/connect-gujarat/media/post_banners/65c98bc1226c3810f0c2fdfb75879c43f99013be77249cf528700473a9219cd8.jpg)
આજરોજ નવરાત્રીની આઠમના પર્વ નિમિત્તે નર્મદા જિલ્લાના રાજપીપળામાં આવેલ હરસિદ્ધિ માતાજીનાં મંદિરે ભક્તોનું ઘોડાપૂર ઊમટ્યુ હતું.
નર્મદા જિલ્લાના મુખ્ય શહેર રાજપીપલામાં 423 વર્ષ જૂનું માં હરસિદ્ધિ નું મંદિર આવેલું છે આ મંદિરના માતાજી સાક્ષાક ઉજ્જેનથી રાજપીપલાના રાજા વેરિસાલ સાથે માં હરસિદ્ધિ આવ્યા હતા જે દિવસ આસો સુદ આઠમ હતો જે દિવસ આજે છે આજે માં હરસિધ્ધિ નો પ્રાગટય દિવસ ગણવામાં આવે છે અને જેને કારણે જ રાજપીપલાના હરસિદ્ધિ મંદિરે લાખોની સંખ્યા માં ભક્તો માં ના આશીર્વાદ લેવા આવે છે અને આજે વહેલી સવારે 5 વાગ્યા ના મંદિર ખુલતા પહેલા ભક્તોની મોટી લાઈન લાગી હતી