New Update
/connect-gujarat/media/post_banners/2f31627789487c9f65b9edabf8d25baac1431084d7ffd51fec174f9932729e9b.jpg)
નર્મદા કેનાલ આધારિત રાપર શહેર અને તાલુકાના મોટા મથકો ઉપર નર્મદા કેનાલના પાણી રાપર વિધાનસભા ધારાસભ્ય વિરેન્દ્રસિંહ બી જાડેજાનાં સફળ પ્રયાસોથી મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ પાસે રજુઆતનાં ફળ સ્વરૂપ આજે 300 ક્યુસેક પાણીનો જથ્થો નર્મદા કેનાલમાં છોડવામાં આવ્યો છે.
આ પ્રસંગે નર્મદા માતાનાં શ્રીફળ દ્વારા વધામણા રાપરના ધારાસભ્ય વિરેન્દ્રસિંહ જાડેજાનાં હસ્તે કરવામાં આવ્યા હતા.આ તકે મોટી સંખ્યામાં લોકો ઉમટ્યા હતા.