ખેડા : પ્રકૃતિ રક્ષણ સાથે આવક-વૃદ્ધિનો કિમિયો એટલે “મધમાખી પાલન”, જુઓ જાળિયાના યુવા ખેડૂતનું અનોખુ સાહસ...

ખેડા જિલ્લાના જાળિયા તાલુકાના 27 વર્ષીય યુવા ખેડૂતે સાહસ સાથે મધમાખી પાલનના વ્યવસાય થકી પોતાની આવકમાં વૃદ્ધિ કરી બતાવી છે.

New Update
ખેડા : પ્રકૃતિ રક્ષણ સાથે આવક-વૃદ્ધિનો કિમિયો એટલે “મધમાખી પાલન”, જુઓ જાળિયાના યુવા ખેડૂતનું અનોખુ સાહસ...

ખેડા જિલ્લાના જાળિયા તાલુકાના 27 વર્ષીય યુવા ખેડૂતે સાહસ સાથે મધમાખી પાલનના વ્યવસાય થકી પોતાની આવકમાં વૃદ્ધિ કરી બતાવી છે. ગુજરાત રાજ્યના ગામડાઓમાં કૃષિક્ષેત્રે ધરતીપુત્રો અવનવા પ્રયોગો કરી રહ્યા છે, ત્યારે ખેડા જિલ્લાના જાળિયા તાલુકાના 27 વર્ષીય યુવા ખેડૂત અર્જુનસિંહ ઝાલાએ પણ અનોખુ સાહસ કરી બતાવ્યુ છે.

જેમાં ખેતીના પૂરક એવા મધમાખી પાલનના વ્યવસાય થકી અર્જુનસિંહ ઝાલાએ પોતાની આવકમાં વૃદ્ધિ કરી છે. પ્રાયોગિક ધોરણે 100 મધપેટીથી શરૂઆત કરી, હાલ 1200થી વધુ મધ પેટીઓમાં મધમાખીઓનો ઉછેર કરવામાં આવ્યો હતો. મધમાખી ઉછેરની પેટી ખરીદીમાં પણ 55 ટકા સબસીડીનો લાભ લીધો હતો, ત્યારે મધમાખીના પાલનથી તેઓએ વાર્ષિક રૂ. 6 લાખથી વધુની આવક મેળવી છે. ખેડૂત અર્જુનસિંહ ઝાલાની પ્રેરણાથી ગામના અન્ય 19થી વધુ ખેડૂતો પણ હવે મધમાખી પાલનના વ્યવસાય સાથે જોડાયા છે.

Read the Next Article

સુરત : શિક્ષક પિતાએ બે પુત્રો સાથે અગમ્ય કારણોસર જીવન ટુંકાવ્યું, પોલીસે શરૂ કરી તપાસ,આપઘાતનું કારણ અકબંધ

સુરત શહેરમાં આજે બે કમકમાટીભર્યા સમાચાર સામે આવ્યા છે. આજે સવારે  સુરતના લસકાણા વિસ્તારમાં 34 વર્ષીય મહિલાએ પોતાના સાત વર્ષના દીકરાને ઝેરી દવા પીવડાવી અને

New Update

સુરતમાં સામૂહિક આપઘાતની ઘટના

શિક્ષક પિતાએ બે પુત્રો સાથે કર્યો આપઘાત

આપઘાત પાછળનું કારણ અકબંધ

પિતા પુત્રોના મૃતદેહ પોસ્ટમોર્ટમ અર્થે ખસેડાયા 

પોલીસે ઘટના અંગેની શરૂ કરી તપાસ

સુરત શહેરમાં આજે બે કમકમાટીભર્યા સમાચાર સામે આવ્યા છે. આજે સવારે  સુરતના લસકાણા વિસ્તારમાં 34 વર્ષીય મહિલાએ પોતાના સાત વર્ષના દીકરાને ઝેરી દવા પીવડાવી અને બાદમાં તે દવા પોતે પણ પી લીધી હતી. જેમાં માતાનું મોત નીપજ્યું હતું. જ્યારે બાળક સારવાર હેઠળ છે. ત્યારે હવે સુરતના ઉમરા વિસ્તારમાં આવેલી જિલ્લા પંચાયત ક્વાર્ટરમાં એક અત્યંત કરુણ ઘટના સામે આવી છે. અહીં એક પિતાએ પોતાના બે માસૂમ પુત્રો સાથે જીવનનો અંત આણ્યો છે. આ ઘટનાથી સમગ્ર વિસ્તારમાં શોકનું મોજું ફરી વળ્યું છે.

સુરતના ડિંડોલની મેરીમાતા સ્કૂલમાં શિક્ષક તરીકે ફરજ બજાવતા અલ્પેશ કાંતિભાઈ સોલંકી ઉં.વ. 41 મૂળ સાબરકાંઠા જિલ્લાના વિજયનગર તાલુકાના ચિઠોડા ગામના વતની છે,અને હાલ સુરતમાં પરિવાર સાથે રહે છે. મૃતક શિક્ષક અલ્પેશ સોલંકીએ પોતાના 2 વર્ષીય પુત્ર કર્નિશ અલ્પેશભાઈ સોલંકી અને 8 વર્ષીય પુત્ર ક્રીશીવ અલ્પેશભાઈ સોલંકી સાથે આપઘાત કરી લેતાં શોકનો માહોલ છવાયો છે. ગુરુવારે મોડી સાંજે તેમના ક્વાર્ટરમાંથી કોઈ પ્રતિસાદ ન મળતાં પાડોશીઓને શંકા ગઈ હતી. જ્યારે દરવાજો તોડીને અંદર જોયું તો ત્રણેય મૃત હાલતમાં મળી આવ્યા હતા. બંને બાળકોના મૃતદેહ બેડ પર મૃત અવસ્થામાં મળી આવ્યા હતાજ્યારે અલ્પેશભાઇની ડેડબોડી લટકતી હાલતમાં મળી આવી હતી.

આપઘાતનું ચોક્કસ કારણ હજુ સુધી જાણી શકાયું નથી. પોલીસને ઘટનાસ્થળેથી કોઈ સુસાઇડ નોટ મળી નથી. પ્રાથમિક તપાસમાં અગમ્ય કારણોસર આ પગલું ભર્યું હોવાનું મનાઈ રહ્યું છે. પોલીસે મૃતદેહોને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપીને વધુ તપાસ હાથ ધરી છે. આ ઘટના પાછળ કયું કારણ જવાબદાર છે તે જાણવા પોલીસે શિક્ષકના પરિવારજનો અને મિત્રોની પૂછપરછ શરૂ કરી છે.

Latest Stories