અંકલેશ્વરથી નેત્રંગને જોડતા સ્ટેટ હાઇવે પર ખાડાઓથી વાહનચાલકો પરેશાન

માર્ગ પરથી રોજના સેંકડો વાહનચાલકો પસાર થાય છે પરંતુ માર્ગ પર મોટા મોટા ખાડા પડી જતા વાહન ક્યાં ચલાવવું તેનો પ્રશ્ન ઉભો થયો છે. માર્ગની બદથીબત્તર હાલત થઈ છે જેના કારણે અનેક વાહનચાલકો મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે.

New Update
વરસાદી માહોલમાં માર્ગોની બિસ્માર હાલત
અંકલેશ્વરથી નેત્રંગને જોડતો માર્ગ બિસ્માર
ઠેર ઠેર ખાડા પડયા
વાહનચાલકોને પારાવાર મુશ્કેલી
માર્ગના તાત્કાલિક સમારકામની માંગ
અંકલેશ્વર થી નેત્રંગને જોડતા સ્ટેટ હાઇવે નો માર્ગ અતિ બિસ્માર બનતા વાહન ચાલકો પારાવાર મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે. 
અંકલેશ્વરથી વાલીયા નેત્રંગ અને મહારાષ્ટ્રને જોડતો અતિમહત્વનો માર્ગ ચોમાસાના સમયમાં બિસ્માર બન્યો છે.આ માર્ગ પરથી રોજના સેંકડો વાહનચાલકો પસાર થાય છે પરંતુ માર્ગ પર મોટા મોટા ખાડા પડી જતા વાહન ક્યાં ચલાવવું તેનો પ્રશ્ન ઉભો થયો છે.
તાજેતરમાં જ અંકલેશ્વરના કોસમડીથી નેત્રંગ સુધીના 37 કી.મી.ના માર્ગના સમારકામ માટે ટેન્ડર મંજુર કરવામાં આવ્યું હતું પરંતુ 3-4 મહિનાથી કામગીરી શરૂ થઈ ન હતી જેના કારણે માર્ગની બદથીબત્તર હાલત થઈ છે જેના કારણે અનેક વાહનચાલકો મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે. વાલીયા અને નેત્રંગના ગ્રામ્ય વિસ્તારોમાંથી અનેક લોકો ધંધા રોજગાર અર્થે અંકલેશ્વર આવે છે પરંતુ બિસ્માર માર્ગના કારણે તેઓએ મુશ્કેલી વેઠવાનો વારો આવે છે.
આ ઉપરાંત માર્ગ પર પડેલા મોટા ખાડાના કારણે અકસ્માતનો પણ ભય સેવાઈ રહ્યો છે તો સાથે જ ભારે ટ્રાફિકજામની પણ પરિસ્થિતિનું નિર્માણ થાય છે. આ માર્ગ પરથી ખનીજ ભરેલા ઓવરલોડ વાહનો પસાર થાય છે જેના કારણે માર્ગને વધુ નુકસાન થઈ રહ્યું છે ત્યારે આ માર્ગનું તાત્કાલિક સમારકામ કરાવવામાં આવે તેવી  વાહનચાલકો માંગ કરી રહ્યા છે
Read the Next Article

ભરૂચ : આમોદના આછોદ રોડ પર કેમિકલ ભરેલ ટેન્કર પલટી, અકસ્માતથી જાનહાનિ ટળી

આમોદ તાલુકાના આછોદ રોડ પર આવેલા પેટ્રોલ પંપ નજીક દહેજ કંપનીમાંથી વડોદરા જતા કેમિકલ ભરેલ ટેન્કર રોડની સાઈડમાં પલટી માર્યું હતું. ટેન્કર (નંબર GJ-12-AY-3678)નો ડ્રાઈવર સ્ટિયરિંગ

New Update
gujarat

આમોદ તાલુકાના આછોદ રોડ પર આવેલા પેટ્રોલ પંપ નજીક દહેજ કંપનીમાંથી વડોદરા જતા કેમિકલ ભરેલ ટેન્કર રોડની સાઈડમાં પલટી માર્યું હતું. ટેન્કર (નંબર GJ-12-AY-3678)નો ડ્રાઈવર સ્ટિયરિંગ પરથી કાબૂ ગુમાવતા ટેન્કર પલટી ગયુ હતું. સદનસીબે આ ઘટનામાં કોઈ જાનહાનિ થઈ નથી.

પ્રાપ્ત માહિતી મુજબ ટેન્કરમાં ભરાયેલ કેમિકલના વાસથી રોડ પરથી પસાર થતા વાહનચાલકોની આંખોમાં અને ગળામાં ચળચળાટ થતો હોવાનું જણાવાયું છે. સ્થાનિકોનો આક્ષેપ છે કે ટેન્કર જે ખાડામાં પલટી માર્યું છે તેમાં ભરાયેલા પાણીમાંથી સ્થાનિક ઢોર પણ પીવે છે, જેના કારણે પશુઓના જીવને જોખમ ઉભું થયું છે.આ કેમિકલથી સ્વાસ્થ્યને નુકસાન ન થાય તે માટે તેમજ પરિસ્થિતિ વધુ ગંભીર ન બને તે માટે સ્થાનિક લોકો દ્વારા તાત્કાલિક ટેન્કર ઊભું કરવા અને અસરગ્રસ્ત વિસ્તારમાં સફાઈ કરવા માંગણી કરવામાં આવી છે.