નર્મદા: પોલીસ સ્ટેશનમાં હાજર થવા જતા MLA ચૈતર વસાવાને પોલીસે અટકાવ્યા,પોલીસ સરકારની એજન્ટ હોવાનો કર્યો આક્ષેપ

રાજપારડી અને અંકલેશ્વર જીઆઇડીસી પોલીસ મથકે થયેલ ફરિયાદને લઇ ધારાસભ્ય ચૈતર વસાવા પોલીસ સ્ટેશનમાં હાજર થવા જઈ રહ્યા હતા અને ત્યારે પોલીસ દ્વારા ચૈતર વસાવાને રસ્તામાં અટકાવવામાં આવ્યા

New Update
  • MLA ચૈતર વસાવા સામે પોલીસ ફરિયાદનો મામલો

  • પોલીસ મથકમાં હાજર થવા જતા બની ઘટના

  • ચૈતરને માર્ગમાં જ અટકાવતી પોલીસ 

  • ચૈતરના સરકાર પર આક્ષેપ

  • પોલીસ એજન્ટ બનીને કામ કરી રહી હોવાના કર્યા આક્ષેપ

નર્મદા જિલ્લાના ડેડીયાપાડાના આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ચૈતર વસાવા સામે રાજપારડી અને અંકલેશ્વર જીઆઇડીસી પોલીસ મથકમાં ફરિયાદ દર્જ કરવામાં આવી હતી,જે કેસમાં પોલીસ મથકમાં હાજર થવા જતા ચૈતર વસાવાને પોલીસે માર્ગમાં જ અટકાવી દીધા હતા.આ તબક્કે પોલીસ સરકારીની એજન્ટ બનીને કામ કરતી હોવાના આક્ષેપ ચૈતર વસાવાએ કર્યા હતા.

આમ આદમી પાર્ટીના ડેડીયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવા હાલ રાજપારડી અંકલેશ્વર પોલીસ સ્ટેશને હાજર થવા જઈ રહ્યા હતાઆ દરમિયાન ધારાસભ્ય ચૈતર વસાવાને પોલીસે ડેડિયાપાડાના નવાગામ પાસે અટકાવી દીધા હતા.રાજપારડી અને અંકલેશ્વર જીઆઇડીસી પોલીસ મથકે થયેલ ફરિયાદને લઇ ધારાસભ્ય ચૈતર વસાવા પોલીસ સ્ટેશનમાં હાજર થવા જઈ રહ્યા હતા અને ત્યારે પોલીસ દ્વારા ચૈતર વસાવાને રસ્તામાં અટકાવવામાં આવ્યા હતા. 

આ દરમિયાન ધારાસભ્ય ચૈતર વસાવાએ મીડિયા સમક્ષ જણાવ્યું હતું કેઅમારો અવાજ દબાવવા અને અમને માથાભારે સાબિત કરવા ભાજપના નેતાઓના ઇશારે પોલીસ અધિકારીઓએ જાતે અરજદાર બની બે ફરિયાદ કરી છે.

વધુમાં તેઓએ રોષ પૂર્વક જણાવ્યું હતું કે મારા ઘરે રાત્રેથી પોલીસ મુકીને ભયનો માહોલ ઉભો કરવામાં આવ્યો છે.પોલીસ કાયદો વ્યવસ્થા જાળવવાને બદલે એજન્ટ બનીને કામ કરી રહી છે.આજે ભાજપ પૈસાપાવરપોલીસ, ED, સીબીઆઈ અને વહીવટી તંત્રનો ઉપયોગ કરીને રાજ ચલાવી રહી છે. ઉલ્લેખનીય છે કે આગામી સમયમાંMLA ચૈતર વસાવા અને પોલીસ વચ્ચેનો આ મુદ્દો વધુ પેચીદો બને તેવા એંધાણ વર્તાય રહ્યા છે.

Read the Next Article

ભરૂચ: સ્તંભેશ્વર મહાદેવ પર 225 ભક્તોએ કર્યો જળાભિષેક, પાદરાથી 53 કી.મી.નું અંતર પગપાળા કાપી પહોંચ્યા કંબોઈ

ભરૂચના જંબુસર સ્થિત સ્તંભેશ્વર મહાદેવ મંદિર ખાતે માતૃત્વ ટ્રસ્ટ દ્વારા ત્રીજા વર્ષે કાવડ યાત્રાનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું જેમાં વડોદરાના પાદરાથી 225 જેટલા ભક્તોએ 53 કી.મી.નું

New Update

જીવનો શિવ સાથે મિલન કરાવતો પવિત્ર શ્રાવણ માસ

ભક્તો મહાદેવની ભક્તિમાં બન્યા લીન

પાદરાથી કાવડયાત્રાનું કરાયુ આયોજન

53 કી.મી.નું અંતર કાપી પહોંચ્યા કંબોઈ

મહાદેવ પર જળાભિષેક કરાયો

ભરૂચના જંબુસર સ્થિત સ્તંભેશ્વર મહાદેવ મંદિર ખાતે માતૃત્વ ટ્રસ્ટ દ્વારા ત્રીજા વર્ષે કાવડ યાત્રાનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું જેમાં વડોદરાના પાદરાથી 225 જેટલા ભક્તોએ 53 કી.મી.નું અંતર પગપાળા કાપી શિવજી પર જળાભિષેક કર્યો હતો
પવિત્ર શ્રાવણ માસ નિમિત્તે ભક્તિભર્યો માહોલ જોવા મળ્યો હતો જ્યારે ભરૂચના જંબુસર તાલુકામાં આવેલ કંબોઈ સ્થિત સ્તંભેશ્વર મહાદેવ મંદિર ખાતે માતૃત્વ ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા ત્રીજા વર્ષ પણ કાવડ યાત્રાનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું.આ વર્ષે કાવડ યાત્રાનો પ્રારંભ પાદરાથી કરવામાં આવ્યો હતો. કુલ 225 ભક્તોએ લગભગ 53 કિલોમીટરનું અંતર કાપીને ડી.જે.ના ભક્તિમય સંગીત અને બમ બમ ભોલે ના નાદ સાથે યાત્રા પૂર્ણ કરી હતી. યાત્રાના અંતે કાવડિયાઓ કલકત્તાની હુબલી નદીનું ગંગાજળ લાવીને સ્તંભેશ્વર મહાદેવના પાવન શિવલિંગ પર અભિષેક કર્યો હતો.