નર્મદા : આદિજાતિ સમુદાયની જીવનશૈલી અંગે ટ્રેઈની IAS અધિકારીઓનો શૈક્ષણિક પ્રવાસ, જિલ્લા કલેક્ટરે પાઠવી શુભેચ્છા

આદિજાતિ સમુદાયની જીવનશૈલી અને આજીવિકા અંગે શૈક્ષણિક પ્રવાસે ભારતીય સિવિલ સર્વિસના ટ્રેઈની અધિકારીઓએ દેડિયાપાડાના સામોટ અને ડુમખલ ગામની મુલાકાત લીધી હતી.

New Update
નર્મદા : આદિજાતિ સમુદાયની જીવનશૈલી અંગે ટ્રેઈની IAS અધિકારીઓનો શૈક્ષણિક પ્રવાસ, જિલ્લા કલેક્ટરે પાઠવી શુભેચ્છા

નર્મદા જિલ્લાના આદિજાતિ સમુદાયની જીવનશૈલી અને આજીવિકા અંગે શૈક્ષણિક પ્રવાસે ભારતીય સિવિલ સર્વિસના ટ્રેઈની અધિકારીઓએ દેડિયાપાડાના સામોટ અને ડુમખલ ગામની મુલાકાત લીધી હતી.

નર્મદા જિલ્લાના આદિજાતિ સમુદાયની જીવનશૈલી અને આજીવિકા અંગે શૈક્ષણિક પ્રવાસે આવેલા લબાસના, મસુરીના ભારતીય સિવિલ સર્વિસના ટ્રેઈની અધિકારીઓએ દેડિયાપાડાના સામોટ અને ડુમખલ ગામમાં વસવાટ કરતા આદિજાતિ સમાજની જીવન જીવવાની ઉત્તમ શૈલીથી પ્રભાવિત થયા હતા. આદિવાસીઓ અનોખા છે, તેમના ખાન-પાન, જીવનશૈલી અને સંસ્કૃતિ પણ અનોખી અને સમૃધ્ધ છે. ખેતી અને પશુપાલનના વ્યવસાય સાથે સંકળાયેલા આદિજાતિ સમાજના દીકરા-દીકરીઓ હવે ઉચ્ચ અભ્યાસ કરીને ઉજ્જવળ ભવિષ્યની રાહ કંડારી રહ્યા છે. જેવી બાબતોનો અભ્યાસ કરી હવે ડીડીઓ અને કલેક્ટર બનીને આ આઈ.એ.એસ. તાલીમાર્થીઓ આદિવસી જિલ્લાઓમાં સેવા બજાવી સમાજના વિકાસને ગતિ આપશે. તેઓએ આદિવાસી બાળકો જોડે, વૃદ્ધ મહિલાઓ અને યુવાનો સાથે મુલાકાત કરી ફોટો પડાવી યાદગીરી પણ બનાવી હતી. નર્મદા જિલ્લા કલેક્ટર શ્વેતા તેવતિયાએ આ ટ્રેઈની IAS અધિકારીઓ સાથે બ્રિફિંગ સેશન યોજીને ઉત્સાહપૂર્વક કામગીરી કરવા પ્રોત્સાહિત કરી શુભકામનાઓ પાઠવી હતી.