ખેડા : પ્રકૃતિ રક્ષણ સાથે આવક-વૃદ્ધિનો કિમિયો એટલે “મધમાખી પાલન”, જુઓ જાળિયાના યુવા ખેડૂતનું અનોખુ સાહસ...

ખેડા જિલ્લાના જાળિયા તાલુકાના 27 વર્ષીય યુવા ખેડૂતે સાહસ સાથે મધમાખી પાલનના વ્યવસાય થકી પોતાની આવકમાં વૃદ્ધિ કરી બતાવી છે.

New Update
ખેડા : પ્રકૃતિ રક્ષણ સાથે આવક-વૃદ્ધિનો કિમિયો એટલે “મધમાખી પાલન”, જુઓ જાળિયાના યુવા ખેડૂતનું અનોખુ સાહસ...

ખેડા જિલ્લાના જાળિયા તાલુકાના 27 વર્ષીય યુવા ખેડૂતે સાહસ સાથે મધમાખી પાલનના વ્યવસાય થકી પોતાની આવકમાં વૃદ્ધિ કરી બતાવી છે. ગુજરાત રાજ્યના ગામડાઓમાં કૃષિક્ષેત્રે ધરતીપુત્રો અવનવા પ્રયોગો કરી રહ્યા છે, ત્યારે ખેડા જિલ્લાના જાળિયા તાલુકાના 27 વર્ષીય યુવા ખેડૂત અર્જુનસિંહ ઝાલાએ પણ અનોખુ સાહસ કરી બતાવ્યુ છે.

Advertisment

જેમાં ખેતીના પૂરક એવા મધમાખી પાલનના વ્યવસાય થકી અર્જુનસિંહ ઝાલાએ પોતાની આવકમાં વૃદ્ધિ કરી છે. પ્રાયોગિક ધોરણે 100 મધપેટીથી શરૂઆત કરી, હાલ 1200થી વધુ મધ પેટીઓમાં મધમાખીઓનો ઉછેર કરવામાં આવ્યો હતો. મધમાખી ઉછેરની પેટી ખરીદીમાં પણ 55 ટકા સબસીડીનો લાભ લીધો હતો, ત્યારે મધમાખીના પાલનથી તેઓએ વાર્ષિક રૂ. 6 લાખથી વધુની આવક મેળવી છે. ખેડૂત અર્જુનસિંહ ઝાલાની પ્રેરણાથી ગામના અન્ય 19થી વધુ ખેડૂતો પણ હવે મધમાખી પાલનના વ્યવસાય સાથે જોડાયા છે.

Advertisment
Read the Next Article

સંઘપ્રદેશ દમણમાં થયેલી રૂ. 1.33 કરોડની ચોરીનો ભેદ પોલીસે ઉકેલી કાઢ્યો, દાહોદથી 3 તસ્કરોની ધરપકડ

તસ્કરોએ રાત્રે 2 વાગ્યા બાદ ઘરમાં પ્રવેશ કરી ચોરીની ઘટનાને અંજામ આપ્યો હતો. તસ્કરોએ સોનું અને 8 હજાર UK પાઉન્ડની રોકડ રકમની ચોરી કરી ફરાર થઈ ગયા હતા

New Update
  • સંઘપ્રદેશ દમણ ક્રાઇમ બ્રાન્ચ પોલીસને મળી સફળતા

  • 20 દિવસમાં જ રૂ. 1.33 કરોડની ચોરીનો ભેદ ઉકેલ્યો

  • દાહોદ ખાતેથી 3 આંતરરાજ્ય તસ્કરોની ધરપકડ કરી

  • સોનું અને 8 હજાર UK પાઉન્ડ રોકડની થઈ હતી ચોરી

  • પોલીસે 18 લાખ રૂપિયાનું 26 તોલા સોનું રિકવર કર્યું 

Advertisment

સંઘપ્રદેશ દમણ પોલીસે માત્ર 20 દિવસમાં જ મોટી દમણમાં થયેલી રૂ. 1.33 કરોડની ચોરીનો ભેદ ઉકેલી કાઢી 3 આંતરરાજ્ય તસ્કરોની ધરપકડ કરી રૂ. 18.17 લાખની કિંમતનું 261.530 ગ્રામ સોનું જપ્ત કર્યું છે.

ગત તા. 28 ફેબ્રુઆરી-2025ના રોજ સંઘપ્રદેશ દમણના મોટી દમણ વિસ્તારમાં આવેલ મંદિર શેરી વિસ્તારમાં રહેતા ઇશ્વરભાઈ ટંડેલના ઘરમાંથી ચોરી થઈ હતી. ટંડેલ પરિવાર લંડનથી ભારત આવ્યો હતોત્યારે તસ્કરોએ રાત્રે 2 વાગ્યા બાદ ઘરમાં પ્રવેશ કરી ચોરીની ઘટનાને અંજામ આપ્યો હતો. તસ્કરોએ સોનું અને 8 હજાર UK પાઉન્ડની રોકડ રકમની ચોરી કરી હતી. આ સાથે જ શ્રી રણછોડરાયજી મંદિરની દાનપેટીમાં રહેલ 20થી 25 હજારની રોકડ પર હાથફેરો કર્યો હતો. સમગ્ર મામલે દમણ ક્રાઇમ બ્રાન્ચના PSI ભરત પરમારના નેતૃત્વમાં તપાસ શરૂ કરવામાં આવી હતી.

જેમાં ટેકનિકલ એનાલિસિસ અને હ્યુમન ઇન્ટેલિજન્સના આધારે દાહોદથી 3 આરોપીઓની ધરપકડ કરવામાં આવી હતી. ચોરીને અંજામ આપનાર મુખ્ય આરોપી ભરત મોતીલાલ પંચાલ જે 50થી વધુ ગુનાઓમાં સંડોવાયેલો છે. તે ગુજસીટોક હેઠળ સજા પણ ભોગવી ચૂક્યો છેજ્યારે અન્ય 2 આરોપીઓમાં જિજ્ઞેશ રાજુભાઈ પંચાલ અને પંકજકુમાર ઉર્ફે પુનીત ભરતભાઈ સોનીનો સમાવેશ થાય છે.

પોલીસે આરોપીઓ પાસેથી 18 લાખ રૂપિયાનું 26 તોલા સોનું પણ રિકવર કર્યું છે. હાલ સમગ્ર મામલામાં વધુ લોકો સામેલ હોય તેવું પોલીસ જણાવી રહી છેત્યારે આગામી તપાસમાં વધુ લોકોને પોલીસ દ્વારા પકડવાની હિલચાલ શરૂ કરવામાં આવી છે. દમણ પોલીસની ઝડપી કાર્યવાહીથી સ્થાનિક લોકોમાં પોલીસ પ્રત્યે વિશ્વાસ વધ્યો છે.

Advertisment
Latest Stories