કચ્છ : BSF ગુજરાત ફ્રન્ટિયરના IG રવિ ગાંધી ભુજ સેક્ટરની મુલાકાતે, ખંતપૂર્વક ફરજ બજાવતા સૈનિકોને પ્રોત્સાહિત કર્યા

ભુજ સેક્ટરના 3 દિવસના પ્રવાસ દરમિયાન BSFમાં ગુજરાત ફ્રન્ટિયરના IG રવિ ગાંધીએ સરક્રીક અને હરામી નાળા વિસ્તાર તેમજ જખૌ સુધી ગુજરાતના દરિયાકાંઠે આવેલી ચોકીઓની મુલાકાત લીધી

New Update
કચ્છ : BSF ગુજરાત ફ્રન્ટિયરના IG રવિ ગાંધી ભુજ સેક્ટરની મુલાકાતે, ખંતપૂર્વક ફરજ બજાવતા સૈનિકોને પ્રોત્સાહિત કર્યા

કચ્છ જિલ્લાના ભુજ સેક્ટરના 3 દિવસના પ્રવાસ દરમિયાન BSFમાં ગુજરાત ફ્રન્ટિયરના IG રવિ ગાંધીએ સરક્રીક અને હરામી નાળા વિસ્તાર તેમજ જખૌ સુધી ગુજરાતના દરિયાકાંઠે આવેલી ચોકીઓની મુલાકાત લીધી હતી. તેમણે વર્તમાન સુરક્ષાની સમીક્ષા કરી હતી, અને આ વિસ્તારમાં BSF દ્વારા અપનાવવામાં આવેલા ઓપરેશનલ અને વહીવટી પગલાંની પણ સમીક્ષા કરી હતી.

IG રવિ ગાંધીએ બીએસએફમાં ગુજરાત ફ્રન્ટિયરના IG તરીકે પદભાર સંભાળ્યો, તે પહેલાં તેઓ દિલ્હીની બીએસએફની મુખ્ય ઓફિસમાં વહીવટી વિભાગના મહાનિરિક્ષક તરીકે કાર્યરત હતા. તેમણે ઉત્તર બંગાળ ફ્રન્ટિયરની સફળતાપૂર્વક કમાન સંભાળી હતી અને બાંગ્લાદેશની પૂર્વ સરહદની સુરક્ષા ચુસ્ત બનાવી હતી, ત્યારે કચ્છના ભુજ સેક્ટરના 3 દિવસના પ્રવાસ દરમિયાન તેઓએ કઠિન અને પડકારજનક પરિસ્થિતિઓ છતાં ખંતપૂર્વક ફરજ બજાવવા બદલ સૈનિકોને પ્રોત્સાહિત અને પ્રશંસા કરી હતી. IG રવિ ગાંધીએ સીમા સુરક્ષા દળની વિવિધ ચોકીઓની મુલાકાત દરમિયાન તેમના પ્રશ્નો જાણ્યા હતા, તેમજ તાત્કાલિક નિરાકરણ કરવાની પણ ખાતરી આપી હતી. IG રવિ ગાંધીએ સરહદી વિસ્તારના ગામો તેમજ શાળાઓની મુલાકાત લીધી હતી, જ્યાં બાળકોને સ્ટેશનરીની વસ્તુઓ પણ આપી હતી. સીમા પર હમેશા BSF તૈનાત છે અને હમેશા રહેશે, તેમ તેઓએ જણાવ્યું હતું.

Read the Next Article

સાબરકાંઠા : ખેડબ્રહ્મામાં ભારે વરસાદ વચ્ચે ખેતી નિષ્ફળ જવાની સંભાવના, 15 પશુઓના પણ મોત...

સાબરકાંઠા જિલ્લાના ખેડબ્રહ્મા વિસ્તારમાં ગતરાત્રિએ વ્યાપક વરસાદ નોંધાયો હતો. જેમાં ખેડબ્રહ્માના લક્ષ્મીપુરા ગલોડીયા તેમજ રોધરા ગામે વરસાદે વ્યાપક તારાજી સર્જી છે.

New Update
  • ખેડબ્રહ્મા પંથકમાં વરસ્યો હતો અનરાધાર વરસાદ

  • લક્ષ્મીપુરાગલોડીયા રોધરા ગામે તારાજી સર્જાય

  • 700 એકર જમીન ખેતી નિષ્ફળ જવાની સંભાવના

  • વરસાદ વચ્ચે 15 જેટલા પશુઓના મોત થયા

  • નુકસાન અંગે તંત્ર પાસે લોકોની મદદની અપેક્ષા

સાબરકાંઠા જિલ્લાના ખેડબ્રહ્મા વિસ્તારમાં ગતરાત્રિએ વ્યાપક વરસાદ નોંધાયો હતો. જેમાં ખેડબ્રહ્માના લક્ષ્મીપુરા ગલોડીયા તેમજ રોધરા ગામે વરસાદે વ્યાપક તારાજી સર્જી છે. રોધરા ગામે 700 એકર જેટલી જમીન ઉપર ખેતી નિષ્ફળ જવાની સંભાવનાઓ છે. તો બીજી તરફ 15 જેટલા પશુઓના મોત થયા છે.

સાબરકાંઠા જિલ્લાના ખેડબ્રહ્માના રોદરા ગામે વરસેલા 15 ઇંચ જેટલા વરસાદના પગલે સ્થાનિક કક્ષાએ ભારે તારાજી સર્જાય છે. ભારે વરસાદના પગલે સમગ્ર ગામમાં પાણી ફરી વળ્યા હતા. તો બીજી તરફ 700 એકર જેટલી જમીન ઉપર મગફળીના પાકને પણ વ્યાપક નુકસાન થયું છે. અહી 100 ટકા ડ્રીપ ધરાવનારા ગામની સમગ્ર ટપક સિંચાઈ પણ ધસમસતા પાણીના પ્રવાહમાં ખેંચાઈ ચૂકી છેજેના પગલે ખેડૂતોને પાક સહિત ડ્રીપ તણાઈ જવાથી વ્યાપક નુકસાન સર્જાયું છે. જોકેઅડધી રાત્રે આવેલા પૂરના પગલે 10થી 15 જેટલા પશુઓના પણ મોત થયા છે. ગામમાં થયેલા પારાવાર નુકસાન મામલે સ્થાનિકો તંત્ર પાસે મદદની અપેક્ષા રાખી રહ્યા છે.