/connect-gujarat/media/post_banners/0f5ba00c311a00b4122e5b3fc0c7693414b00e07c9d58ec87dd41ef7771a5d49.jpg)
નર્મદા જિલ્લાના રાજપીપળા ખાતે યોજાયેલ સંકલન સમિતિની બેઠકમાં અધૂરી કામગીરીને લઈ મંત્રી પુર્ણેશ મોદીએ અધિકારીઓનો ઉઘડો લીધો હતો
ગુજરાતના માર્ગ અને મકાન વિભાગના મંત્રી પૂર્ણેશ મોદી નર્મદા જિલ્લાની 3 દિવસની મુલાકતે છે ત્યારે રાજપીપલા કલેક્ટરાલય ખાતે જિલ્લા સંકલન બેઠક યોજાઈ હતી જેમાં વિકાસગાથાને આગળ ધપાવવા રચનાત્મક સૂચના આપી હતી. આ બેઠકમાં 'નલ સે જલ' યોજના,બાયપાસ રોડની જમીન સંપાદનની કામગીરી, આરોગ્ય વિભાગની મુશ્કેલીઓ, 'આઝાદી કા અમૃત મહોત્સવ' નિમિત્તે નવીન તળાવ બાંધકામ, વોટર ટ્રીટમેન્ટ પ્લાન્ટ, નગરપાલિકાના નાના-મોટા વહિવટી પ્રશ્નોની ચર્ચા કરાઇ હતી. હજુ પણ કેટલાય ગામડાઓમાં શાળાના ઓરડાના બાંધકામથી લઇને આંગણવાડી સહિત શિક્ષણ વિભાગના ઘણા બધા કામો થયા નથી. આ બાબતે મંત્રીએ અધિકારીઓનો ઉઘડો લીધો હતો અને તમામ કામો વહેલી તકે પૂર્ણ કરવા આદેશ આપ્યા હતા.