Connect Gujarat
ગુજરાત

નર્મદા : રાજ્યપાલ આચાર્ય દેવવ્રતે નીલકંઠ પ્રવેશદ્રાર ઉદ્ઘાટન અને નિલકંઠઘાટનું ખાતમુહૂર્ત કર્યું...

રાજ્યપાલ આચાર્ય દેવવ્રત નર્મદા જિલ્લાના ખેડૂતોને પ્રાકૃતિક કૃષિ અંગે પ્રેરક માર્ગદર્શન પૂરું પાડવા નિલકંઠધામ સ્વામિનારાયણ મંદિરની મુલાકાત લીધી હતી.

X

ગુજરાતના રાજ્યપાલ આચાર્ય દેવવ્રત નર્મદાનાં પોઇચા ખાતે મંદિર દશાબ્દી મહોત્સવમાં વિશેષ ઉપસ્થિત રહી, નર્મદા કિનારે તૈયાર થનાર નિલકંઠઘાટનું ખાતમુહૂર્ત કર્યું હતું. સાથે ખેડૂતોને પ્રાકૃતિક કૃષિ અંગે પ્રેરક માર્ગદર્શન આપ્યું હતું.

ગુજરાતના રાજ્યપાલ આચાર્ય દેવવ્રત નર્મદા જિલ્લાના ખેડૂતોને પ્રાકૃતિક કૃષિ અંગે પ્રેરક માર્ગદર્શન પૂરું પાડવા નિલકંઠધામ સ્વામિનારાયણ મંદિરની મુલાકાત લીધી હતી. પોઇચા ખાતે મંદિર દશાબ્દી મહોત્સવમાં પધાર્યા અને નિલકંઠ પ્રવેશદ્રારનું ઉદ્ઘાટન કર્યું સાથે જ નર્મદા કિનારે તૈયાર થનાર નિલકંઠઘાટનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું, સાથે નર્મદા જિલ્લાના ખેડૂતો પ્રાકૃતિક કૃષિ તરફ આગળ વધે અને જીરો બજેટ ખેતી તેમજ ખેતી ખર્ચમાં ઘટાડો, જમીનની ગુણવત્તામાં સુધારો, ઉત્પાદનમાં વધારો થાય તેવા ઉમદા આશય સાથે પ્રાકૃતિક ખેતી અંગે રાજ્યપાલ પ્રેરક માર્ગદર્શન પૂરું પાડ્યું હતું, આજના સમયની માગ પ્રાકૃતિક ખેતી છે, જંતુનાશક દવા મુક્ત ખેતી થકી ખેડૂતના ખર્ચમાં ઘટાડો થાય તેમજ ખેડૂતનું આર્થિક ઉપાર્જન વધે તે માટે પ્રાકૃતિક કૃષિનો વ્યાપ વધારવા માટેના સુદ્રઢ પ્રયાસો કરતા રાજ્યપાલની અધ્યક્ષતામાં આયોજિત આ કાર્યક્રમનું ગરિમામય સંચાલન સ્વામિનારાયણ ગુરુકુલ રાજકોટ સંસ્થાન, રાજકોટ કરશે . જેમાં દેવકૃષ્ણદાસજી સ્વામિ, ધર્મવલ્લભદાસજી સ્વામી અને સ્વામિનારાયણના સાધુ સંતો તેમજ ભક્તજનો ઉપસ્થિત રહ્યા હતા

Next Story