જૂનાગઢ : મહાનગરપાલિકામાં સ્ટાફની અછત અને યોગ્યતા વિનાના કર્મચારીથી કામગીરી ખોરંભે ચડી

જૂનાગઢ મહાનગરપાલિકા બની તેને 20 વર્ષ થયા છે,ત્યારે હજુ પણ કોઈ ક્વોલિફાઇડ કર્મચારીઓની ભરતી કરવામાં આવી નથી,અને મહાનગરપાલિકા રામભરોસે ચાલી રહી હોવાનું લાગી રહ્યું છે

New Update
  • જૂનાગઢ મનપામાં પોલમપોલ

  • સ્ટાફની અછતથી ખોરંભે ચઢ્યા કામ

  • યોગ્યતા વિનાના કર્મચારીઓ ચલાવી રહ્યા છે તંત્ર

  • ફાયરથી લઈને મુખ્ય શાખાઓમાં કર્મચારીઓની અછત

  • પદાધિકારી અને સત્તાધીશોની સ્ટાફની ભરતી માટે હૈયાધારણા 

જૂનાગઢ મહાનગરપાલિકા બન્યાને બે દાયકાનો સમય વીતી ગયો છે,પરંતુ યોગ્યતા વિનાના કર્મચારીઓ અને સ્ટાફની અછતથી મનપાની કામગીરી ખોરંભે ચડી છે,આ અંગે અધિકારીઓએ સ્ટાફ ભરતી માટેની પ્રક્રિયા કરવામાં આવી હોવાનું જણાવ્યું હતું.

જૂનાગઢ મહાનગરપાલિકા બની તેને 20 વર્ષ થયા છે,ત્યારે હજુ પણ કોઈ ક્વોલિફાઇડ કર્મચારીઓની ભરતી કરવામાં આવી નથી,અને મહાનગરપાલિકા રામભરોસે ચાલી રહી હોવાનું લાગી રહ્યું છે. હાલ જે પટાવાળા છે તેને કેશિયર અને સખાધિકારી બનીને પાલિકા તંત્રનો વહીવટ કરી રહ્યા છે.

જાણવા મળ્યા મુજબ ફાયર એન્જિનિયરથી લઈને અગત્યની શાખાઓમાં કોલિફાઈડ કર્મચારી નથી. અને પાલિકાના 50 ટકા જેટલા ટેબલો પર આવા કર્મચારી અને આઉટસોર્સના કર્મચારી કામ કરી રહ્યા છે.આ અંગે મનપાના કમિશનર અને સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેનને જણાવ્યું હતું કે હાલ ખાલી પડેલા ટેબલ અને યોગ્ય કોલિફાઈડ કર્મચારીઓની ભરતી પ્રક્રિયા ચાલુ છે.

આજ બાબતે વિરોધ પક્ષનાના નેતાએ જણાવ્યું હતું કે મનપામાં એન્જીનીયર પણ આઉટસોર્સના છે.અને તેઓ  દ્વારા જૂનાગઢના કરોડો રૂપિયાના કામો કરી દેવામાં આવે છે,તેમજ ભ્રષ્ટાચાર આચરવામાં આવી રહ્યો હોવાના આક્ષેપ કર્યા છે. વધુમાં જૂનાગઢ બાયપાસ રોડ અને ઓવરબ્રિજના 200થી 300 કરોડના કામો મંજૂર થયા છે. ત્યારે મનપા કમિશનર દ્વારા કર્મચારીઓ અને 3 એન્જીનીયરના અભાવને કારણે આ કામગીરી RMB અને પ્રવાસન વિભાગને સોંપવાની જાહેરાત કરી છે.

Read the Next Article

અમદાવાદ : ભગવાન જગન્નાથજીની રથયાત્રા પહેલા ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ કર્યું રૂટનું નિરીક્ષણ...

 અમદાવાદમાં આગામી તા. 27 જૂન-2025ના યોજાનારી ભગવાન જગન્નાથજીની 148મી રથયાત્રાને 2 દિવસ બાકી છે, ત્યારે ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ નેત્રોત્સવ વિધિ બાદ રથયાત્રાના

New Update

તા. 27 જૂનના રોજ ભગવાન જગન્નાથજીની 148મી રથયાત્રા

દેશમાં બીજા નંબરની સૌથી મોટી રથયાત્રાની તડામાર તૈયારી

ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી નેત્રોત્સવ વિધિમાં સહભાગી થયા

16 કિમીના રૂટ પર ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીનું ફૂટ પેટ્રોલિંગ

રથયાત્રાના રૂટ ઉપર સુરક્ષા વ્યવસ્થા અંગેની સમીક્ષા કરાય

 અમદાવાદમાં આગામી તા. 27 જૂન-2025ના યોજાનારી ભગવાન જગન્નાથજીની 148મી રથયાત્રાને 2 દિવસ બાકી છેત્યારે ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ નેત્રોત્સવ વિધિ બાદ રથયાત્રાના રૂટનું નિરીક્ષણ કર્યું હતું. તેમની સાથે રાજ્ય પોલીસ વડા અને શહેર પોલીસ કમિશનર પણ જોડાયા હતા. પોલીસ અધિકારીઓ સાથે ગૃહ રાજ્યમંત્રીએ 16 કિમીના રૂટ પર ફૂટ પેટ્રોલિંગ કર્યું હતું. આ સાથે જ રથયાત્રા રૂટ પર સુરક્ષા વ્યવસ્થા અને પોલીસ બંદોબસ્તની સમીક્ષા કરી હતી. આ અવસરે જમાલપુર-ખાડીયાના ધારાસભ્ય ઇમરાન ખેડાવાળા સહિત મુસ્લિમ સમાજના આગેવાનો દ્વારા ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીનું ફૂલહારથી સ્વાગત કરવામાં આવ્યું હતુંત્યારે હાલ તો દેશમાં બીજા નંબરની સૌથી મોટી ભગવાન જગન્નાથજીની રથયાત્રાને લઈ અમદાવાદમાં તડામાર તૈયારીઓ ચાલી રહી છે.