જુનાગઢ : સેવા સેતુ કાર્યક્રમમાં કેન્દ્રીય મંત્રીએ અધિકારી અને જનપ્રતિનિધિઓને માનવીય સંવેદના દાખવવા આપી સૂચન

જુનાગઢના મેંદરડામાં કેન્દ્રીય મંત્રી મનસુખ મંડાવીયાની ઉપસ્થિતિમાં સેવા સેતુ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું,

New Update
  • મેંદરડામાં યોજાયો સેવા સેતુ કાર્યક્રમ

  • કેન્દ્રી મંત્રી મનસુખ માંડવીયા રહ્યા ઉપસ્થિત

  • મંત્રીના સંબોધનમાં જોવા મળ્યું કડક વલણ

  • જનતા પાસે જન પ્રતિનિધિને ઝૂકવા આપી સૂચના

  • માનવીય સંવેદના દાખવવા માટે પણ આપી સૂચના

જુનાગઢના મેંદરડામાં કેન્દ્રીય મંત્રી મનસુખ મંડાવીયાની ઉપસ્થિતિમાં સેવા સેતુ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું,આ કાર્યક્રમમાં અધિકારી અને જનપ્રતિનિધિઓને માનવીય સંવેદના દાખવવા માટે મંત્રીએ ટકોર કરી હતી.

જૂનાગઢના મેંદરડામાં કેન્દ્રીય મંત્રી મનસુખ મંડાવીયાનાં અધ્યક્ષસ્થાને સેવા સેતુ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું.આ કાર્યક્રમમાં સંબોધન દરમિયાન મંત્રી મનસુખ માંડવીયાની વાતમાં સરકારી કામકાજની વ્યવસ્થા સામે નારાજગી ભર્યું વલણ જોવા મળ્યું હતું,અને તેઓએ  જનતા સામે જનપ્રતિનિધિને ઝૂકવા માટે સૂચના આપી હતી,તેમજ સામાન્ય લોકો પાસે તંત્ર દ્વારા અપનાવવામાં આવતું તુમાખી ભર્યા વલણ સામે પણ મંત્રીએ નારાજગી વ્યક્ત કરી હતી.વધુમાં મંત્રી માંડવીયાએ અધિકારી અને જનપ્રતિનિધિઓને સામાન્ય લોકો પ્રત્યે માનવીય સંવેદના દાખવવા પણ જાહેરમાં સૂચના આપી હતી.

Read the Next Article

ભાવનગર : વર્ષ 2001માં થયેલ ઘરફોડ ચોરીના ગુન્હાનો ભેદ પોલીસે ઉકેલી કાઢ્યો, 24 વર્ષ બાદ તસ્કર ઝડપાયો...

2001માં થયેલી ઘરફોડ ચોરીના ગુન્હામાં એક આરોપી આખરે 24 વર્ષ બાદ પોલીસના હાથે ઝડપાયો છે. જોકે, આટલા વર્ષોની શોધખોળ બાદ પોલીસને આખરે ગુન્હાનો ભેદ ઉકેલવામાં સફળતા મળી

New Update
Bhavnagar Theft Case

ભાવનગર શહેરના સરિતા સોસાયટી વિસ્તારમાં વર્ષ 2001માં થયેલી ઘરફોડ ચોરીના ગુન્હામાં એક આરોપી આખરે 24 વર્ષ બાદ પોલીસના હાથે ઝડપાયો છે. જોકેઆટલા વર્ષોની શોધખોળ બાદ પોલીસને આખરે ગુન્હાનો ભેદ ઉકેલવામાં સફળતા મળી છે.

મળતી માહિતી અનુસારવર્ષ 2001માં ભાવનગરના સરિતા સોસાયટી વિસ્તારમાં આવેલ બંધ દુકાનમાં 2 ઈસમોએ તાળા તોડી ચોરીને અંજામ આપ્યો હતો. આ ઘટનાની ફરિયાદ બાદ પોલીસે એક આરોપીને ઝડપી લીધો હતો. પરંતુ બીજો આરોપી ફરાર થઇ ગયો હતોત્યારે 24 વર્ષ બાદ પોલીસે આરોપી મુકેશ વલ્લભ ચોથાણીને પકડી પાડ્યો છે.

મૂળ જૂનાગઢનો અને હાલ સુરતમાં વસવાટ કરતો મુકેશ ચોથાણી ચોરી બાદ પોતાનું સરનામું બદલી છુપાઈ ગયો હતોત્યારે પોલોસે  ટેકનિકલ સર્વેલન્સ અને જૂની ફાઈલ્સ પર આધારિત માહિતીના આધારે આરોપીની ઓળખ કરી તેને સુરતથી ઝડપી પાડ્યો છેત્યારે હાલ તો પોલીસે આરોપી વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

અત્રે ઉલ્લેખનીય છે કે24 વર્ષની શોધખોળ બાદ પોલીસને આખરે આરોપી હાથ લાગ્યો છેત્યારે ઉકેલાયેલો આ ભેદ ભવિષ્યમાં પણ આ પ્રકારના ગુન્હા આચરતા ગુનાહિત તત્વો માટે કડક સંદેશ આપી શકે છે.