નર્મદા : સી.આર.પાટીલના હસ્તે કમલમ કાર્યાલયનું ખાતમુહૂર્ત કરાયું, કાર્યકર્તાઓ સાથે યોજાયો સંવાદ...
સી.આર.પાટીલના હસ્તે નર્મદા કમલમનું ખાતમુહૂર્ત જિલ્લા પ્રભારી મંત્રી પુર્ણેશ મોદી રહ્યા વિશેષ હાજર
BY Connect Gujarat31 May 2022 2:08 PM GMT
X
Connect Gujarat31 May 2022 2:08 PM GMT
નર્મદા જિલ્લાના રાજપીપળા સ્થિત સર્કિટ હાઉસ ખાતે ભાજપ પ્રદેશ અધ્યક્ષ સી.આર.પાટીલે "વન ડે, વન ડિસ્ટ્રિક્ટ" કાર્યક્રમ હેઠળ કાર્યકર્તાઓ સાથે બંધ બારણે સંવાદ કર્યો હતો. કાર્યકરોની મુલાકાત બાદ તેઓ સીધા આંબેડકર હોલ ખાતે પહોંચ્યા હતા, જ્યાં હાજર વકીલો, વેપારીઓ, તબીબો અને સમાજના આગેવાનો સાથે પણ સંવાદ કર્યો હતો. આ સાથે જ સરદાર ટાઉન હોલ ખાતે ગરીબ કલ્યાણ સંમેલનમાં હાજરી આપી હતી. ભાજપ પ્રદેશ અધ્યક્ષ સી.આર.પાટીલની સાથે જિલ્લા પ્રભારી મંત્રી પુર્ણેશ મોદી પણ હાજર રહ્યા હતા. આ પ્રસંગે સી.આર.પાટીલ દ્વારા રાજપીપળા રેલ્વે સ્ટેશન સામે નર્મદા કમલમના નિર્માણ માટે ખાતમુહૂર્ત પણ કરવામાં આવ્યું હતું.
Next Story