જુનાગઢ : સેવા સેતુ કાર્યક્રમમાં કેન્દ્રીય મંત્રીએ અધિકારી અને જનપ્રતિનિધિઓને માનવીય સંવેદના દાખવવા આપી સૂચન

જુનાગઢના મેંદરડામાં કેન્દ્રીય મંત્રી મનસુખ મંડાવીયાની ઉપસ્થિતિમાં સેવા સેતુ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું,

New Update
  • મેંદરડામાં યોજાયો સેવા સેતુ કાર્યક્રમ

  • કેન્દ્રી મંત્રી મનસુખ માંડવીયા રહ્યા ઉપસ્થિત

  • મંત્રીના સંબોધનમાં જોવા મળ્યું કડક વલણ

  • જનતા પાસે જન પ્રતિનિધિને ઝૂકવા આપી સૂચના

  • માનવીય સંવેદના દાખવવા માટે પણ આપી સૂચના

Advertisment

જુનાગઢના મેંદરડામાં કેન્દ્રીય મંત્રી મનસુખ મંડાવીયાની ઉપસ્થિતિમાં સેવા સેતુ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું,આ કાર્યક્રમમાં અધિકારી અને જનપ્રતિનિધિઓને માનવીય સંવેદના દાખવવા માટે મંત્રીએ ટકોર કરી હતી.

જૂનાગઢના મેંદરડામાં કેન્દ્રીય મંત્રી મનસુખ મંડાવીયાનાં અધ્યક્ષસ્થાને સેવા સેતુ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું.આ કાર્યક્રમમાં સંબોધન દરમિયાન મંત્રી મનસુખ માંડવીયાની વાતમાં સરકારી કામકાજની વ્યવસ્થા સામે નારાજગી ભર્યું વલણ જોવા મળ્યું હતું,અને તેઓએ  જનતા સામે જનપ્રતિનિધિને ઝૂકવા માટે સૂચના આપી હતી,તેમજ સામાન્ય લોકો પાસે તંત્ર દ્વારા અપનાવવામાં આવતું તુમાખી ભર્યા વલણ સામે પણ મંત્રીએ નારાજગી વ્યક્ત કરી હતી.વધુમાં મંત્રી માંડવીયાએ અધિકારી અને જનપ્રતિનિધિઓને સામાન્ય લોકો પ્રત્યે માનવીય સંવેદના દાખવવા પણ જાહેરમાં સૂચના આપી હતી.

Advertisment
Read the Next Article

સંઘપ્રદેશ દમણમાં થયેલી રૂ. 1.33 કરોડની ચોરીનો ભેદ પોલીસે ઉકેલી કાઢ્યો, દાહોદથી 3 તસ્કરોની ધરપકડ

તસ્કરોએ રાત્રે 2 વાગ્યા બાદ ઘરમાં પ્રવેશ કરી ચોરીની ઘટનાને અંજામ આપ્યો હતો. તસ્કરોએ સોનું અને 8 હજાર UK પાઉન્ડની રોકડ રકમની ચોરી કરી ફરાર થઈ ગયા હતા

New Update
  • સંઘપ્રદેશ દમણ ક્રાઇમ બ્રાન્ચ પોલીસને મળી સફળતા

  • 20 દિવસમાં જ રૂ. 1.33 કરોડની ચોરીનો ભેદ ઉકેલ્યો

  • દાહોદ ખાતેથી 3 આંતરરાજ્ય તસ્કરોની ધરપકડ કરી

  • સોનું અને 8 હજાર UK પાઉન્ડ રોકડની થઈ હતી ચોરી

  • પોલીસે 18 લાખ રૂપિયાનું 26 તોલા સોનું રિકવર કર્યું 

Advertisment

સંઘપ્રદેશ દમણ પોલીસે માત્ર 20 દિવસમાં જ મોટી દમણમાં થયેલી રૂ. 1.33 કરોડની ચોરીનો ભેદ ઉકેલી કાઢી 3 આંતરરાજ્ય તસ્કરોની ધરપકડ કરી રૂ. 18.17 લાખની કિંમતનું 261.530 ગ્રામ સોનું જપ્ત કર્યું છે.

ગત તા. 28 ફેબ્રુઆરી-2025ના રોજ સંઘપ્રદેશ દમણના મોટી દમણ વિસ્તારમાં આવેલ મંદિર શેરી વિસ્તારમાં રહેતા ઇશ્વરભાઈ ટંડેલના ઘરમાંથી ચોરી થઈ હતી. ટંડેલ પરિવાર લંડનથી ભારત આવ્યો હતોત્યારે તસ્કરોએ રાત્રે 2 વાગ્યા બાદ ઘરમાં પ્રવેશ કરી ચોરીની ઘટનાને અંજામ આપ્યો હતો. તસ્કરોએ સોનું અને 8 હજાર UK પાઉન્ડની રોકડ રકમની ચોરી કરી હતી. આ સાથે જ શ્રી રણછોડરાયજી મંદિરની દાનપેટીમાં રહેલ 20થી 25 હજારની રોકડ પર હાથફેરો કર્યો હતો. સમગ્ર મામલે દમણ ક્રાઇમ બ્રાન્ચના PSI ભરત પરમારના નેતૃત્વમાં તપાસ શરૂ કરવામાં આવી હતી.

જેમાં ટેકનિકલ એનાલિસિસ અને હ્યુમન ઇન્ટેલિજન્સના આધારે દાહોદથી 3 આરોપીઓની ધરપકડ કરવામાં આવી હતી. ચોરીને અંજામ આપનાર મુખ્ય આરોપી ભરત મોતીલાલ પંચાલ જે 50થી વધુ ગુનાઓમાં સંડોવાયેલો છે. તે ગુજસીટોક હેઠળ સજા પણ ભોગવી ચૂક્યો છેજ્યારે અન્ય 2 આરોપીઓમાં જિજ્ઞેશ રાજુભાઈ પંચાલ અને પંકજકુમાર ઉર્ફે પુનીત ભરતભાઈ સોનીનો સમાવેશ થાય છે.

પોલીસે આરોપીઓ પાસેથી 18 લાખ રૂપિયાનું 26 તોલા સોનું પણ રિકવર કર્યું છે. હાલ સમગ્ર મામલામાં વધુ લોકો સામેલ હોય તેવું પોલીસ જણાવી રહી છેત્યારે આગામી તપાસમાં વધુ લોકોને પોલીસ દ્વારા પકડવાની હિલચાલ શરૂ કરવામાં આવી છે. દમણ પોલીસની ઝડપી કાર્યવાહીથી સ્થાનિક લોકોમાં પોલીસ પ્રત્યે વિશ્વાસ વધ્યો છે.

Advertisment