જુનાગઢ : રાજ્યના આરોગ્ય મંત્રી પહોચ્યા સિવિલ હોસ્પિટલની મુલાકાતે, દર્દીઓના ખબરઅંતર પૂછી તબીબોને જરૂરી સૂચનો કર્યા

જૂનાગઢ સિવિલ હોસ્પિટલમાં સૌરાષ્ટ્રના મોટાભાગના દર્દીઓ દરરોજ સારવાર લેવા આવે છે, જેને લઇ રાજ્યના આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલે હોસ્પિટલની મુલાકાત લઈ જાત નિરીક્ષણ કર્યું

New Update
  • સિવિલ હોસ્પિટલની મુલાકાતે પહોચ્યા રાજ્યના આરોગ્ય મંત્રી

  • આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલ વિવિધ વોર્ડમાં દર્દીઓને મળ્યા

  • સારવાર અંગે દર્દીઓની પૂછપરછ કરી તબીબોને સૂચનો કર્યા

  • હોસ્પિટલની સુવિધાઓમાં વધારો થાય તે હેતુથી બેઠક યોજાય

  • દર્દીઓને પડતી મુશ્કેલી અને તેની કાળજી રાખવા સૂચન કર્યું

 જુનાગઢ સિવિલ હોસ્પિટલની રાજ્યના આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલે મુલાકાત લીધી હતીજ્યાં વિવિધ વોર્ડમાં દર્દીઓ પાસે જઈ સારવાર અંગે પૂછપરછ કરી તબીબોને જરૂરી સૂચનો કર્યા હતા.

કરોડોના ખર્ચે બનાવેલ જુનાગઢની સિવિલ હોસ્પિટલ અનેકવાર વિવાદમાં આવી ચૂકી છે. સિવિલ હોસ્પિટલમાં સૌરાષ્ટ્રના મોટાભાગના દર્દીઓ દરરોજ સારવાર લેવા આવે છેજેને લઇ રાજ્યના આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલે હોસ્પિટલની મુલાકાત લઈ જાત નિરીક્ષણ કર્યું હતું. હોસ્પિટલના જુદા જુદા વોર્ડમાં જઈ દર્દીઓ પાસેથી સારવાર અંગે માહિતી મેળવી હતી.

જુનાગઢની સિવિલ હોસ્પિટલમાં આપવામાં આવતી આરોગ્ય સહિતની સુવિધાઓને લઈને પણ તેઓએ માહિતી મેળવી હતી. આ સાથે જ દર્દીઓના રિપોર્ટ અંગે પણ તબીબો તેમજ સ્ટાફ કર્મચારીઓની કામગીરીનું નિરીક્ષણ કર્યું હતું. જુનાગઢ સિવિલ હોસ્પિટલની સુવિધાઓમાં વધારો થાય તે હેતુથી આરોગ્ય વિભાગના અધિકારીઓ સાથે બેઠક યોજી દર્દીઓને કોઈપણ જાતની મુશ્કેલી ન પડે તેની કાળજી રાખવા જરૂરી સૂચન કર્યું હતું.

Read the Next Article

ભરૂચ : ઝઘડિયાના ઉચેડીયામાં જીવના જોખમે ખાડી ઓળંગતા ગ્રામજનો,ખેડૂતો બન્યા લાચાર

ભરૂચ જિલ્લાના ઝઘડિયા તાલુકાના ઉચેડીયા ગામે ખેડૂતો જીવના જોખમે ખેતી કરવા મજબૂર બન્યા છે.નદીની ખાડી ઉપર પુલના અભાવે ગ્રામજનો ભારે મુશ્કેલી સહન કરીને ભારે યાતના વેઠી રહ્યા છે.

New Update
  • ઉચેડીયામાં ગ્રામજનોને પારાવાર મુશ્કેલી

  • ખાડી પર બ્રિજના અભાવે ખડૂતો પરેશાન

  • જીવન જોખમે ખાડી પસાર કરતા ગ્રામજનો

  • ખેડૂતોએ ખેતી કરવી પણ બન્યું મુશ્કેલરૂપ

  • સ્થાનિક તંત્રને રજુઆત બાદ પણ કોઈ નિરાકરણ નહીં

  • ગ્રામજનો ખાડીના જોખમ સાથે બન્યા લાચાર 

ભરૂચ જિલ્લાના ઝઘડિયા તાલુકાના ઉચેડીયા ગામે ખેડૂતો જીવના જોખમે ખેતી કરવા મજબૂર બન્યા છે.નદીની ખાડી ઉપર પુલના અભાવે ગ્રામજનો ભારે મુશ્કેલી સહન કરીને ભારે યાતના વેઠી રહ્યા છે.

ભરૂચ જિલ્લાના ઝઘડિયા તાલુકાના ઉચેડીયા ગામે જીવના જોખમે ખેડૂતો ખેતી કરવા મજબૂર બન્યા છે.ઉચેડીયા ગામની મુખ્યત્વે જમીન નર્મદા પટ વિસ્તારમાં આવેલી છેઅહીં નાની મોટી ખાડીઓ નર્મદા નદીને મળતી હોય છે.ઉચેડીયા ગામ અને નર્મદા કાંઠાની સીમની જમીન વચ્ચે નાનકડી ખાડી પસાર થાય છે. ચોમાસા દરમિયાન ખાડી પસાર કરવા માટે ખેડૂતો અને પશુપાલકોએ જીવના જોખમે ખાડી ઓળંગવી પડે છે.

ઉપરવાસમાં વરસાદના કારણે તથા સ્થાનિક વરસાદના કારણે આ ઉચેડીયાની ખાડીમાં ખૂબ મોટા પ્રમાણમાં પાણીનો પ્રવાહ વહેતો હોય છેત્યારે આવા સમયે ખેડૂતો અને પશુપાલકો લાચાર બનીને કાંઠા વિસ્તારની જમીન પર જવા માટે જીવના જોખમે પોતાના વાહનો તેમજ પશુઓ લઈ જવા પડે છે.

ઉચેડીયા ગ્રામ પંચાયતના સરપંચ અને ગામના આગેવાનો છેલ્લા દસ વર્ષથી ગામ અને સીમ વચ્ચે વહેતી ખાડી પર નાનો પુલ બનાવવા માટે માંગણી કરી રહ્યાં છે. દસ વર્ષ દરમિયાન પાંચથી સાત વખત જવાબદાર અધિકારીઓને પદાધિકારીઓને સરપંચ તથા ગ્રામજનો દ્વારા નાનો પુલ બનાવી આપવા માટે રજૂઆતો કરવામાં આવી છે.પરંતુ તંત્ર દ્વારા તથા ઝઘડિયાની નેતાગીરી દ્વારા આ ગંભીર સમસ્યા પર કોઈ જ ધ્યાન આપવામાં આવતું ન હોવાનું ગ્રામજનો જણાવી રહ્યા છેતેથી ઉચેડીયા ગામના ખેડૂતોને દર ચોમાસા દરમિયાન આવા જીવના જોખમે ખાડીના વહેતા પાણીમાંથી પોતાના વાહનો તેમજ ઢોર ઢાંખર પસાર કરવા પડે છે.તેઓની આ ગંભીર સમસ્યાનું વહેલી તકે નિરાકરણ આવે તેવી લાગણી પણ ગ્રામજનો વ્યક્ત કરી રહ્યા છે.