નર્મદા જિલ્લાના પોઈચા ખાતે સુરતથી ફરવા આવેલા 3 નાના બાળકો સહિત 8 પ્રવાસીઓ નર્મદા નદીના પાણી ગરકાવ થતાં ચકચાર મચી જવા પામી હતી.
મળતી માહિતી અનુસાર, સુરત ખાતે રહેતા 8 પ્રવાસીઓ નર્મદા જિલ્લાના પોઇચા ખાતે ફરવા આવ્યા હતા. અમરેલી જિલ્લાના મૂળ વતની અને હાલ સુરત ખાતે રહેતા પ્રવાસીઓ પોઈચા ખાતે નર્મદા નદીમાં નાહવા પડ્યા હતા. આ દરમ્યાન 3 નાના બાળકો સહિત 8 પ્રવાસીઓ પાણીમાં ગરકાવ થયા હતા. જોકે, બચાવો બચાવોની બૂમો ઉઠતા સ્થાનિક નાવિકો પણ બચાવવા માટે પાણીમાં કુદ્યા હતા. કુલ 8 પ્રવાસીઓમાં 3 નાના બાળકો હતા. જેમાં સ્થનિકોએ એક વ્યક્તિને પાણીમાં ડૂબતા આબાદ બચાવ્યો હતો. જોકે, હજુ 7 લાપતા લોકોની શો