નર્મદા: ભરૂચ જિલ્લા આચાર્ય સંઘનું શૈક્ષણિક અને વહીવટી અધિવેશન યોજાયું
ભરૂચ જિલ્લા આચાર્ય સંઘનું શૈક્ષણિક અને વહીવટી અધિવેશન યોજાયું હતું જેમાં નવી શિક્ષણ નીતિ સહિતના મુદ્દે ચર્ચા વિચારણા કરવામાં આવી હતી
BY Connect Gujarat Desk25 Feb 2022 11:27 AM GMT
X
Connect Gujarat Desk25 Feb 2022 11:27 AM GMT
નર્મદા જિલ્લાના કેવડીયા ખાતે ભરૂચ જિલ્લા આચાર્ય સંઘનું શૈક્ષણિક અને વહીવટી અધિવેશન યોજાયું હતું જેમાં નવી શિક્ષણ નીતિ સહિતના મુદ્દે ચર્ચા વિચારણા કરવામાં આવી હતી
નર્મદા જિલ્લાના કેવડિયા ખાતે આવેલ BRG એકોમોડેશન ખાતે ભરૂચ જિલ્લા આચાર્ય સંઘના શૈક્ષણિક અને વહીવટી અધિવેશનનું આયોજન કરવામાં આવ્યું હતું. અધિવેશનમાં શૈક્ષણિક અને વહીવટી કામગીરીની ચર્ચા સાથે નિવૃત્ત આચાર્યોનું સન્માન અને આચાર્યોના તેજસ્વી સંતાનોને ઈનામ આપી પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા. તો "સાંપ્રત પ્રવાહ નવી શિક્ષણ નીતિમાં આચાર્યની ભૂમિકા" વિષય પર તજજ્ઞો દ્વારા ચિંતન કરવામાં આવ્યું હતું. સદર કાર્યક્રમમાં ગુજરાત રાજ્ય પરીક્ષા સમિતિના અધ્યક્ષ બી.એન.રાજગોર સહિતના અધિકારીઓ અને આમંત્રિતો ઉપસ્થિત રહ્યા હતા
Next Story