Connect Gujarat
ગુજરાત

જુનાગઢ : કરોડરજ્જુની ગંભીર બિમારીનો જન્મના 72 કલાકમાં ઈલાજ જરૂરી, તબીબોએ કરી જટિલ સર્જરી

સૌરાષ્ટ્રમાં સૌપ્રથમ વખત નવજાત શિશુના મગજ અને કરોડરજ્જુની જટિલ સર્જરી જુનાગઢની હોસ્પિટલમાં કરવામાં આવી છે

X

સૌરાષ્ટ્રમાં સૌપ્રથમ વખત નવજાત શિશુના મગજ અને કરોડરજ્જુની જટિલ સર્જરી જુનાગઢની હોસ્પિટલમાં કરવામાં આવી છે, ત્યારે બાળકનો જીવ બચાવી નવજીવન આપનાર તબીબોનો પરિજનોએ આભાર માન્યો હતો.

અમરેલી જિલ્લાના કોડીનાર તાલુકાના માલાશ્રમ ગામના 42 દિવાસીય બાળક આયુષ સોલંકીને જન્મથી જ કરોડરજ્જુની ગંભીર બિમારી હતી. આ બિમારીમાં બાળકને જન્મજાત કરોડરજ્જુ ગાંઠ સ્વરૂપે કમરમાંથી બહાર આવી જાય છે. પરિણામે બાળકને પગમાં લકવો, મળમૂત્રમાં ભાન ન રહેવાની અને મગજમાં પાણી ભરાવાની તેમજ ઇન્ફેકશન થવાના કારણે આ બિમારી જીલવેણ નિવડવાની શક્યતા પણ રહે છે. આ બિમારીનો ઇલાજ જન્મના 72 કલાકમાં ઓપરેશનથી થાય છે.

મોટાભાગે આવા ઓપરેશન મેટ્રો સિટીમાં થતા હોય છે ત્યારે આ બીમારીથી પીડાતા બાળકના વાલી તેને અમદાવાદ લઈ ગયા હતા. પરંતુ ત્યાં સારવાર ન થતાં નિરાશ થઇ તેઓ જુનાગઢની અગત્સ્ય હોસ્પિટલમાં સારવાર માટે આવ્યા હતા. જ્યાં ન્યુરો સર્જને 6 કલાકમાં સફળ ઓપરેશન કરી બાળકનો જીવ બચાવ્યો હતો, ત્યારે હાલ તો ઓપરેશન બાદ નવજાત શિશુ સંપૂર્ણપણે સ્વસ્થ થતાં પરિવારજનોએ તબીબોનો આભાર વ્યક્ત કર્યો હતો.

Next Story