જુનાગઢ : શેર બજારની એપ્લિકેશનથી રૂપિયા કમાવાની લાલચ બિલ્ડરને ભારે પડી

જેમ જેમ ઓનલાઇન ટ્રેડિંગ, નેટ બેન્કિંગ સહિતની સુવિધાઓ વધતી જાય છે. તેમ તેમ સાયબર ગઠિયાઓ લોકોને છેતરપિંડીનો વધુને વધુ ભોગ બનાવી રહ્યા છે.

New Update

હાલ સેંકડો લોકો સાયબર ફ્રોડનો ભોગ બની રહ્યા છે. તેવામાં જુનાગઢ પોલીસે રૂ. 1.47 કરોડની સાયબર ફ્રોડના કેસમાં તમામ રકમ ફરિયાદીને પરત અપાવી સમગ્ર ગુજરાતભરમાં ઉત્તમ દાખલો બેસાડ્યો છે.

જેમ જેમ ઓનલાઇન ટ્રેડિંગનેટ બેન્કિંગ સહિતની સુવિધાઓ વધતી જાય છે. તેમ તેમ સાયબર ગઠિયાઓ લોકોને છેતરપિંડીનો વધુને વધુ ભોગ બનાવી રહ્યા છે. આવો જ એક કિસ્સો જુનાગઢમાંથી સામે આવ્યો છે. જુનાગઢના બિલ્ડર રમેશ પાનસુરીયા થોડા સમય પહેલા શેર બજારની વિવિધ એપ્લિકેશનના માધ્યમથી પૈસા કમાવાની લાલચમાં અલગ અલગ રીતે રૂ. 1.47 કરોડ ગુમાવ્યા હતા. આ અંગે તેણે જુનાગઢ રેન્જ સાયબર પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવતા પોલીસે અલગ અલગ ટેકનિકલ સોર્સવેબસાઈટના એનાલિસિસ સહિતની અનેક યુક્તિ પ્રયુક્તિ અપનાવી સાયબર ફ્રોડ કરતાં માફિયાઓને ઝડપી પાડ્યા છે. આ ગુનામાં સંડોવાયેલા કુલ 7 શખ્સોમાંથી 3 મુંબઈના અને 4 શખ્સો અમદાવાદના છે. આ તમામ આરોપીઓને પોલીસે જેલ હવાલે કરી દીધા છે. મહત્વની વાત એ છે કેજે રકમ ગઈ હતીતે પૂરેપૂરી રકમ ભોગ બનનારને પોલીસે પરત અપાવી દીધી છે. ગુજરાતના ઇતિહાસમાં એક સાથે સાયબર ફ્રોડની આટલી મોટી રકમ પરત અપાવવાનો પ્રથમ દાખલો બેસાડતી જુનાગઢ પોલીસે ગર્વ અનુભવ્યો છે.

 

Read the Next Article

ગાંધીનગર : રાજ્યપાલ આચાર્ય દેવવ્રતની ઉપસ્થિતિમાં રાજભવન ખાતે 11મા આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણી કરાય..

રાજભવન પરિવારના તમામ અધિકારીઓ અને કર્મચારીઓએ ઉત્સાહભેર સમૂહ યોગાભ્યાસ કર્યો યોગાભ્યાસ બાદ રાજ્યપાલ આચાર્ય દેવવ્રતએ સૌને સ્વસ્થ જીવનશૈલી અપનાવવાના શપથ પણ લેવડાવ્યા

New Update
  • રાજભવન ખાતે 11મા આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણી

  • રાજ્યપાલ આચાર્ય દેવવ્રતની ઉપસ્થિતિમાં ઉજવણી કરાય

  • રાજભવન પરિવારના અધિકારીઓ-કર્મચારીઓની ઉપસ્થિતી

  • યોગ દિવસ નિમિત્તે ઉપસ્થિતોએ સમૂહમાં યોગાભ્યાસ કર્યો

  • યોગને જીવનનો નિયમિત ભાગ બનાવો : આચાર્ય દેવવ્રત 

ગાંધીનગર રાજભવન ખાતે રાજ્યપાલ આચાર્ય દેવવ્રતની પ્રેરક ઉપસ્થિતિમાં 11મા આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી. 11મા આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ગાંધીનગર રાજભવન ખાતે રાજ્યપાલ આચાર્ય દેવવ્રતની પ્રેરક ઉપસ્થિતિમાં ઉજવણી કરવામાં આવી હતી. જેમાં રાજભવન પરિવારના તમામ અધિકારીઓ અને કર્મચારીઓએ ઉત્સાહભેર સમૂહ યોગાભ્યાસ કર્યો હતો.

યોગાભ્યાસ બાદ રાજ્યપાલ આચાર્ય દેવવ્રતએ સૌને સ્વસ્થ જીવનશૈલી અપનાવવાના શપથ પણ લેવડાવ્યા હતા. આ પ્રસંગે રાજ્યપાલ આચાર્ય દેવવ્રતએ જણાવ્યું હતું કેયોગને જીવનનો નિયમિત ભાગ બનાવો. વધુમાં તેમણે કહ્યું કેયોગથી જીવનમાં આરોગ્ય અને સુખ તો આવે જ છેસાથોસાથ આધ્યાત્મિક ઉન્નતિનો માર્ગ પણ પ્રશસ્ત થાય છે.