સોમનાથ : 30 કરોડ રૂપિયાના પ્રોજેકટસનું લોકાર્પણ, શિવ જ વિનાશમાં વિકાસની સંભાવનાઓ આપે છેઃ નરેન્દ્ર મોદી
સોમનાથમાં 45 કરોડ રૂપિયાના ખર્ચે બન્યો વોક -વે, મહારાણી અહલ્યાદેવી મંદિરનું નવીનીકરણ થયું મંદિર.
શ્રાવણ મહિનાના પવિત્ર માસમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સોમનાથ ખાતે વોક- વે સહિતના પ્રોજેકટનું ઇ- લોકાર્પણ કર્યું હતું. ખાસ કરીને અફઘાનિસ્તાનમાં ચાલી રહેલી અરાજકતા બાબતે વડાપ્રધાને આડકતરી રીતે જણાવ્યું હતું કે, શિવ જ વિનાશમાં વિકાસની સંભાવનાઓ આપે છે.
અરબી સમુદ્રના તટે વસેલાં સોમનાથ મહાદેવનું પૌરાણિક મંદિર આવેલું છે. સોને મઢેલા આ મંદિરને અનેક વખત વિદેશી શાસકોએ લુંટયું છે પણ સોમનાથ મંદિર આજે નવા રૂપ અને રંગ સાથે ઉભરી આવ્યું છે. સોમનાથ મહાદેવના દર્શને આવતાં શ્રધ્ધાળુઓ અરબી સમુ્દ્રના કિનારે મનોરંજન માણી શકે તે માટે અંદાજે 45 કરોડ રૂપિયાના ખર્ચથી વોક- વે બનાવવામાં આવ્યો છે. આ ઉપરાંત જુના સોમનાથ તરીકે ઓળખાતા અહલ્યાદેવી મંદિરનું નવીનીકરણ કરાયું છે. સોમનાથ દાદાની ધરા સ્વચ્છ અને સુંદર રહે તે માટે ઘન કચરાના વૈજ્ઞાનિક ઢબે નિકાલ માટે વેસ્ટ મેનેજમેન્ટ પ્લાન્ટ બનાવાયો છે.
વડાપ્રધાન મોદી અને ગૃહમંત્રી અમિત શાહ વિડીયો કોન્ફરન્સથી જોડાયા હતાં જયારે સોમનાથ ખાતે મુખ્યમંત્રી વિજય રૂપાણી અને પ્રવાસન મંત્રી જવાહર ચાવડા સહિતના મહેમાનો હાજર રહયાં હતાં. અત્રે ઉલ્લેખનીય છે કે, દેશના પુર્વ ગૃહમંત્રી લાલકુષ્ણ અડવાણીએ 1992માં રથયાત્રા કાઢી હતી અને ત્યારથી સોમનાથ મહાદેવનું મંદિર પણ ચર્ચામાં આવી ગયું હતું. આજના કાર્યક્રમમાં તમામ નેતાઓએ લાલકૃષ્ણ અડવાણીને યાદ કર્યા હતાં. વડાપ્રધાન મોદીએ પોતાના સંબોધનમાં જણાવ્યું હતું કે, શિવ જ વિનાશમાં વિકાસની સંભાવનાઓ આપે છે અને સમય મુજબ આવતી પરિસ્થિતિને લડવાની હિંમત પણ શિવ જ આપે છે. સોમનાથ મંદિર હજારો વર્ષોથી પ્રેરણા આપી રહ્યું છે. આસ્થાને આંતકથી કચડી શકાતી નથી, એનું પ્રતીક સોમનાથ મંદિર છે.
રૂ. 20 કરોડ : ભરૂચના દહેજથી રાજસ્થાનના બાડમેર સુધી 2 મહાકાય રિએક્ટર...
8 Aug 2022 8:32 AM GMTરક્ષાબંધનના દિવસે રાખડી બાંધવાનો સમયગાળો સવારે નહીં, પણ રાતે રહેશે...
6 Aug 2022 10:57 AM GMTઅંકલેશ્વર: સરદાર પટેલ હોસ્પિટલ નજીક ફાયરિંગમાં ઘવાયેલ ટ્રાવેલ્સ...
9 Aug 2022 10:58 AM GMTઅંકલેશ્વર : ઓરિસ્સાના 4 યુવાનો ટ્રાવેલ બેગમાં ગાંજાના મોટા જથ્થા સાથે...
10 Aug 2022 10:54 AM GMTઆઝાદીના અમૃતકાળના પર્વ પર અંકલેશ્વરની આ હોટલમાં આપને મળશે માત્ર 75...
11 Aug 2022 12:40 PM GMT
રાજ્યમાં આજે કોરોનાના 459 નવા કેસ નોધાયા, 922 દર્દીઓએ કોરોનાને આપી...
12 Aug 2022 4:45 PM GMTભરૂચ: K.J.ચોકસી પબ્લિક લાયબ્રેરીના ગ્રંથપાલ દ્વારા આઝાદીના અમૃતકાળની...
12 Aug 2022 3:20 PM GMTઅંકલેશ્વર : GIDCમાં આવેલ યોગેશ્વરનગરમાં 28 વર્ષીય યુવકે ગળેફાંસો ખાઈ...
12 Aug 2022 3:02 PM GMTઅંકલેશ્વર : ગડખોલ વિસ્તારની રાધેક્રિષ્ના સોસાયટીમાં પ્રાથમિક સુવિધાનો...
12 Aug 2022 2:18 PM GMTભરૂચ : નદી કાંઠાના ગામોને એલર્ટ કરાયા, સરદાર સરોવર ડેમમાંથી 1.50 લાખ...
12 Aug 2022 1:24 PM GMT