ભગુડા ખાતે યાદવ સમાજ સેવા વિકાસ ટ્રસ્ટ દ્વારા 151 આહીરાણી બહેનોને કટાર વિતરણ કરાઈ

ભાવનગર જિલ્લાના ભગુડા ખાતે યાદવ સમાજ સેવા વિકાસ ટ્રસ્ટ દ્વારા આયોજિત 151 આહીરાણી બહેનોને કટાર વિતરણના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું.

New Update

ભગુડામાં યાદવ સેવા ટ્રસ્ટ દ્વારા કાર્યક્રમનું આયોજન 

કટારનું વિધિવત રીતે કરાયું પૂજન 

151 આહીરાણી બહેનોને કટારનું કરાયું વિતરણ 

આહીરાણી બહેનોએ તલવાર રાસની બોલાવી રમઝટ 

ટ્રસ્ટમાં નિમણુંક કરેલ બહેનોને પત્ર એનાયત કરાયા  

ભાવનગર જિલ્લાના ભગુડા ખાતે યાદવ સમાજ સેવા વિકાસ ટ્રસ્ટ દ્વારા આયોજિત 151 આહીરાણી બહેનોને કટાર વિતરણના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું.

ભગુડા ખાતે  માઁ  મોગલના સાનિધ્યમાં યાદવ સમાજ સેવા વિકાસ ટ્રસ્ટ દ્વારા 151 આહીરાણી બહેનોને કટાર વિતરણ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં સૌ પ્રથમ જુદા જુદા રાજ્યોમાંથી પધારેલ યાદવ સમાજ સેવા વિકાસ ટ્રસ્ટના પદાધિકારીઓનું વાજતે ગાજતે સામૈયુ કરવામાં આવ્યું હતું,ત્યાર બાદ ભગુડા પ્રાથમિક શાળા ખાતે આહીર સમાજની પરંપરા મુજબ તિલક તેમજ પુષ્પ આપી સન્માન કરવામાં આવ્યું હતું.અને દીપ પ્રાગટ્ય કરી કાર્યક્રમને ખુલ્લો મુકવામાં આવ્યો હતો.જેમાં સૌ પ્રથમ યાદવ સમાજ સેવા વિકાસ ટ્રસ્ટમાં ગુજરાતના જુદા જુદા જિલ્લામાં નિમણુંક કરેલ બહેનોને નિમણુંક પત્ર આપવામાં આવ્યા હતા. બાદમાં આહીરાણી બહેનો દ્વારા તલવાર રાસ કરવામાં આવ્યો હતો.જેમાં બહેનોએ શાનદાર પર્ફોમન્સ કરી સૌ કોઈને મંત્રમુગ્ધ કર્યા હતા. યાદવ સમાજ સેવા વિકાસ ટ્રસ્ટ દ્વારા મોમેન્ટો આપી સન્માન કરવામાં આવ્યું હતું.ત્યાર બાદ શક્તિરૂપી કટારને યાદવ સમાજ સેવા વિકાસ ટ્રસ્ટના રાષ્ટ્રીય અધ્યક્ષ રાકેશ યાદવના હસ્તે વિધિવત પૂજા કરવામાં આવી હતી.બાદમાં તમામ બહેનોને કટાર અર્પણ કરવામાં આવી હતી.
આ કાર્યક્રમ ગુજરાત તેમજ જુદા જુદા રાજ્યોમાંથી પધારેલ અતિથિઓ રાષ્ટ્રીય અધ્યક્ષ રાકેશ યાદવ,પ્રદેશ અધ્યક્ષ અજય યાદવ, દિલ્હીના ધર્મેન્દ્ર યાદવ,બગદાણાના  કરણ ભમ્મર, ભગુડાના સરપંચ ગોદુ ભમ્મર,લોમા ભમ્મર,સખવદર સરપંચ અજુ કુવાડિયા, આહીર સમાજના અગ્રણીઓ તેમજ સમસ્ત ભગુડા ગામના ભાઈઓ તેમજ બહેનો ઉપસ્થિત રહ્યા હતા.
Read the Next Article

દાહોદ : ભાજપના નેતાની સ્કૂલમાં જ બાળકોના વાલીઓ લૂંટાયા, RTEના નિયમો વિરુદ્ધ 80 વિદ્યાર્થીઓ પાસેથી ફી ઉઘરાવી

દાહોદ જિલ્લાના દેવગઢ બારીયામાં ભાજપ નેતાની રત્નદીપ ઇન્ટરનેશનલ સ્કૂલે RTEના નિયમોનું  ઉલ્લંઘન કરીને 80 વિદ્યાર્થીઓ પાસે ફી ઉઘરાવી હોવાની ઘટનાએ શિક્ષણ જગતમાં ચકચાર મચાવી દીધી છે

New Update
  • દાહોદની સ્કૂલમાંRTE નિયમના ધજાગરા

  • ભાજપ નેતાની સ્કૂલે જ તોડ્યો નિયમ

  • નગરપાલિકાના પ્રમુખની સ્કૂલે તોડ્યો નિયમ  

  • 80 વિદ્યાર્થીઓ પાસેથી ઉઘરાવી સ્કૂલ ફી

  • PM મોદી અને કલેકટરને કરાઈ ફરિયાદ

દાહોદ જિલ્લાના દેવગઢ બારીયામાં ભાજપ નેતાની રત્નદીપ ઇન્ટરનેશનલ સ્કૂલેRTEના નિયમોનું  ઉલ્લંઘન કરીને 80 વિદ્યાર્થીઓ પાસે ફી ઉઘરાવી હોવાની ઘટનાએ શિક્ષણ જગતમાં ચકચાર મચાવી દીધી છે,હાલ જિલ્લા કલેકટર દ્વારા તપાસના આદેશ આપવામાં આવ્યા છે.

દાહોદ જિલ્લાના દેવગઢબારિયાની રત્નદીપ સ્કૂલે સરકારનાRTE નિયમોનું છડેચોક ઉલ્લંઘન કરીને તમામ હદ વટાવી દીધી છે. આ સ્કૂલેRTEના વિદ્યાર્થીઓ પાસેથી ફી વસૂલી હોવાનું સામે આવ્યું છે. આવા એકબે નહીંપણ 80થી વધુ વિદ્યાર્થીઓ છે. ખુદ જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારીએ એ વાત સ્વીકારી છે કે આ સ્કૂલેRTE એક્ટનો ભંગ કર્યો છે.

આ સ્કૂલ બીજા કોઇની નહીંપણ ગુજરાતમાં છેલ્લા 3 દાયકાથી રાજ કરનારા ભાજપના નેતાની છે. રત્નદીપ સ્કૂલના ટ્રસ્ટી ધર્મેશ કલાલ ભાજપના નેતા છે અને દેવગઢબારિયા નગરપાલિકાના પ્રમુખ છે.

એક વિદ્યાર્થીનેRTE એક્ટ હેઠળ ધોરણ 1થી રત્નદીપ સ્કૂલમાં ઇંગ્લિશ મીડિયમમાં એડમિશન મળ્યું હતુંપરંતુ સ્કૂલે તેની પાસેથી ફી માંગી હતી. ફી ન ભરતા સ્કૂલે તેના વાલીને બોલાવ્યા હતા અને કહ્યું હતું કે જ્યાં સુધી તમારી બાકીની રકમ નહીં ભરો ત્યાં સુધી તમારા દીકરાને સ્કૂલમાં બેસવા દેવામાં નહીં આવે. ત્યાર પછી વિદ્યાર્થીને ઘરે બેસીને ભણવાની ફરજ પડી હતી. તેના વાલીએ 10મી જુલાઇએ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને પત્ર લખીને રજુઆત કરી હતી.

આ પત્રમાં વાલીએ દાવો કર્યો કેRTE એક્ટ હેઠળ એડમિશન લીધું હોવા છતાં સ્કૂલે પહેલા ધોરણથી જ ફી માગવાનું ચાલુ કર્યું હતુંજેના કારણે અત્યાર સુધીમાં તેમણે અલગ અલગ સમયે કુલ 18 હજાર રૂપિયા ફી ભરી છે. તેમ છતાં હજુ પણ સ્કૂલ તરફથી ફી માંગવામાં આવે છે.

ગેરકાયદે ફી વસૂલતી આ સ્કૂલ માત્ર આ એક જ વિદ્યાર્થી નહીંપણ 80થી વધુ વિદ્યાર્થીઓ પાસેથી આ પ્રકારની ફી વસૂલ કરી છે.ઘટના પ્રકાશમાં આવ્યા બાદ જિલ્લા કલેકટર અને જિલ્લા શિક્ષણ વિભાગ દ્વારા જરૂરી તપાસ શરૂ કરવામાં આવી છે,જોકે હવે જોવું એ રહ્યું કે ભાજપના નેતાની  સ્કૂલ છે તો સરકારી તંત્ર તપાસ બાદ શું કાર્યવાહી કરે છે.