નર્મદા: પ્રતાપનગરમાં ગ્રામજનોએ સાધુને ચોર હોવાની શંકાએ માર્યો માર, વિડીયો થયો વાયરલ

નર્મદા જિલ્લાના રાજપીપળા નજીક આવેલ પ્રતાપ નગર ગામમાં સાધુને ચોર હોવાની શંકાએ ગ્રામજનો એ માર માર્યો હતો.આ બાબતે પોલીસ દ્વારા તપાસ શરૂ કરવામાં આવી છે

New Update

નર્મદા જિલ્લાના પ્રતાપનગરનો બનાવ

ચોર હોવાની શંકાએ સાધુને માર મરાયો

વિડીયો થયો વાયરલ

સોશ્યલ મીડિયાના મેસેજથી ભયનો માહોલ

પોલીસે પણ અફવા ન ફેલાવા કરી અપીલ

નર્મદા જિલ્લાના રાજપીપળા નજીક આવેલ પ્રતાપ નગર ગામમાં સાધુને ચોર હોવાની શંકાએ ગ્રામજનો એ માર માર્યો હતો.આ બાબતે પોલીસ દ્વારા તપાસ શરૂ કરવામાં આવી છે
નર્મદા જિલ્લાના રાજપીપળા પાસે આવેલ પ્રતાપનગર ગામમાં એક સાધુને ગ્રામજનો દ્વારા મારવામાં આવ્યો હતો. હાલમાં ગ્રામ્ય વિસ્તારમાં ચોરની ટોળકીઓ ફરી રહી છે તે પ્રકારના મેસેજ સોશિયલ મીડિયામાં વાયરલ થયા હતા જેના પગલે ગ્રામજનોમાં ભય ફેલાયો હતો ત્યારે પ્રતાપનગર ગામમાં આવેલા એક સાધુને ગ્રામજનો દ્વારા ઘેરીને પૂછપરછ કરવામાં આવી હતી જોકે ગ્રામજનોને યોગ્ય જવાબ ન મળતા તેઓએ સાધુને માર માર્યો હતો.આ બનાવના પગલે લોકોના ટોળા ભેગા થઈ ગયા હતા. આ સમગ્ર ઘટનાનો વિડીયો પણ સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે ત્યારે નર્મદા જિલ્લા પોલીસ દ્વારા લોકોને અપીલ કરવામાં આવી છે કે સોશિયલ મીડિયાના મેસેજથી ગેરમાર્ગે દોરાવું નહીં અને આવી કોઈપણ ઘટનાની જાણ થાય તો તરત જ પોલીસનો સંપર્ક કરવા જણાવવામાં આવ્યું છે ત્યારે સાધુને માર મારવાની ઘટનાને લઇ પોલીસ દ્વારા તપાસ ચલાવવામાં આવી રહી છે
Read the Next Article

ગુજરાત પર બેથી વધુ સિસ્ટમ સક્રિય, ઉત્તર ગુજરાત, મધ્ય ગુજરાત અને સૌરાષ્ટ્રમાં વરસાદની કરાઇ આગાહી

રાજ્યમાં છેલ્લા એક સપ્તાહથી મેઘરાજાએ જમાવટ કરી છે. ઉલ્લેખનિય છે કે, ગુજરાત પર બેથી વધુ સિસ્ટમ સક્રિય હોવાથી  ગુજરાતમાં સાર્વત્રિક વરસાદ વરસી રહ્યો છે.

New Update
rain varsad

રાજ્યમાં છેલ્લા એક સપ્તાહથી મેઘરાજાએ જમાવટ કરી છે. ઉલ્લેખનિય છે કે, ગુજરાત પર બેથી વધુ સિસ્ટમ સક્રિય હોવાથી  ગુજરાતમાં સાર્વત્રિક વરસાદ વરસી રહ્યો છે.

હવામાન વિભાગ અને અન્ય મોડલના આંકલન મુજબ ગુજરાતમાં 27 જૂન સુધી વરસાદનું અનુમાન છે. 27 જૂન સુધીમાં ઉત્તર ગુજરાત, મધ્ય ગુજરાત અને સૌરાષ્ટ્રમાં વરસાદની આગાહી છે. ગુજરાતના કેટલાક વિસ્તારમાં ભારે તો કેટલાકમાં મધ્યમ વરસાદનું અનુમાન છે.

રાજ્યમાં આગામી ચાર દિવસ વરસાદની આગાહી છે. ચાર દિવસ ગાજવીજ સાથે વરસાદની આગાહી કરવામાં આવી છે.  અમદાવાદમાં રથયાત્રાના દિવસે પણ મેઘરાજાનું આગમન થઇ શકે છે,અમદાવાદમાં વરસાદનું આજે યલો એલર્ટ અપાયું છે.  આજે દાહોદ, વડોદરામાં ભારે વરસાદનું એલર્ટ છે. આજે નવસારી, છોટાઉદેપુરમાં ભારે વરસાદનું એલર્ટ છે. ગીર સોમનાથ, ભાવનગર, દ્વારકામાં વરસાદનું ઓરેન્જ એલર્ટ છે.

ગત સોમવારે મેધરાતાએ દક્ષિણ ગુજરાતને ઘમરોળ્યું હતું. ખાસ કરીને સુરત શહેર અને જિલ્લામાં ફાટ્યું આભ તેવી સ્થિતિ સર્જાઇ હતી. સવાર 8 વાગ્યાથી સાંજે 5 સુધીમાં સાડા આઠ ઇંચ વરસાદ પડી જતાં  સુરતમાં જળબંબાકારની સ્થિતિ સર્જાઇ છે.  ભારે વરસાદના કારણે સુરતની તમામ શાળા કોલેજના કેમ્પસ પણ ઘૂંટણસમા પાણીમાં ગરકાવ થઇ ગયા હતા. જેના પગલે  રજા જાહેર કરી દેવાઇ હતી.  સુરત શહેરના તમામ વિસ્તારમાં  ઘૂંટણથી કેડસમા પાણી ભરાયા હતા.  સુરતના અનેક માર્કેટોમાં પાણી ઘૂસી જતાં દુકાનોમાં રહેલા માલ સમાનને નુકસાન થયું છે. સુરતના અડાજણ, રાંદેર વિસ્તાર પણ જળમગ્ન હતા. સુરતની અનેક રહેણાંક સોસાયટીમાં પણ પાણી ભરાયા હતા. જેના કારણે રસ્તા બ્લોક થઇ હતા.