મહેસાણા: દુનિયામાં સૌ પ્રથમ વખત બાયો વેસ્ટમાંથી CNG બનાવટો પ્લાન્ટ સ્થપાશે

મહેસાણા જિલ્લામાં દુનિયાનો સૌથી પહેલો બાયો વેસ્ટમાંથી બાયો CNG બનાવતો પ્લાન્ટ શરૂ થવા જઇ રહ્યો છે

New Update
મહેસાણા: દુનિયામાં સૌ પ્રથમ વખત બાયો વેસ્ટમાંથી CNG બનાવટો પ્લાન્ટ સ્થપાશે

મહેસાણા જિલ્લામાં દુનિયાનો સૌથી પહેલો બાયો વેસ્ટમાંથી બાયો CNG બનાવતો પ્લાન્ટ સ્થાપવાની તૈયારીઓ કરવામાં આવી રહી છે મહેસાણાની ફાર્મર પ્રોડ્યુસર કંપની દ્વારા આ પ્લાન્ટ તૈયાર કરવામાં આવશે ખેડૂતોથી બનેલી આ કંપની ઓર્ગેનિક ખેતી કરાવી ઘર આંગણે ઇંધણ ક્રાંતિ લાવશે.

મહેસાણા જિલ્લામાં દુનિયાનો સૌથી પહેલો બાયો વેસ્ટમાંથી બાયો CNG બનાવતો પ્લાન્ટ શરૂ થવા જઇ રહ્યો છે. નાગલપુર વિસ્તારમાં આ ઓફિસનો આરંભ કરવામાં આવ્યો હતો દૂધસાગર ડેરીના ચેરમેન અશોક ચૌધરીએ આ કંપનીની ઓફીસનો પ્રારંભ કરાવ્યો હતો આ પ્લાન્ટમાં માટી, રેતી, કપચી અને પથ્થરને બાદ કરતાં સળગી શકે તેવા તમામ કચરામાંથી બાયો CNG બનાવવાની ટેકનોલોજી વિકસાવામાં આવી છે કંપની દ્વારા હાલમાં લીલા ધાસમાંથી CNG બનવવાનું આયોજન કરવામાં આવ્યું છે જેને લઈ હાલમાં કંપની દ્વારા ખેડૂતોને આ ઘાસ માટેનું બિયારણ આપવામાં આવશે.

કંપની દ્વારા આ ઘાસ બિયારણ આપ્યા બાદ કંપની ખેડૂત પાસેથી ધાસની ખરીદી કરશે જેથી ખેડૂતોને પણ પોતાના પાકના પૈસા પૂરતા મળશે અને ત્યાર બાદ કંપની દ્વારા ધાસમાંથી બાયો CNG બનાવવામાં આવશે અને મહેસાણા જિલ્લામાં આ માટે CNG પમ્પ પણ ઉભા કરવામાં આવશે.

હાલમાં ભારતમાં મોટા પ્રમાણમાં બહારથી ગેસની આયાત કરવામાં આવે છે આ પ્લાન્ટની સ્થાપના કરવામાં આવતાં આગામી દિવસોમાં અહીંથી ગેસનું ઉત્પાદન અને અહીં તેનું સેલિંગ તેમજ ખેડૂત પાસેથી આ માટે કાચું મટેરિયલ ખરીદવાથી ખેડૂતોને આ પ્લાન્ટથી ફાયદો થાય તેવું આયોજન કરવામાં આવ્યું છે

Read the Next Article

ભાવનગર : પાલીતાણા રૂરલ પોલીસની સરાહનીય કામગીરી,વ્યાજખોરના ચુંગાલમાંથી પરિવારને કરાવ્યો મુક્ત

ભાવનગર જિલ્લાના પાલીતાણા તાલુકાના મોટી પાણીયારી ગામમાં વ્યાજખોરના ત્રાસથી પીડાતા ગરીબ પરિવાર માટે રૂરલ પોલીસ દેવદૂત બની છે.

New Update
  • પાલીતાણા પોલીસનો દેવદૂત અવતાર

  • વ્યાજખોરના ચુંગાલમાંથી પરિવાર મુક્ત

  • 3.50 લાખના ઘરેણાં અપાવ્યા પરત

  • રૂરલ પોલીસની સરાહનીય કામગીરી,

  • પોલીસે વ્યાજખોરને જેલમાં ધકેલ્યો

Advertisment

ભાવનગર જિલ્લાના પાલીતાણા તાલુકાના મોટી પાણીયારી ગામમાં વ્યાજખોરના ત્રાસથી પીડાતા ગરીબ પરિવાર માટે રૂરલ પોલીસ દેવદૂત બની છે.માત્ર 25 દિવસમાં કડક કાર્યવાહી કરીને પોલીસે પરિવારના 3.50 લાખના ઘરેણાં પરત અપાવ્યા હતા,અને વ્યાજખોરને જેલમાં ધકેલી દીધો હતો.

ભાવનગર જિલ્લાના પાલીતાણા તાલુકાના મોટી પાણીયારી ગામમાં રહેતા મગનભાઈજે હીરા ઘસવાના કામ સાથે સંકળાયેલા છેતેમના 10 વર્ષના દીકરાની ડાયાબિટીસની સારવાર માટે 2020માં ગામના જ વ્યાજખોર જેમા કાળુભાઈ વાળાની પાસેથી 3 લાખ રૂપિયા 10 ટકાના વ્યાજે લીધા હતા. ત્રણ વર્ષ સુધી વ્યાજ ચૂકવ્યા બાદ પણ મૂળ રકમ માટે કડક ઉઘરાણી ચાલુ રાખી હતી.દબાણ હેઠળ મગનભાઈએ પત્નીના 3.50 લાખના ઘરેણાં પણ વ્યાજખોરને આપી દીધા હતા.છતાં પણ વ્યાજખોરે વધુ 1.50 લાખની માંગણી કરી હતી.

આર્થિક અને માનસિક ત્રાસથી ભાંગી પડેલા પરિવારે આખરે પોલીસનો સહારો લીધો હતો. પાલીતાણા રૂરલ પોલીસની ટીમે માત્ર 25 દિવસમાં કાર્યવાહી કરીને ઘરેણાં પરત અપાવ્યા અને વ્યાજખોરને જેલના સળિયા પાછળ ધકેલી દીધો હતો. આ કામગીરીએ વ્યાજખોરોના ત્રાસનો સામનો કરતા અનેક પરિવારો માટે આશાનું કિરણ ફેલાવ્યું છે.