મધ્યપ્રદેશ : ટ્રકનું ટાયર ફાટતાં ત્રણ બસો સાથે ગોજારો અકસ્માત, 17નાં મોત, 40 ઇજાગ્રસ્ત

New Update
મધ્યપ્રદેશ : ટ્રકનું ટાયર ફાટતાં ત્રણ બસો સાથે ગોજારો અકસ્માત, 17નાં મોત, 40 ઇજાગ્રસ્ત

મધ્યપ્રદેશમાં એક મોટી દુર્ઘટનામાં 17 લોકોના મોત થયાનું સામે આવ્યું છે. વાત જાણે એમ છે કે, ગઈકાલે મોડીરાત્રે સિધીમાં ચુરહટ-રીવા નેશનલ હાઈવે પર બડખારા ગામ પાસે માર્ગ અકસ્માતની ઘટના બની હતી. જેમાં 17 મુસાફરોના મોત થયા તો 40થી વધુ ઘાયલ થયા હતા. જેમાંથી 10ની હાલત અત્યંત નાજુક છે. વોગતો મુજબ મૃતકોમાંથી આઠનું ઘટનાસ્થળે જ મોત થયું હતું, જ્યારે બાકીના હોસ્પિટલમાં મૃત્યુ પામ્યા હતા.

મધ્યપ્રદેશના સિધીમાં ચુરહટ-રીવા નેશનલ હાઈવે પર બડખારા ગામ પાસે ટ્રકનું ટાયર ફાટવાને કારણે અકસ્માત સર્જાયો હતો. ટ્રકે પાછળથી પાર્ક કરેલી ત્રણ બસોને ટક્કર મારી હતી. અત્યાર સુધીમાં નવ મૃતકોની ઓળખ થઈ શકી છે. આ બસો સતનામાં આયોજિત કોલ સમાજના મહાકુંભમાં હાજરી આપીને સીધી પરત ફરી રહી હતી. આ કાર્યક્રમમાં કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ અને સીએમ શિવરાજ સિંહે પણ ભાગ લીધો હતો. નોંધનીય છે કે, સીએમ શિવરાજ સિધીમાં જ હોઇ માહિતી મળતા જ તેઓ ઘટનાસ્થળે પહોંચી ગયા હતા.

આ ઘટનાને લઈ પ્રત્યક્ષદર્શીઓએ જણાવ્યું કે, આ દુર્ઘટના મોહનિયા ટનલથી થોડે દૂર રાત્રે 9 વાગે થઈ હતી. અહીં એક ઝડપભેર ટ્રકે ત્રણ બસને ટક્કર મારી હતી. બે બસ 10 ફૂટ ઉંડી ખીણમાં પડી હતી. તે જ સમયે હાઈવે પર જ એક બસ પલટી ગઈ હતી. ટ્રક સિમેન્ટથી ભરેલી હતી, ટક્કર બાદ પલટી ગઈ હતી. 

Read the Next Article

સુરેન્દ્રનગર : વઢવાણના ગૌરવમય ઇતિહાસને ફરી જીવંત કરવાના પ્રયાસરૂપે “હેરિટેજ વોક” યોજાય...

સુરેન્દ્રનગર મહાનગરપાલિકા અને અતુલ્ય વારસા સંસ્થા દ્વારા વઢવાણના ગૌરવમય ઇતિહાસને ફરી જીવંત કરવાના અનોખા પ્રયાસરૂપે “હેરિટેજ વોક”નું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું.

New Update
  • મહાનગરપાલિકા અને અતુલ્ય વારસા સંસ્થા દ્વારા આયોજન

  • ઐતિહાસિક વારસો ધરાવતા વઢવાણ શહેરમાં આયોજન થયું

  • શહેરમાં પ્રથમ વખત હેરિટેજ વોકનું આયોજન કરવામાં આવ્યું

  • વઢવાણના ગૌરવમય ઇતિહાસને ફરી જીવંત કરવાનો પ્રયાસ

  • હજારો વર્ષ જૂના ઐતિહાસિક સ્થળોને આવરી લેવામાં આવ્યા

સુરેન્દ્રનગર મહાનગરપાલિકા અને અતુલ્ય વારસા સંસ્થા દ્વારા ઐતિહાસિક વારસો ધરાવતા વઢવાણ શહેરમાં પ્રથમ વખત હેરિટેજ વોકનું આયોજન કરવામાં આવ્યું હતું.

સુરેન્દ્રનગર મહાનગરપાલિકા અને અતુલ્ય વારસા સંસ્થા દ્વારા વઢવાણના ગૌરવમય ઇતિહાસને ફરી જીવંત કરવાના અનોખા પ્રયાસરૂપે હેરિટેજ વોકનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું. આ વોક વઢવાણના ઐતિહાસિક હવામહેલથી શરૂ થઈ માધાવાવ સુધી પહોંચી હતીજેમાં હજારો વર્ષ જૂના ઐતિહાસિક સ્થળોને આવરી લેવામાં આવ્યા હતા. આ માર્ગમાં રાણી કુંવરબાનું રાણકદેવી મંદિરકોટ વિસ્તારખાંડીપોળ જેવા ઐતિહાસિક સ્થળોએ થઈ માધાવાવ ખાતે સમાપન કરવામાં આવ્યું હતુંજ્યાં દિવડા પ્રગટાવીને વાવને જીવંત કરવાનો અનોખો પ્રયાસ કરવામાં આવ્યો હતોજેણે શ્રદ્ધા અને સંસ્કૃતિના મોજાં ઉભા કર્યા હતા. આ પ્રસંગે સુરેન્દ્રનગર મહાનગરપાલિકાના કમિશ્નર સહિતના અધિકારીઓ તેમજ મોટી સંખ્યામાં નગરજનો ઉપસ્થિત રહ્યા હતા.