જૂનાગઢ : ગ્રામજનોએ ગાંડા બાવળ દૂર કરીને 132 પ્રકારના 6500 વૃક્ષોનું કર્યું વાવેતર, જમીન સમતલ બનાવીને ભગીરથ કાર્યને પાર પાડ્યું

ખાંભલા ગામ ગ્રામજનોએ ગાંડા બાવળના વૃક્ષોને દૂર કરવાનો મક્કમ નિર્ણય કર્યો હતો,અને જમીનને સમતલ કરીને આ જમીનમાં વૃક્ષોનું વાવેતર કરવાનો નિર્ધાર કર્યો

New Update
  • ખાંભલાના ગ્રામજનોનું ભગીરથ કાર્ય

  • 30 વીઘા જમીનમાંથી દૂર કર્યા ગાંડા બાવળ

  • જમીન સમતોલ કરીને કર્યું વૃક્ષારોપણ

  • 132 પ્રકારના 6500 વૃક્ષોનું કર્યું વાવેતર

  • ડીપ ઇરીગેશનથી કરાય છે વૃક્ષોનું જતન

જૂનાગઢ જિલ્લાના માણાવદર તાલુકાના માત્ર 2000ની વસ્તી ધરાવતા ખાંભલા ગામમાં 30 વીઘા જેટલી ખરાબાની જમીનમાં ગાંડા બાવળો ઉગી નીકળ્યા હતા,ત્યારે ગામના વતની અને હાલમાં અમેરિકામાં રહેતા કેન્સર સર્જન ડો.ભાણજી કુંડારીયાની પ્રેરણાથી સ્થાનિક લોકો દ્વારા 132 પ્રકારના 6500 વૃક્ષોનું વાવતેર કર્યું છે.

જૂનાગઢ જિલ્લાના માણાવદર તાલુકાના માત્ર 2000ની વસ્તી ધરાવતા ખાંભલા ગામમાં 30 વીઘા જેટલી ખરાબાની જમીનમાં ગાંડા બાવળો ઉગી નીકળ્યા હતા,જેના કારણે ગ્રામજનોને હાલમાં અમેરિકા નિવાસી કેન્સર સર્જન ડો.ભાણજી કુંડારિયાની પ્રેરણા મળી હતી,અને ગ્રામજનોએ ગાંડા બાવળના વૃક્ષોને દૂર કરવાનો મક્કમ નિર્ણય કર્યો હતો,અને જમીનને સમતલ કરીને આ જમીનમાં વૃક્ષોનું વાવેતર કરવાનો નિર્ધાર કર્યો હતો.

132 પ્રકારના 6500 જેટલા વૃક્ષોનું સફળતા પૂર્વક વાવેતર કરવામાં આવ્યું છે. વૃક્ષોના જતન માટે પણ ખાસ કાળજી રાખવામાં આવી રહી છે,જ્યારે ડીપ ઇરીગેશન દ્વારા પાણી આપવામાં આવે છે.આ ભગીરથ કાર્ય માટે ડોક્ટર દ્વારા જેસીબી પણ દાન આપવામાં આવ્યું હતું.

આ અંગે ગામના વતની કિરણ ચૌહાણ જણાવ્યું હતું કે અમેરિકામાં રહેતા ડો. ભાણજી કુંડારીયાની પ્રેરણાથી અને ગામ લોકોના સહકારથી લોકોને શુદ્ધ પ્રાણ વાયુ મળી શકે તેવા હેતુથી આ પ્લાન્ટ સ્ટેશનનું ભગીરથ કાર્ય હાથ ધરાયું છે,ત્યારે વૃક્ષ જતન આબાદ વતનના ઉમદા વિચારથી અમે આ કાર્ય કરી રહ્યા છીએ.

ભવિષ્યમાં શુદ્ધ ઓક્સિજન મળે અને તંદુરસ્ત વાતાવરણ રહે તેવા હેતુથી અને ગ્રામ લોકોના આખા મહેનતથી આ વૃક્ષોનું જતન થઈ રહ્યું છે.આ કાર્ય ફક્ત વૃક્ષારોપણ કરીને સંતોષ માનવા જેવું નથી તેની માવજત કરવી પણ ખૂબ અઘરી છે,ત્યારે ગામના 62 વર્ષના પ્રભુદાસ કનેરીયા પણ કોઈ પણ જાતની અપેક્ષા વગર 24 કલાક વૃક્ષોની માવજત કરી રહ્યા છે.ખાંભલા ગામને નિર્મળ ગામ એવોર્ડ,શ્રેષ્ઠ ગ્રામ પંચાયત માટે મુખ્યમંત્રી દ્વારા સન્માન મળ્યું છે.જ્યારે નિર્મળ ગામ પુરસ્કાર હેઠળ રાષ્ટ્રપતિ દ્વારા સન્માન પત્ર પ્રાપ્ત થયું છે.

Read the Next Article

નર્મદા : ગુજરાત વિધાનસભાની ખાતરી સમિતિ સ્ટેચ્યુ ઓફ યુનિટી એકતાનગરની લીધી મુલાકાત

ગુજરાત વિધાનસભા સચિવાલય દ્વારા રચાયેલી ખાતરી સમિતિએ 10મી, જુલાઈના રોજ સ્ટેચ્યુ ઓફ યુનિટી પરિસરની મુલાકાત લીધી હતી,અને સરદાર વલ્લભાઇ પટેલની ભવ્ય પ્રતિમા નિહાળીને મંત્રમુગ્ધ બન્યા હતા.

New Update

ખાતરી સમિતિSOUની મુલાકાતે

સભ્યોએ લીધીSOUની મુલાકાત

સરદાર સાહેબની પ્રતિમાના કર્યા દર્શન

ભવ્ય પ્રતિમા નિહાળીને મંત્રમુગ્ધ બન્યા

આ પ્રસંગે પીએમ મોદીનો માન્યો આભાર

ગુજરાત વિધાનસભા સચિવાલય દ્વારા રચાયેલી ખાતરી સમિતિએ 10મીજુલાઈના રોજ સ્ટેચ્યુ ઓફ યુનિટી પરિસરની મુલાકાત લીધી હતી,અને સરદાર વલ્લભાઇ પટેલની ભવ્ય પ્રતિમા નિહાળીને મંત્રમુગ્ધ બન્યા હતા.

ગુજરાત વિધાનસભા સચિવાલય દ્વારા રચાયેલી ખાતરી સમિતિના પ્રમુખ કિરીટસિંહ રાણાની આગેવાની હેઠળ સમિતિના સભ્ય કિરીટકુમાર પટેલ,સુખાજી ઠાકોર હાર્દિક પટેલકિરીટસિંહ ડાભી અને ભગા બારડે સ્ટેચ્યુ ઓફ યુનિટી (SOU) પરિસરની મુલાકાત લીધી હતી.સભ્યોએ લોખંડી પુરુષ સરદાર વલ્લભભાઈ પટેલની 182 મીટર ઉંચી આ ભવ્ય પ્રતિમાની સમક્ષ ઊભા રહીને ગૌરવની લાગણી અનુભવી હતી. આ પ્રસંગે તેમણે સરદાર સાહેબના વિચારો અને દેશની એકતા અને અખંડિતતા માટે આપેલ બહુમૂલ્ય યોગદાનને યાદ કરીને પ્રતિમાના દર્શન કરીને ભાવવંદના કરી હતી.

આ પ્રસંગે સમિતીના સભ્ય હાર્દિક પટેલે જણાવ્યુ કેસ્ટેચ્યુ ઓફ યુનિટી માત્ર પ્રતિમા નથી પણ ભારત દેશના સ્વાભિમાનનું સ્થાન છેસરદાર પટેલનો શ્રેષ્ઠ ભારતનો સંકલ્પ સ્ટેચ્યુ ઓફ યુનિટીના માધ્યમથી સમગ્ર ભારતમાં પ્રસર્યો છે. સ્ટેચ્યુ ઓફ યુનિટીના પ્રદર્શનમાં સરદાર પટેલે કરેલા સંઘર્ષની હકીકત બતાવવાનો પ્રયાસ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કર્યો છે. 

ખાતરી સમિતીના સભ્ય કિરીટ પટેલે પોતાના પ્રતિભાવ વ્યક્ત કરતા જણાવ્યું કેઆજે સમિતિના ચેરમેન અને સભ્યો સાથે મુલાકાત કરીસૌથી પહેલા સુંદર પ્રતિમા બનાવવાનો વિચાર વડાપ્રધાન નરેન્દ્ર  મોદીને આવ્યોતેમને અભિનંદન આપું છુઆજે વિશ્વસ્તરે સુંદર મૂર્તિ તેઓએ બનાવી છે. લોખંડી પુરુષ સરદાર પટેલે સમગ્ર ભારતને એક તાંતણે જોડયો હતોતેમનું યોગદાન લોકોના દિલ અને દિમાગમાં રહે તે માટે પ્રદર્શન કક્ષમાં સુંદર વ્યવસ્થા કરી છે તેમને અભિનંદન આપુ છે અને ખાસ કરીને જે લોકોને આ વિચાર આવ્યો હોય તેમનો આભાર માનું છુ.