સુરેન્દ્રનગર : ધ્રાંગધ્રામાં વિશ્વ મધમાખી દિવસ નિમિત્તે ખેડૂત શિબિર યોજાઈ,મધમાખી ઉછેર અંગે માર્ગદર્શન અપાયું

વિશ્વ મધમાખી દિવસ નિમિત્તે ખેડૂત શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું,જેમાં નિષ્ણાતો દ્વારા મધમાખી ઉછેર અંગે વિશેષ માર્ગદર્શન આપવામાં આવ્યું

New Update
  • વિશ્વ મધમાખી દિવસની ઉજવણી

  • ધ્રાંગધ્રા બાગાયત કચેરી ખાતે ખેડૂત શિબિર યોજાઈ

  • ખેડૂતોમાં મધમાખી ઉછેર પ્રત્યે જાગૃતિ લાવવાનો પ્રયાસ

  • ખેડૂત મધમાખી ઉછેરથી મેળવી રહ્યા છે સારી આવક

  • ખેડૂત વિવિધ ફ્લેવરના મધનું કરે છે વેચાણ

સુરેન્દ્રનગર જિલ્લાના ધ્રાંગધ્રા બાગાયત કચેરી ખાતે વિશ્વ મધમાખી દિવસ નિમિત્તે ખેડૂત શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું,જેમાં નિષ્ણાતો દ્વારા મધમાખી ઉછેર અંગે વિશેષ માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.

સુરેન્દ્રનગર જિલ્લાના બાગાયત વિભાગ દ્વારા ધ્રાંગધ્રા ફળ રોપા ઉછેર કેન્દ્ર  ખાતે આવેલ નર્સરીમાં વિશ્વ મધમાખી દિવસની ઉજવણીના ભાગરૂપે મધમાખી શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં જિલ્લા નાયબ બાગાયત વિભાગના નિયામક  મુકેશ ગાલવાડિયા,મદદનીશ બાગાયત નિયામક વિજય કાલરીયાબાગાયત અધિકારી ગણપત ચૌધરીમયુરગિરિ ગૌસ્વામીસચિન શેઠકૌતિક ચોટલિયા તેમજ મધમાખી ઉછેર કરતા ભરત ડેડાનીયાએ  શિબિરમાં ઉપસ્થિત રહીને  પોતે અન્ય  ખેડૂતોને મધમાખી ઉછેર કરવા માટે યોગ્ય માહિતી આપી હતી.

આ પ્રસંગે બાગાયત ખાતાના અધિકારી દ્વારા મધમાખી ઉછેર કેન્દ્ર માટે સરકારની વિવિધ યોજનાઓ વિશે વિસ્તૃત માહિતી આપી હતી,અને ખેડૂત પણ મધમાખીઓનો ઉછેર કરીને સારી આવક પણ મેળવી રહ્યા છે.અને મધ ઉછેર કરતા ભરતભાઈ હાલ 400 પેટી થકી મધનું ઉત્પાદન કરીને સારી આવક મેળવી રહ્યા હોવાનું તેઓએ જણાવ્યું હતું. વરિયાળી,તલ,સરગવોઅજમોજેવા વિવિધ ફ્લેવરના મધનું વેચાણ કરી રહ્યા હોવાનું પણ તેઓએ જણાવ્યું હતું.આજે યોજાયેલ શિબિરમાં મધ માખી વિશે પ્રેક્ટિકલ માહિતી આપવામાં આવી હતી.આ શિબિરમાં ખેડૂતો  મોટી સંખ્યામાં જોવા મળ્યા હતા.

Read the Next Article

સાબરકાંઠા : હિંમતનગર ખાતે સાંસદે રેલવેના ઉચ્ચ અધિકારીઓ સાથે બેઠક યોજી, રેલવેના પડતર કામો વહેલી તકે પૂર્ણ થશે તેવી હૈયાધારણ આપી

સાબરકાંઠા અને અરવલ્લીમાં આવેલ અનેક રેલ્વે અંડરબ્રિજમાં ચોમાસામાં ભરાતા વરસાદી પાણીના નિકાલની સમસ્યાથી રેલવેના અધિકારીઓને સાંસદે વાકેફ કર્યા

New Update
shobhnaben baraiya

સાબરકાંઠા જિલ્લાના હિંમતનગર ખાતે સાંસદે રેલવેના ઉચ્ચ અધિકારીઓ સાથે બેઠક યોજી અસારવા-ઉદેપુર વંદેભારત ટ્રેન જલ્દી શરૂ થાય તેમજ હિંમતનગર-ખેડબ્રહ્મા રેલવે લાઈનનું કામ વહેલી તકે પૂર્ણ થશે તેવી હૈયાધારણ આપી હતી. 

સાબરકાંઠા અને અરવલ્લી જિલ્લામાંથી પસાર થઈને રાજસ્થાન સહિત અન્ય રાજયોમાં જતી કેટલીક ટ્રેનો અમદાવાદના અસારવાથી ઉપડી વાયા હિંમતનગર થઈ પસાર થાય છેત્યારે હજુ પણ પ્રજાને જરૂરી ટ્રેન સેવા સહિત અન્ય સગવડો મળી રહી છે તે અધુરી છેત્યારે શુક્રવારે સાબરકાંઠાના સાંસદે હિંમતનગરમાં રેલ્વેના અમદાવાદવડોદારા અને અજમેર ડીવીઝનના ઉચ્ચ અધિકારીઓ સાથે બેઠક યોજી હતી. જેમાં નવી ટ્રેનો શરૂ કરવા ઉપરાંત બંને જિલ્લામાં આવેલા રેલ્વે ઓવરબ્રિજ નીચે ચોમાસામાં ભરાઈ રહેતા પાણીના નિકાલની સમસ્યાથી અધિકારીઓને વાકેફ કરી યોગ્ય કરવાની માંગ કરી હતી.

જેના પ્રત્યુતરમાં રેલ્વેના અધિકારીઓએ દાવો કર્યો હતો કે, ટૂંક સમયમાં ગમે ત્યારે અસારવાથી ઉદેપુર વચ્ચે વંદેભારત ટ્રેન શરૂ કરવા માટેની તૈયારીઓને આખરી ઓપ આપી દીધો હોવાનું જણાવ્યું હતું. ઉપરાંત અન્ય નવી ટ્રેન શરૂ થાય તે માટે હિંમતનગરથી ખેડબ્રહ્મા વચ્ચેની બાકીની કામગીરી પણ જલ્દી પૂર્ણ થશે તેવી હૈયાધારણ આપી હતી.

હિંમતનગર ખાતે યોજાયેલ રેલ્વે અધિકારીઓે સાથેની બેઠકમાં સાબરકાંઠાના સાંસદ શોભના બારૈયાપૂર્વ ધારાસભ્ય મહેન્દ્રસિંહ બારૈયારમણલાલ વોરાજિલ્લા કલેકટર નારાણયસીંગ સાંદુ સહિત અન્ય અધિકારીઓ અને અન્ય અધિકારીઓની ઉપસ્થિતિમાં બેઠકમાં થયેલી ચર્ચા મુજબ રેલ્વે તંત્ર સાબરકાંઠા-અરવલ્લી અને રાજસ્થાનની પ્રજાને વધુ ટ્રેન સેવા આપવા માટે કટીબધ્ધ છેત્યારે જલ્દીથી અસારવાથી ઉદેપુર વચ્ચે વંદેભારત ટ્રેન શરૂ કરવા માટેની આખરી તૈયારીઓને ઓપ આપી દેવાયો છે.

જે ટૂંક સમયમાં શરૂ થવાની શકયતા છે. આ ઉપરાંત બેઠકમાં ત્રણેય ડીવીઝનના સિવિલ વિભાગના અધિકારીઓ સમક્ષ સાબરકાંઠા અને અરવલ્લીમાં આવેલ અનેક રેલ્વે અંડરબ્રિજમાં ચોમાસામાં ભરાતા વરસાદી પાણીના નિકાલની સમસ્યાથી વાકેફે કરવામાં આવ્યા હતા. જેથી આગામી સમયમાં સાંસદ સાથે યોજાયેલ બેઠકનો અહેવાલ ઉપસ્થિત રહેલા રેલ્વેના અધિકારીઓ સત્વરે ડિવીઝન મેનેજરને સુપ્રત કર્યા બાદ આગળની કાર્યવાહી થશે તેવો દાવો કરાયો હતો.

તો બીજી તરફહિંમતનગરઈડર અને ખેડબ્રહ્મા સહિતના અન્ય રેલ્વે સ્ટેશનો પર ચાલી રહેલી કામગીરી બેઠકમાં રજુ કરાઈ હતી. જે સત્વરે પૂર્ણ કરવા માટે રેલ્વે તંત્ર કટીબધ્ધ છેતેવું કહેવાયું હતું. સાથો સાથ પ્રર્વતમાન સમયમાં હિંમતનગર થઈ દોડી રહેલી ટ્રેનોની સંખ્યાસમય અને સ્ટોપેજ વધારવા માટે પણ બેઠકમાં ઉપસ્થિત લોકોએ રજુઆત કરી હતી.

Latest Stories