/connect-gujarat/media/post_banners/0fd0f135a57ed8ea10583558177315716452483490c0d7f3d5fe15ead81f3d75.jpg)
લોકસભાની ચૂંટણીમાં પ્રચારના શ્રી ગણેશ
મનસુખ વસાવાએ કુળદેવી સમક્ષ શીશ ઝુકાવ્યુ
પાંડોરી માતાના દર્શન કર્યા
ભાજપની ભવ્ય જીત માટે કરી કામના
મોટી સંખ્યામાં આગેવાનો જોડાયા
ભરૂચ લોકસભા બેઠકના ભાજપના ઉમેદવાર મનસુખ વસાવાએ દેવમોગરા ખાતે પાંડોરી માતાજીનાં પૂજન અર્ચન કરી ચૂંટણી પ્રચારનો પ્રારંભ કર્યો હતો. આ પ્રસંગે તેમજી સાથે મોટી સંખ્યામાં લોકો જોડાયા હતા ભાજપમાંથી સતત સાતમી વખત ચૂંટણી લડી રહેલા સાંસદ મનસુખ વસાવાએ દેવમોગરામાં ઉપસ્થિત રહી કુળદેવીમાં પંડોરી માતાને સમા ના ઉત્થાન માટે પ્રાર્થના કરી પ્રચાર પ્રસાર શરૂ કર્યો છે...
તેઓનું માનવું છે કે પ્રચાર કરવા માટે છેલ્લા એક વર્ષથી પ્રયત્ન શરૂ કર્યો હતો.દેવમોગરા ખાતે આવેલ માં પાંડોરીએ આદિવસીઓની કુળદેવી ગણવામાં આવે છે અહીં જે પણ કોઈ સાચા મનથી માંગે એ મળી જાય છે ત્યારે આજરોજ સાંસદ મનસુખ વસાવાએ પાંડોરી માતાજીનાં પૂજન અર્ચન કરી પ્રજાના આશીર્વાદની કામના કરી હતી