Connect Gujarat
ગુજરાત

પ્રથમ જ્યોતિલિંગ એવા સોમનાથ મહાદેવ મંદિર વિશે મૌલાનાએ કરી વિવાદાસ્પદ ટિપ્પણી,પોલીસ ફરિયાદ નોંધાય

દેશના પ્રથમ જ્યોતિલિંગ એવા સોમનાથ મહાદેવ મંદિર વિશે ટિપ્પણી કરવી મુસ્લિમ ધર્મગુરુ મોલાનાને ભારે પડી અને તેના વિરુદ્ધ પોલીસ ફરિયાદ નોંધાવવામાં આવી છે

X

દેશના પ્રથમ જ્યોતિલિંગ એવા સોમનાથ મહાદેવ મંદિર વિશે ટિપ્પણી કરવી મુસ્લિમ ધર્મગુરુ મોલાનાને ભારે પડી અને તેના વિરુદ્ધ પોલીસ ફરિયાદ નોંધાવવામાં આવી છે

કરોડો હિંદુઓની આસ્થાનું પ્રતીક અને દેશનું પ્રથમ જ્યોતિલિંગ એવું સોમનાથ મંદિર હાલ એક ટિપ્પણીને લય ચર્ચામા આવ્યું છે.સોમનાથ મંદિર સદિયો પહેલા મહંમદ ગજનવીએ લૂંટી ધ્વસ્ત કર્યું હતું જો કે ત્યારબાદ સોમનાથ મંદિરનું બાંધકામ જાજરમાન થયું છે અને ભવ્ય મંદિર ફરી એક વખત નિર્માણ પામ્યું છે પરંતુ હજારો વર્ષ બાદ ફરી એક વખત મુસ્લિમ ધર્મગુરુ મોલાનાએ એવા શબ્દોથી હુમલો કર્યો હતો કે હજારો હિન્દુઓની આસ્થા સાથે ઠેસ પહોંચી છે

આખરે સોમનાથ ટ્રસ્ટ દ્વારા આ મુસ્લિમ ધર્મગુરુ મોલવી સાજીદ રશીદ વિરુદ્ધ સોમનાથ મંદિર પર ખોટી ટિપણી કરવા અને કરોડો હિંદુઓની આસ્થાને ઠેસ પહોંચાડવાના આરોપ સાથે ગીર સોમનાથના પ્રભાસ પાટણ પોલીસ સ્ટેશનમા ફરિયાદ દાખલ કરવાં આવતા ખળભળાટ મચ્યો છે

Next Story