કચ્છ: ખાતરનો નીમકોટેડ ગેરકાયદેસર જથ્થો ઝડપાવવાના મામલામાં પોલીસ ફરિયાદ નોંધવાની તજવીજ શરૂ

નિમકોટેડ ખાતરનો ગેરકાયદેસર જથ્થો ઝડપાવાના મામલો સામે આવ્યો હતો જેમા અંજારના લાખાપર ગામે ખેડૂતોએ સબડીસીડાઇઝ નિમકોટેડ ખાતરનો ગેરકાયદેસર જથ્થો પકડી પાડ્યો

New Update

કરછમાંથી ઝડપાયો ખાતરનો ગેરકાયદેસર જથ્થો

નિમકોટેડ ખાતરનો ઝડપાયો હતો જથ્થો

યુરિયા ખાતરનો મોટો જથ્થો ઝડપાયો હતો

ખેતીવાડી વિભાગે પોલીસ મથકમાં આપી અરજી

પોલીસ ફરિયાદ નોંધવાની તજવીજ શરૂ

કચ્છમાં ખાતરની અછત વચ્ચે સબડીસીડાઇઝ નિમકોટેડ ખાતરનો ગેરકાયદેસર જથ્થો ઝડપાવાના મામલામાં ખેતીવાડી વિભાગે અંજાર પોલીસ મથકમાં અરજી આપી છે.

કચ્છમાં ખાતરની અછત વચ્ચે સબડીસીડાઇઝ નિમકોટેડ ખાતરનો ગેરકાયદેસર જથ્થો ઝડપાવાના મામલો સામે આવ્યો હતો જેમા અંજારના લાખાપર ગામે ખેડૂતોએ સબડીસીડાઇઝ નિમકોટેડ ખાતરનો ગેરકાયદેસર જથ્થો પકડી પાડ્યો હતો.બોલેરો પિકપ વાહનમાં સરદારનો બીલ વગરનું અંદાજિત 21,300 કિંમતનું ખાતર જપ્ત કરવામાં આવ્યું હતું.

45 કિલોની 80 બોરી કુલ 3600 કિલો યુરિયા ખાતરનું ઝડપી પાડવામાં આવ્યું હતું.ખેડૂતોએ કાયદેસરની કાર્યવાહી માટે ખેતી વિસ્તરણ અધિકારીને જાણ કરી હતી ત્યારે હવે ખેતી વિસ્તરણ અધિકારીએ અંજાર પોલીસ જાણ કરી જાણ જોગ ફરિયાદ નોંધાવી છે. જો કે ખાતરના સેમ્પલનું ટેસ્ટિંગ થયાં બાદ એફઆઈઆર દાખલ કરવામાં આવશે

Read the Next Article

ભરૂચ: ખાનગી ન્યુઝ ચેનલની ડિબેટમાં આદિવાસી સમાજ અંગે અપમાનજનક ટિપ્પણી કરનાર સામે કડક કાર્યવાહની કોંગ્રેસની માંગ

આદિવાસી સમાજના અગ્રણી તેમજ પૂર્વ કેન્દ્રીય મંત્રી અને વિરોધપક્ષના નેતા તુષાર ચૌધરી તેમજ આદિવાસી સમાજ અંગે અપમાનજનક નિવેદન કરવામાં આવ્યું હતું

New Update
  • ભરૂચ કલેકટરને પાઠવાયું આવેદનપત્ર

  • કોંગ્રેસ સમિતિ દ્વારા કરાય રજુઆત

  • ખાનગી ન્યુઝ ચેનલની ડિબેટમાં બન્યો હતો બનાવ

  • આદિવાસી સમાજ અંગે અપમાનજનક નિવેદન અપાયું

  • નિવેદન આપનાર રાજકીય વિશ્લેષક સામે કડક કાર્યવાહની માંગ

ભરૂચ જિલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા ખાનગી ન્યુઝ ચેનલની ડિબેટ દરમ્યાન આદિવાસી સમાજ અંગે અપમાનજનક ટિપ્પણી કરનાર રાજકીય વિશ્લેષક સામે કાયદેસરની કાર્યવાહી કરવાની માંગ સાથે કલેકટરને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું
ભરૂચ જિલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા આજરોજ કલેકટરને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું જેમાં જણાવ્યા અનુસાર તારીખ ૨૨ જુલાઇ ૨૦૨૫ના રોજ રાજકીય વિશ્લેષક જગદીશ મહેતા દ્વારા ખાનગી ન્યુઝ ચેનલની ડિબેટ દરમ્યાન આદિવાસી સમાજના અગ્રણી તેમજ પૂર્વ કેન્દ્રીય મંત્રી અને વિરોધપક્ષના નેતા તુષાર ચૌધરી તેમજ આદિવાસી સમાજ અંગે અપમાનજનક નિવેદન કરવામાં આવ્યું હતું જેનાથી સમગ્ર આદિવાસી સમાજના લોકોનું અપમાન અને લાગણી દુભાઈ છે.આથી સરકાર દ્વારા આ બાબતને ગંભીરતાથી લઇ તાત્કાલિક ધોરણે જગદીશ મહેતા વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે એવી માંગ કરવામાં આવી છે.