નર્મદા: સંકલન સમિતિની બેઠકમાં મંત્રી પુર્ણેશ મોદીએ અધિકારીઓને તતડાવ્યા,જુઓ શું છે કારણ
રાજપીપળા ખાતે યોજાયેલ સંકલન સમિતિની બેઠકમાં અધૂરી કામગીરીને લઈ મંત્રી પુર્ણેશ મોદીએ અધિકારીઓનો ઉઘડો લીધો હતો
BY Connect Gujarat Desk23 Jun 2022 5:55 AM GMT
X
Connect Gujarat Desk23 Jun 2022 5:55 AM GMT
નર્મદા જિલ્લાના રાજપીપળા ખાતે યોજાયેલ સંકલન સમિતિની બેઠકમાં અધૂરી કામગીરીને લઈ મંત્રી પુર્ણેશ મોદીએ અધિકારીઓનો ઉઘડો લીધો હતો
ગુજરાતના માર્ગ અને મકાન વિભાગના મંત્રી પૂર્ણેશ મોદી નર્મદા જિલ્લાની 3 દિવસની મુલાકતે છે ત્યારે રાજપીપલા કલેક્ટરાલય ખાતે જિલ્લા સંકલન બેઠક યોજાઈ હતી જેમાં વિકાસગાથાને આગળ ધપાવવા રચનાત્મક સૂચના આપી હતી. આ બેઠકમાં 'નલ સે જલ' યોજના,બાયપાસ રોડની જમીન સંપાદનની કામગીરી, આરોગ્ય વિભાગની મુશ્કેલીઓ, 'આઝાદી કા અમૃત મહોત્સવ' નિમિત્તે નવીન તળાવ બાંધકામ, વોટર ટ્રીટમેન્ટ પ્લાન્ટ, નગરપાલિકાના નાના-મોટા વહિવટી પ્રશ્નોની ચર્ચા કરાઇ હતી. હજુ પણ કેટલાય ગામડાઓમાં શાળાના ઓરડાના બાંધકામથી લઇને આંગણવાડી સહિત શિક્ષણ વિભાગના ઘણા બધા કામો થયા નથી. આ બાબતે મંત્રીએ અધિકારીઓનો ઉઘડો લીધો હતો અને તમામ કામો વહેલી તકે પૂર્ણ કરવા આદેશ આપ્યા હતા.
Next Story