નર્મદા: પ્રતાપનગરમાં ગ્રામજનોએ સાધુને ચોર હોવાની શંકાએ માર્યો માર, વિડીયો થયો વાયરલ

નર્મદા જિલ્લાના રાજપીપળા નજીક આવેલ પ્રતાપ નગર ગામમાં સાધુને ચોર હોવાની શંકાએ ગ્રામજનો એ માર માર્યો હતો.આ બાબતે પોલીસ દ્વારા તપાસ શરૂ કરવામાં આવી છે

New Update

નર્મદા જિલ્લાના પ્રતાપનગરનો બનાવ

ચોર હોવાની શંકાએ સાધુને માર મરાયો

વિડીયો થયો વાયરલ

સોશ્યલ મીડિયાના મેસેજથી ભયનો માહોલ

પોલીસે પણ અફવા ન ફેલાવા કરી અપીલ

નર્મદા જિલ્લાના રાજપીપળા નજીક આવેલ પ્રતાપ નગર ગામમાં સાધુને ચોર હોવાની શંકાએ ગ્રામજનો એ માર માર્યો હતો.આ બાબતે પોલીસ દ્વારા તપાસ શરૂ કરવામાં આવી છે
નર્મદા જિલ્લાના રાજપીપળા પાસે આવેલ પ્રતાપનગર ગામમાં એક સાધુને ગ્રામજનો દ્વારા મારવામાં આવ્યો હતો. હાલમાં ગ્રામ્ય વિસ્તારમાં ચોરની ટોળકીઓ ફરી રહી છે તે પ્રકારના મેસેજ સોશિયલ મીડિયામાં વાયરલ થયા હતા જેના પગલે ગ્રામજનોમાં ભય ફેલાયો હતો ત્યારે પ્રતાપનગર ગામમાં આવેલા એક સાધુને ગ્રામજનો દ્વારા ઘેરીને પૂછપરછ કરવામાં આવી હતી જોકે ગ્રામજનોને યોગ્ય જવાબ ન મળતા તેઓએ સાધુને માર માર્યો હતો.આ બનાવના પગલે લોકોના ટોળા ભેગા થઈ ગયા હતા. આ સમગ્ર ઘટનાનો વિડીયો પણ સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે ત્યારે નર્મદા જિલ્લા પોલીસ દ્વારા લોકોને અપીલ કરવામાં આવી છે કે સોશિયલ મીડિયાના મેસેજથી ગેરમાર્ગે દોરાવું નહીં અને આવી કોઈપણ ઘટનાની જાણ થાય તો તરત જ પોલીસનો સંપર્ક કરવા જણાવવામાં આવ્યું છે ત્યારે સાધુને માર મારવાની ઘટનાને લઇ પોલીસ દ્વારા તપાસ ચલાવવામાં આવી રહી છે
Read the Next Article

અંકલેશ્વર: મહોરમનું પર્વ શાંતિપૂર્ણ માહોલમાં સંપન્ન થતા તાજીયા કમિટી દ્વારા તંત્રનો આભાર વ્યક્ત કરાયો

અંકલેશ્વર શહેર-તાલુકા તાજીયા કમિટી દ્વારા વહીવટી તંત્ર, પોલીસ પ્રશાસન, ગુજરાત વિદ્યુત બોર્ડ અને અંકલેશ્વર નગરપાલિકાનો આભાર વ્યક્ત કરી સન્માન કરવામાં આવ્યું

New Update
Tajiya Commitee
અંકલેશ્વર શહેર-તાલુકા તાજીયા કમિટી દ્વારા વહીવટી તંત્ર, પોલીસ પ્રશાસન, ગુજરાત વિદ્યુત બોર્ડ અને અંકલેશ્વર નગરપાલિકાનો આભાર વ્યક્ત કરી સન્માન કરવામાં આવ્યું હતું. અંકલેશ્વરમાં મોહરમનું પર્વ શાંતિપૂર્ણ અને કોમી એખલાસભર્યા વાતાવરણમાં સંપન્ન થયું છે જે બદલ અંકલેશ્વર શહેર તાલુકા તાજીયા કમિટી દ્વારા પ્રાંત અધિકારી, મામલતદાર  કરણસિંહ રાજપૂત, નાયબ પોલીસ અધિક્ષક,ડો.કુશલ ઓઝા,પોલીસ ઇન્સ્પેકટર  પી જી ચાવડા, પાલિકા પ્રમુખ લલીતાબેન રાજપુરોહિત, શિક્ષણ સમિતિ ચેરમેન ગણેશ અગ્રવાલ, ભાજપ શહેર પ્રમુખ ધર્મેન્દ્ર પુષ્કર્ણા સહિતના આગેવાનોનો આભાર વ્યક્ત કરી તેઓનું સન્માન કરવામાં આવ્યું હતું.

Tajiya Commitee Ankleshwar

આ પ્રસંગે કમિટીના પ્રમુખ બખ્તિયાર પટેલ, સેક્રેટરી વસીમ ફડવાલા, ઉપપ્રમુખ અમન પઠાણ, નૂર કુરેશી, લીગલ એડવાઈઝર હારુન મલેક સહિતના આગેવાનો અને સભ્યો ઉપસ્થિત રહ્યા હતા.