નર્મદા : તમામ ડેમ ઓવર-ફ્લો થતાં 19 ગામોના ખેડૂતોને મળશે સિંચાઇના પાણીનો લાભ...

ધોધમાર વરસાદના કારણે તમામ ડેમ થયા ઓવર-ફ્લો, ડેમમાં હાલ 8.85 ક્યુબિક મિલીયન લિટર પાણીનો સંગ્રહ

New Update
નર્મદા : તમામ ડેમ ઓવર-ફ્લો થતાં 19 ગામોના ખેડૂતોને મળશે સિંચાઇના પાણીનો લાભ...

નર્મદા જિલ્લામાં ધોધમાર વરસાદના કારણે તમામ ડેમ ઓવરફ્લો થયા છે. જેમાં સાગબારા તાલુકાના 2 ડેમો ઓવર-ફલો થતાં ચોપડવાવ સિંચાઇ યોજના હેઠળ 19 જેટલા ગામોને ખરીફ, રવિ અને ઉનાળુ સીઝન માટે સિંચાઇના પાણીનો લાભ મળશે.

સમગ્ર રાજ્ય સહિત નર્મદા જિલ્લામાં વરસેલા ભારે વરસદના કારણે સાગબારા તાલુકા અને નાના કાકડીઆંબા ડેમ ઓવર-ફલો થતાં ડેમ પાણીથી સંપૂર્ણ ભરાય ગયો છે. ડેમ પૂર્ણ સપાટીએ ભરાતા 8.85 ક્યુબિક મિલીયન લિટર પાણીના જથ્થાનો હાલ સંગ્રહ છે, ત્યારે નર્મદા જિલ્લાના 3 ડેમ જેમાં કરજણ ડેમ, કાકડીઆંબા ડેમ અને ચોપડવાવ ડેમ ઓવરફ્લો થઇ જતાં આવનારા દિવસોમાં આસપાસના 19 જેટલા ગામોને ખરીફ-રવિ અને ઉનાળુ સીઝન માટે સિંચાઇના પાણીની સુવિધાનો લાભ મળશે. તો બીજી તરફ નર્મદા જિલ્લા વહિવટી તંત્ર તરફથી સભંવત: અસરગ્રસ્ત ગામના લોકોને સાવધ રહેવા સૂચના આપવામાં આવી છે.

Read the Next Article

અંકલેશ્વર: ખરોડ ગામે યુવાનની હત્યા કરનાર આરોપીની ક્રાઇમ બ્રાન્ચે કરી ધરપકડ, અગાઉ થયેલ માથાકૂટની રીસ રાખી હત્યા કરાય

અંકલેશ્વર તાલુકાના ખરોડ ગામેથી મળી આવેલ મૃતદેહના મામલામાં ચોકાવનારો ખુલાસો થયો છે પોલીસે યુવાનની હત્યા કરનાર આરોપીની ધરપકડ કરી તેની સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

New Update

અંકલેશ્વરના ખરોડમાં મળી આવ્યો હતો મૃતદેહ

હત્યા થઈ હોવાનું આવ્યું બહાર

પોલીસે હત્યારાની કરી ધરપડક

અગાઉના ઝઘડાની રીસ રાખી કરાય હત્યા

પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી


અંકલેશ્વર તાલુકાના ખરોડ ગામેથી મળી આવેલ મૃતદેહના મામલામાં ચોકાવનારો ખુલાસો થયો છે પોલીસે યુવાનની હત્યા કરનાર આરોપીની ધરપકડ કરી તેની સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

અંકલેશ્વરના ખરોડ ગામની સીમમાં આવેલ બાકરોલ વગામાં ખેતરના શેઢા ઉપર અજાણ્યા વ્યક્તિનો મૃતદેહ વિકૃત હાલતમાં મળી આવ્યો હતો.આ બાબતે પાનોલી પોલીસે ગુનો નોંધી મૃત્યુનું કારણ જાણવા તપાસ શરૂ કરી હતી.આ તરફ ક્રાઇમ બ્રાન્ચ પણ તપાસમાં જોડાય હતી દરમ્યામ પોલીસને બાતમી મળી હતી કે આ ગુનામાં  અક્કલકુવાનો શંકર મોવરીયા વસાવા નામનો ઈસમ સંડોવાયો છે જે અંકલેશ્વર તથા પાનોલી વિસ્તારમા છુટક મજુરી કરે છે.પોલીસે હ્યુમન ઇન્ટેલીજન્સના આધારે આરોપીની ખરોડ નજીકથી ધરપકડ કરી હતી. પોલીસની પૂછપરછમાં ચોંકાવનારો ખુલાસો થયો હતો. આ મામલામાં મરણ જનાર ઇસમે થોડા દિવસ અગાઉ મારમારી 1500 રૂપિયા લૂંટી લીધા હતા જેની રીસ રાખી આરોપી શંકર વસાવાએ મૃતકને શોધી તેને મજૂરી કામ અપાવવાના બહાને ખરોડ ગામની સીમમાં લઈ ગયો હતો અને ત્યાં પથ્થરના ઘા મારી હત્યા કર્યા બાદ તેના વતન ફરાર થઇ ગયો હતો.પોલીસે આરોપીની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.