/connect-gujarat/media/post_banners/aa1188b300015ea0d4093df3d7fa7d0917a0b33401deb6f22f86298d1388fa16.webp)
દીનદયાળ પોર્ટ ઓથોરિટી કંડલા દ્વારા ૬૦મા નેશનલ મેરીટાઈમ દિવસના ઉપક્રમે ગાંધીધામ ખાતે પ્રેસમીટનું આયોજન કરવામાં આવ્યું હતું.દીનદયાળ પોર્ટ ઓથોરિટીના ચેરમેન એસ.કે.મહેતાએ આ પ્રસંગે કંડલા પોર્ટની સિદ્ધિઓ, આગામી વિકાસના પ્રોજેક્ટ અને સીએસઆર એક્ટિવિટી અંગે વિસ્તૃત માહિતી આપી હતી. ચેરમેને આ પ્રસંગે જણાવ્યું કે, દીનદયાળ પોર્ટ કંડલા દેશની પ્રગતિમાં મહત્વપૂર્ણ યોગદાન આપી રહ્યું છે. નાણાંકીય વર્ષ ૨૦૨૨-૨૩મા ૧૩૭.૫૬ મિલિયન મેટ્રિક ટન કાર્ગોના હેન્ડલિંગ સાથે ૧૬મી વાર પ્રથમ નંબરે રહીને દીનદયાળ પોર્ટ કંડલા એ વિક્રમજનક સિદ્ધિ હાંસલ કરી છે. દેશના મહત્ત્વના પોર્ટ સાથે દીનદયાળ પોર્ટ તંદુરસ્તીથી હરિફાઇ કરીને દેશના વિકાસમાં ભાગીદાર બની રહ્યું છે. છેલ્લા નાણાંકીય વર્ષ ૨૦૨૧-૨૨ કરતાં પોર્ટે ૮.૨૩ ટકાના ગ્રોથ સાથે આ લક્ષ્યાંક મેળવ્યો છે. દીનદયાળ પોર્ટે ૧૦૦૦ કરોડથી વધારે રૂપિયાનો નફો મેળવ્યો છે જે આગવી ઉપલબ્ધિ છે. આ ઉપરાંત તેઓએ ઉમેર્યું હતું કે, દીનદયાળ પોર્ટ ગાંધીધામ આદિપુર શહેરોમાં આધુનિક ઈન્ફ્રાસ્ટ્રક્ચર વિકસિત થાય એ દિશામાં પણ હકારાત્મક અભિગમ સાથે કામ કરી રહ્યું છે. રેલ, રોડ અને એર કનેક્ટિવિટી સુદ્ઢ થાય તે માટે વિવિધ ઓથોરિટી સાથે દીનદયાળ પોર્ટ કામગીરી કરી રહ્યું છે.