ખેડા : નડિયાદ-કપડવંજ રોડ પર લક્ઝરી બસ પલટી જતાં મુસાફર ફસાયો, જુઓ "LIVE" રેસક્યું...

ખેડા જિલ્લાના નડિયાદ-કપડવંજ રોડ પર લક્ઝરી બસ પલટી મારી જતાં તેમાં એક મુસાફર ફસાય ગયો હતો.

New Update
ખેડા : નડિયાદ-કપડવંજ રોડ પર લક્ઝરી બસ પલટી જતાં મુસાફર ફસાયો, જુઓ "LIVE" રેસક્યું...

ખેડા જિલ્લાના નડિયાદ-કપડવંજ રોડ પર લક્ઝરી બસ પલટી મારી જતાં તેમાં એક મુસાફર ફસાય ગયો હતો, ત્યારે ફાયર વિભાગની ટીમે ભારે જહેમત સાથે તેનું રેસક્યું કરી બહાર કાઢીને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડ્યો હતો.

મળતી માહિતી અનુસાર, રાજસ્થાનથી સુરત તરફ જઈ રહેલી એક લક્ઝરી બસને ખેડા જિલ્લાના નડિયાદ-કપડવંજ રોડ પર આવેલ વીણા પાટિયા નજીક અકસ્માત નડ્યો હતો. અચાનક લક્ઝરી બસ પલટી મારી જતાં રોડની સાઈડ પર આવેલ ખાડામાં ખાબકી હતી. આ દરમ્યાન બસમાં લગભગ 50 જેટલા મુસાફરો સવાર હતા, જે પૈકી એક મુસાફર બસમાં નીચેના ભાગે ફસાય ગયો હતો, જ્યારે 3 લોકોને સામાન્ય ઇજા પહોચી હતી.

જોકે, લક્ઝરી બસ પલટી મારી ગઈ હોવાની જાણ થતાં જ નડિયાદ ફાયર વિભાગની ટીમ તાત્કાલિક ઘટના સ્થળે દોડી આવી હતી, ત્યારે બસમાં ફસાયેલા મુસાફરને બહાર કાઢવા માટે સ્પેડર કટરની મદદથી બસનું પતરું કાપવા સહિત ફાયર ફાઇટરોએ રેસ્ક્યું ઓપરેશન હાથ ધર્યું હતું. આશરે દોઢ કલાકની ભારે જહેમત બાદ બસમાં ફસાયેલા મુસાફરને બહાર કાઢી સારવાર અર્થે નડિયાદ સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા. અકસ્માતની જાણ થતાં નડિયાદ, મહુધા અને કઠલાલ 108 ઈમરજન્સી સેવાની 4 એમ્બ્યુલન્સ સહિત મહુધા પોલીસ કાફલો ઘટના સ્થળે દોડી આવ્યો હતો.

Read the Next Article

પંચમહાલ : ઘોઘંબામાં કોંગ્રેસના નવનિયુક્ત વરણી કાર્યક્રમમાં અમિત ચાવડાએ બ્રિજ દુર્ઘટના મુદ્દે સરકાર પર કર્યા આકરા પ્રહાર

પંચમહાલ જિલ્લાના ઘોઘંબામાં કોંગ્રેસ સમિતિ દ્વારા હોદ્દેદારોની નવનિયુક્તિનો કાર્યક્રમ યોજાયો હતો,જેમાં ધારાસભ્ય અમિત ચાવડાએ ગંભીરા બ્રિજ દુર્ઘટના મુદ્દે સરકાર પર આકરા પ્રહાર કર્યા

New Update

ઘોઘંબામાં યોજાયો કોંગ્રેસનો કાર્યક્રમ

નવનિયુક્ત હોદ્દેદારોની કરાઈ વરણી

અમિત ચાવડા રહ્યા વિશેષ ઉપસ્થિત

ગંભીરા બ્રિજ દુર્ઘટના મુદ્દે સરકારને ઘેરી

રાજ્ય સરકાર પર કર્યા ગંભીર આક્ષેપ

પંચમહાલ જિલ્લાના ઘોઘંબામાં કોંગ્રેસ સમિતિ દ્વારા હોદ્દેદારોની નવનિયુક્તિનો કાર્યક્રમ યોજાયો હતો,જેમાં ધારાસભ્ય અમિત ચાવડાએ ગંભીરા બ્રિજ દુર્ઘટના મુદ્દે સરકાર પર આકરા પ્રહાર કર્યા હતા.

પંચમહાલ જિલ્લાના ઘોઘંબામાં કોંગ્રેસ સમિતિ દ્વારા નવનિયુક્ત હોદ્દેદારોની વરણી માટેના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું,આ કાર્યક્રમમાં કોંગ્રેસના ધારાસભ્ય અમિત ચાવડા ખાસ ઉપસ્થિત રહ્યા હતા.

આ કાર્યક્રમ દરમિયાન અમિત ચાવડાએ વડોદરાના પાદરા પાસે ગંભીર બ્રિજ દુર્ઘટના મુદ્દે પણ રાજ્ય સરકાર પર આકરા પ્રહારો કર્યા હતા,અને જણાવ્યું હતું કે આ બ્રિજના નવીનીકરણ માટે રજૂઆત કરવામાં આવી હતી,પરંતુ કોઈ રજૂઆતને ધ્યાન પર લેવામાં આવી નથી.

તેમજ બ્રિજ દુર્ઘટના માટે ગુજરાત સરકાર જવાબદાર હોવાના ગંભીર આક્ષેપ તેઓએ કર્યા હતા,વધુમાં સરકાર પોતાની નૈતિક જવાબદારી સ્વીકારીને  રાજીનામુ આપે તેવી માંગ પણ તેઓએ કરી હતી.