ય કૃત્ય થયું હોવાનો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. મળતી માહિતી અનુસારગત તા. 13મી સપ્ટેમ્બરના રોજ જુનાગઢમાં સગીરા સાથે થયેલા દુષ્કર્મ બાબતે ફરિયાદ નોંધાય હતી. જેમાં 14 ઈસમો દ્વારા સગીરાનું અપહરણ કર્યા બાદ એ’ ડિવિઝન પોલીસ મથકમાં દુષ્કર્મની ફરિયાદ નોંધાતા ચકચાર મચી જવા પામી હતી. પોલીસ તપાસમાં અરબાઝ નામનો ઈસમ સગીરાનો મિત્ર હતો. રાજકોટમાં જુદા જુદા સ્થળ પર પહેલા અરબાઝ અને બાદમાં તેના મિત્રોએ સગીરા પર દુષ્કર્મ આચર્યું હોવાની બાબતનો ફરિયાદમાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે. એટલું જ નહીં સગીરાના મિત્ર અરબાઝ અને અરબાઝના મિત્ર આકાશ નામના ઈસમે પણ સગીરા પાસે દેહ વ્યાપાર કરાવ્યો હતો. સમગ્ર મામલે પોલીસે આકાશ નેપાળીહિરેન સાપરાજસ્મીન મકવાણા સહિત હાર્દિક ઝાપડાની ધરપકડ કરી છેજ્યારે પોલીસે આ અગાઉ રેહાન અને કિરણ નામના ઇસમોની ધરપકડ કરી હતીત્યારે હાલ તો જુનાગઢ પોલીસે સગીરાના અપહરણ અને દુષ્કર્મ મામલે આગળની કાર્યવાહી હાથ ધરી હોવાનું જાણવા મળ્યું છે.

Read the Next Article

ગીર સોમનાથ : સુત્રાપાડાના સમુદ્રકાંઠે 57.50 લાખની કિંમતનું 1150 ગ્રામ બિનવારસી ચરસ મળી આવતા ચકચાર

ગીર સોમનાથ જિલ્લાના સુત્રાપાડાના GHCL કંપની નજીકના સમુદ્ર કિનારેથી અફઘાન પ્રોડક્ટનું 1150 ગ્રામનું ચરસનું પેકેટ બિનવારસી હાલતમાં મળી આવ્યું છે.

New Update
  • અફઘાન પ્રોડક્ટ લખેલું બિનવારસી મળ્યું પેકેટ

  • 1150 ગ્રામ ચરસ મળી આવતા ચકચાર

  • જિલ્લાનો 110 કિમીનો કોસ્ટલ બેલ્ટ એલર્ટ 

  • પોલીસે 57.50 લાખનું ચરસ કર્યું  જપ્ત

  • SOG,LCB,મરીન પોલીસ તપાસમાં જોડાય

ગીર સોમનાથ જિલ્લાના સુત્રાપાડાનાGHCL કંપની નજીકના સમુદ્ર કિનારેથી અફઘાન પ્રોડક્ટનું 1150 ગ્રામનું ચરસનું પેકેટ બિનવારસી હાલતમાં મળી આવ્યું છે. આ ઘટનાની જાણ થતાંSOG, LCB અને સ્થાનિક પોલીસની ટીમ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી.અને તપાસ શરૂ કરી હતી.

ગીર સોમનાથ જિલ્લાના સુત્રાપાડાનાGHCL કંપની નજીકના દરિયા કિનારેથી અફઘાન પ્રોડક્ટનું 57.50 લાખની કિંમતનું 1150 ગ્રામ બિનવારસી ચરસ મળી આવ્યું હતું.ઘટનાને પગલે ગીર સોમનાથSOG,LCB અને સ્થાનિક પોલીસની ટીમ ઘટના સ્થળે દોડી આવી હતી.અને પોલીસે આ વિસ્તારમાં સર્ચ ઓપરેશન હાથ ધર્યું હતું. અગાઉ પણ ગીર સોમનાથના વેરાવળધામળેજ અને વડોદરા ઝાલા સહિતના દરિયાકિનારા વિસ્તારમાંથી ચરસના પેકેટો મળી આવ્યા હતા. સૌરાષ્ટ્ર-કચ્છનો દરિયાકિનારો નશીલા પદાર્થોની હેરાફેરી માટે ઉપયોગમાં લેવાતો હોવાની આશંકા છે.

પ્રાથમિક તપાસમાં એવું અનુમાન છે કે આ પેકેટ સમુદ્રમાંથી તણાઈને કિનારે આવ્યું હોઈ શકે છે. ગિર સોમનાથ સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ અને લોકલ ક્રાઈમ બ્રાન્ચના અધિકારીઓ જિલ્લા પોલીસ અધિક્ષક મનોહરસિંહ જાડેજાના માર્ગદર્શન હેઠળ સઘન તપાસ કરી રહ્યા છે.