જુનાગઢ : રાજકોટ-સોમનાથ બાયપાસ રોડ ટૂંક સમયમાં શરૂ થશે, પણ અનેક ગામના ખેડૂતોને પડશે મુશ્કેલી !

રાજકોટ-સોમનાથ નેશનલ હાઇવે અંતર્ગત વડાલથી વંથલી સુધી નવો બાયપાસ રોડ ટૂંક સમયમાં શરૂ થવા જઈ રહ્યો છે.

New Update
જુનાગઢ : રાજકોટ-સોમનાથ બાયપાસ રોડ ટૂંક સમયમાં શરૂ થશે, પણ અનેક ગામના ખેડૂતોને પડશે મુશ્કેલી !

રાજકોટ-સોમનાથ નેશનલ હાઇવે અંતર્ગત વડાલથી વંથલી સુધી નવો બાયપાસ રોડ ટૂંક સમયમાં શરૂ થવા જઈ રહ્યો છે. પરંતુ આ બાયપાસ રોડ શરૂ થાય તે પૂર્વે કેટલાક ગામના ખેડૂતોની મુશ્કેલીમાં વધારો થયો છે. આખરે શું છે તેમની મુશ્કેલી જુઓ આ અહેવાલમાં...

આ દ્રશ્યો છે, રાજકોટ-સોમનાથ હાઇવે પરના નવા બાયપાસના. જે બાયપાસ અંતર્ગત આવતા વધાવી, વિરપુર, ગલિયા વાડા, સરઘ વાડા, સુખ્પુર સહિતના અંદાજે 200 ખેડૂતોની પડતર માંગ હજૂ સુધી પૂર્ણ કરાય નથી. અહીંના ખેડૂતોને બાયપાસ રોડ તૈયાર થતા પૂર્વે બાહેંધરી આપવામાં આવી હતી કે, આ તમામ ગામની હદમાં પસાર થતા બાયપાસ રોડ પર ચોક્કસ સર્કલ તૈયાર કરી દેવામાં આવશે. જેથી લોકોને એક તરફથી બીજી તરફ જવામાં મુશ્કેલી ન પડે. સર્વિસ રોડ પરથી ખેતરે નીચે ઉતરવા માટે રસ્તાની તંત્ર પરવાનગી આપશે. પરંતુ આ મંજૂરી હજી સુધી આપવામાં ન આવતા ખેડૂતોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. આ પડતર માંગ મામલે ખેડૂત નેજા સમિતિના નેજા હેઠળ આ તમામ ગામના લોકો દ્વારા આજે જુનાગઢ જિલ્લા કલેક્ટર કચેરી ખાતે અને જુનાગઢ પ્રાંત અધિકારીને આવેદન પત્ર આપી રજૂઆત કરવામાં આવી હતી. જો માંગ પૂર્ણ કરવામાં નહી આવે તો ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલનની ચીમકી ઉચ્ચારવામાં આવી હતી.

Read the Next Article

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે બનાસકાંઠાના નડાબેટમાં સરહદના સંત્રીઓ BSF જવાનો સાથે કર્યો સંવાદ

બનાસકાંઠા જિલ્લાને વિવિધ વિકાસકામોની ભેટ આપવા સુઈ ગામની મુલાકાત દરમિયાન મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલે નડાબેટ બોર્ડર સિક્યોરિટી ફોર્સના જવાનો અને અધિકારીઓને મળીને તેમની સાથે સંવાદ ગોષ્ઠી કર્યા હતા.

New Update

CM ભુપેન્દ્ર પટેલે નડા બેટની લીધી મુલાકાત

CMBSFના જવાનો સાથે કર્યો સંવાદ

આ પ્રસંગેCMએ વિકાસકાર્યોની આપી ભેટ

BSF માટે મીઠા પાણીની સુવિધાનો પ્રારંભ

CMએ સમા દર્શનના કાર્યને બિરદાવ્યું

બનાસકાંઠા જિલ્લાને વિવિધ વિકાસકામોની ભેટ આપવા સુઈ ગામની મુલાકાત દરમિયાન મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલે નડાબેટ બોર્ડર સિક્યોરિટી ફોર્સના જવાનો અને અધિકારીઓને મળીને તેમની સાથે સંવાદ ગોષ્ઠી કર્યા હતા. વડાપ્રધાન નરેન્દ્ર  મોદીના મક્કમ નિર્ધારણને પગલે ઓપરેશન સિંદુરની જ્વલંત સફળતામાંBSF અને સેનાના જવાનોના શૌર્યસભર યોગદાન માટે તેમણે જવાનોને અભિનંદન પાઠવ્યા હતા.રાજ્ય સરકારે નડાબેટ ખાતે શરૂ કરેલા સીમા દર્શનને પરિણામેBSFને નજીકથી જાણવાની લોકોને તક મળી છે અને લાખો પ્રવાસીઓ સીમા દર્શન અન્વયે બોર્ડર ટુરિઝમને વેગ આપે છે. એમ પણ તેમણે ઉમેર્યું હતું.

BSFના આઈ.જી.અભિષેક પાઠકે રાજ્ય સરકારે નડાબેટ સહિતના સરહદી વિસ્તારોમાંBSF માટે મીઠા પાણીની સુવિધા અને અન્ય ઇન્ફ્રાસ્ટ્રક્ચરની કરેલી વ્યવસ્થા માટે આભાર વ્યક્ત કર્યોહતો.

મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલને આ પ્રસંગેBSF જવાનોએ ગાર્ડ ઓફ ઓનર આપ્યું હતું અને સ્મૃતિ ચિન્હ અર્પણ કર્યું હતું.આ મુલાકાતમાં વિધાનસભાના અધ્યક્ષ શંકર ચૌધરી અને ઉદ્યોગ મંત્રી  બળવંતસિંહ રાજપૂત પણ જોડાયા હતા.