કચ્છ :  આકાશમાં સર્જાઈ આશ્ચર્યજનક ખગોળીય ઘટના,તેજસ્વી પ્રકાશ જોવા મળતા લોકોમાં સર્જાયું કુતુહલ,તજજ્ઞોના મતે મોટી ઉલ્કા હોઈ શકે!

કચ્છના આકાશમાં અચંબિત કરનાર ઘટના સર્જાઈ હતી.ભુજ તાલુકાના પૈયા ગામે રાત્રીના  3:12 વાગ્યાના આસપાસ આકાશમાં ચળકતો તેજસ્વી પ્રકાશ રેલાયો હતો. જેને

author-image
By Connect Gujarat Desk
New Update

આકાશમાં ખગોળીય ઘટનાથી કુતુહલ

આકાશમાં ચળકતો તેજસ્વી પ્રકાશ રેલાયો

ખગોળીય ઘટનામાં ઉલ્કા કહેવામાં આવે છે

ઘટના CCTV કેમેરામાં પણ થઇ કેદ

તારો તૂટતો હોય અથવા ઉલ્કા પડતી હોય તેવા દ્રશ્યો જોવા મળ્યા 

કચ્છના આકાશમાં અચંબિત કરનાર ઘટના સર્જાઈ હતી.ભુજ તાલુકાના પૈયા ગામે રાત્રીના  3:12 વાગ્યાના આસપાસ આકાશમાં ચળકતો તેજસ્વી પ્રકાશ રેલાયો હતો.જેને ખગોળીય ઘટનામાં ઉલ્કા કહેવામાં આવે છે.જોકે સર્જાયેલી ઘટનાને પગલે લોકોમાં ભારે કુતૂહલ સર્જાયું હતું.

ભુજ તાલુકાના પૈયા ગામે રાત્રીના 3:12 વાગ્યાના આસપાસ આકાશમાં ચળકતો તેજસ્વી પ્રકાશ રેલાયો હતો.તેમજ પાલારા પાસે પણ તેજસ્વી પ્રકાશ કેમેરામાં જોવા મળ્યો હતો.CCTV કેમેરામાં આ ખગોળીય ઘટના કેદ થઇ હતીજેણે સમગ્ર કચ્છમાં કૌતુક જગાવ્યું હતું.જોકેજાણકારોના મતે આ એક પ્રકારની મોટી ઉલ્કા છેજેને ફાયર બોલ કહી શકાય.

કચ્છના વિવિધ સોશિયલ મીડિયા પેજ પર સવારથી એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે. જેમાં ભુજ તાલુકાના પૈયા ગામની આસપાસ એક અદભુત ખગોળીય ઘટના નોંધાઈ હતી. રાત્રીના  3.12 વાગ્યે આકાશમાં અચાનક તેજ પ્રકાશ જોવા મળ્યો હતો.

 

ઉનાળાની ગરમીને કારણે ઘણા લોકો રાત્રે અગાસી પર સૂતા હતાત્યારે રાત્રે આકાશમાં તેજ પ્રકાશ સર્જાયો હતોઆ ખગોળીય ઘટના સ્થાનિક વિસ્તારમાં લાગેલા CCTV કેમેરામાં પણ કેદ થઈ હતી.CCTV કેમેરાના ફૂટેજમાં આકાશમાંથી તારો તૂટતો હોય અથવા ઉલ્કા પડતી હોય તેવા દ્રશ્યો જોવા મળ્યા હતા.આ ખગોળીય ઘટનાથી કચ્છના લોકોમાં ભારે કુતૂહલ સર્જાયું હતું. આ ઘટનાનાં CCTV ફૂટેજ પણ વાયુવેગે વાયરલ થયા હતા.

 કચ્છ યુનિવર્સીટીના હેડ ઓફ જી્યો સાયન્સ અને ડીન ફેકલ્ટી ઓફ સાયન્સના સુભાષ ભંડારીએ જણાવ્યું હતું કેખગોળીય ઘટના અંગે ઈસરોના વૈજ્ઞાનિકો તેમજ ફિઝિકલ રિસર્ચ લેબોરેટરી અમદાવાદ દ્વારા સંશોધન કરવામાં આવશે,જે સ્થળે ઘટના બની છે ત્યાં ક્યા પ્રકારના રેડિયેશન નીકળ્યા છે,તેની પણ તપાસ કરવામાં આવશે.

Read the Next Article

અમદાવાદ પ્લેન ક્રેશ દુર્ઘટના : 222 DNA મેચ થયા, અને 208 મૃતદેહ સોંપવામાં આવ્યા, કાટમાળમાંથી મળેલા 100 મોબાઈલની FSL કરશે તપાસ

અમદાવાદમાં એર ઈન્ડિયાના પ્લેન ક્રેશની ઘટનાનો આજે 8મો દિવસ છે, ત્યારે અમદાવાદ પોલીસ કમિશનર જી.એસ.મલિકએ માહિતી આપતા જણાવ્યું હતું કે, ગત તા. 12 જૂન-2025

New Update

એર ઈન્ડિયાના પ્લેન ક્રેશ ઘટનાનો આજે 8મો દિવસ

ઘટનાસ્થળેથી મૃતદેહના 318 અવશેષ મળી આવ્યા

222 DNA મેચ થયા208 મૃતદેહ સોંપવામાં આવ્યા

કાટમાળમાંથી મળી આવ્યા 100 જેટલા મોબાઇલ ફોન

પ્લેન પાર્ટ્સ ભેગા કરી રિકન્સ્ટ્રક્શન કરાશે : જી.એસ.મલિક

અમદાવાદમાં એર ઈન્ડિયાના પ્લેન ક્રેશની ઘટનાનો આજે 8મો દિવસ છેત્યારે અમદાવાદ પોલીસ કમિશનર જી.એસ.મલિકએ માહિતી આપતા જણાવ્યું હતું કેગત તા. 12 જૂન-2025 પ્લેન ક્રેશની દુર્ઘટના બની હતીજેમાં 242 મુસાફર સવાર હતા. બપોરે 1:40 કલાકે પ્લેન ક્રેશ થયું હતું. 1:42 કલાકે પોલીસ કંટ્રોલને જાણ થઈ હતી. બનાવની જાણ થતાં જ અમદાવાદ પોલીસ કમિશનર ઝોન-4ના DCP, આર્મીએરફોર્સપેરામિલિટરી સહિત તમામ ઉચ્ચ અધિકારીઓનો કાફલો ઘટના સ્થળે દોડી આવ્યો હતો. અત્યાર સુધીમાં 214 લોકોના DNA સેમ્પલ મેચ થઈ ચૂક્યાં છેઅને અન્ય 8 મળી કુલ 222 લોકોની ઓળખ થઈ ચૂકી છે. પોલીસને કાટમાળમાંથી અત્યાર સુધીમાં 318 જેટલા માનવઅંગો મળ્યા છેજે તપાસ માટે લેવામા આવ્યા હતા. અંદાજિત 7 કલાકમાં 51 રિલેટિવના સેમ્પલ પહોંચાડી દેવામા આવ્યા હતા. 36 કલાકમાં પહેલું DNA મળી ગયું હતુંઅને 24 કલાકમાં મૃતદેહ રવાના કરવામાં આવ્યો હતો. આ ઉપરાંત 222 DNA મેચ થયાં છેઅને 208 મૃતદેહ સોંપવામાં આવ્યા છે. ઘટના સ્થળે કાટમાળમાંથી 100 જેટલા મોબાઈલ મળતાં FSLમાં મોકલવામાં આવ્યા છે. મોબાઈલની તપાસમાં જાણવાનો પ્રયાસ કરાશે કેજ્યારે વિમાન ટેક-ઓફ થયું અને ક્રેશ થયું એ સમયગાળા દરમિયાન કોઈ મોબાઈલમાં અંતિમ ક્ષણનો વીડિયો રેકોર્ડ થયો છે કેનહીં. એર ઈન્ડિયાના ક્રેશ થયેલા પ્લેનના જે પાર્ટ્સ મળ્યા છેતેને એકત્ર કરી રિકન્સ્ટ્રક્શન કરવાનો પણ નિર્ણય કરાયો છે. પોલીસે ઇન્વેસ્ટિગેશન અને હોસ્પિટલ માટે અલગ અલગ ટીમ બનાવી હતી. ડિટેલ પોસ્ટમોર્ટમની જગ્યાએ પાર્સલ ઓટોપ્સીના ઓર્ડર કર્યા હતા. પ્લેન ક્રેશના 8મા દિવસે પણ મૃતદેહો સુપરત કરવાની પ્રક્રિયા ઝડપથી ચાલુ છે. વધુમાં એક કમિટી બનાવવામાં આવી છેજેમાં બ્લેક બોક્સ અને અન્ય જે વસ્તુ મળી છેતે અંગે તપાસ કરવામાં આવશે.