નર્મદા : આજે વિશ્વ આદિવાસી અધિકાર દિવસ, દેડિયાપાડામાં બિરસા મુંડાની પ્રતિમાની સ્થાપના કરાય...

દેડિયાપાડા ખાતે વિશ્વ આદિવાસી અધિકાર દિવસ નિમિત્તે આદિવાસી સમાજના ભગવાન ગણાતા બિરસા મુંડાની પ્રતિમાની સ્થાપના કરવામાં આવી હતી.

New Update
નર્મદા : આજે વિશ્વ આદિવાસી અધિકાર દિવસ, દેડિયાપાડામાં બિરસા મુંડાની પ્રતિમાની સ્થાપના કરાય..

નર્મદા જિલ્લાના દેડિયાપાડા ખાતે વિશ્વ આદિવાસી અધિકાર દિવસ નિમિત્તે આદિવાસી સમાજના ભગવાન ગણાતા બિરસા મુંડાની પ્રતિમાની સ્થાપના કરવામાં આવી હતી. આ પ્રસંગે નર્મદા જિલ્લાના કોંગ્રેસ, ભાજપ, બીટીપી અને આમ આદમી પાર્ટીના આદિવાસી નેતાઓ એક મંચ પર જોવા મળ્યા હતા.

વિશ્વ આદિવાસી અધિકાર દિવસ નિમિત્તે નર્મદા જિલ્લાના દેડિયાપાડા ખાતે આદિવાસી સમાજના ભગવાન ગણાતા બિરસા મુંડાજીની પ્રતિમાની સ્થાપના કરવામાં આવી હતી. આ પ્રસંગે આદિવાસી સમાજના તમામ રાજકીય પક્ષોના નેતાઓ એક મંચ પર જોવા મળ્યા હતા. બિટીપીના મુખ્ય સંયોજક છોટુ વસાવા, રાષ્ટ્રીય અધ્યક્ષ મહેશ વસાવા, કોંગ્રેસના ધારાસભ્ય પી.ડી.વસાવા, જિલ્લા પંચાયત પ્રમુખ, બીજેપી નેતા મોતીસિંહ વસાવા તેમજ આમ આદમી પાર્ટીમાં જોડાયેલા યુવા સહિતના આગેવાનો એક મંચ પર જોવા મળ્યા હતા. તમામ નેતાઓની ઉપસ્થિતિમાં તેમજ હજારોની સંખ્યામાં આદિવાસી સમાજના લોકો ઉમટી પડ્યા હતા.

આ પ્રસંગે છોટુ વસાવાએ ટિપ્પણી કરી હતી કે, 3 હજાર કરોડ રૂપિયાનું ફંડ અને સી.એસ.આર વપરાય તો બિરસા મુંડા ભગવાનની પ્રતિમા માટે 10 લાખ રૂપિયા જેવી રકમ પણ મદદરૂપ થઈ વપરાઈ જોઈએ. કારણ કે, બિરસા મુંડા આદિવાસી સમાજના ભગવાન છે, અને તેઓ એક પ્રેરણાદાયક છે, ત્યારે આદિવાસી સમાજને તેઓમાંથી ખૂબ મોટી પ્રેરણા મળે તેમ છે. જોકે, થોડો વિવાદ થયો હતો અને નેશનલ હાઇવે ઓથોરિટીની પરમિશન ન મળી હતી. જે બાબતે તેમને જણાવ્યું હતું કે, ગેરકાયદેસર દબાણો રોડ પર હોય છે કે, તેને હટાવતા નથી. પરંતુ આવા સારા કામ થતાં તેઓ તેમાં અડચણો ઉભી કરે છે.

Read the Next Article

સુરતના એકમાત્ર “પ્લાસ્ટિક મુક્ત” અલથાણ પોલીસ સ્ટેશનનું ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીના હસ્તે લોકાર્પણ કરાયું...

સુરત જિલ્લાના નાગરિકોને ઝડપી ન્યાય મળે અને સરળતાથી પોલીસ સેવા સુલભ બને તે માટે અલથાણ પોલીસ સ્ટેશનનું ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીના હસ્તે લોકાર્પણ કરવામાં આવ્યું હતું.

New Update

નાગરિકો માટે પોલીસ સેવા સુલભ બને તેવું આયોજન

સુરતનું એકમાત્ર પ્લાસ્ટિક મુક્ત અલથાણ પોલીસ સ્ટેશન

અલથાણ પોલીસ સ્ટેશનનો લોકાર્પણ કાર્યક્રમ યોજાયો

ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીના વરદ હસ્તે લોકાર્પણ કરાયું

પોલીસ સ્ટેશનમાં રેઇન વોટર હારવેસ્ટિંગની વિશેષ વ્યવસ્થા

સુરત જિલ્લાના નાગરિકોને ઝડપી ન્યાય મળે અને સરળતાથી પોલીસ સેવા સુલભ બને તે માટે અલથાણ પોલીસ સ્ટેશનનું ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીના હસ્તે લોકાર્પણ કરવામાં આવ્યું હતું. અલથાણ પોલીસ સ્ટેશન સુરતનું એકમાત્ર પ્લાસ્ટિક મુક્ત પોલીસ સ્ટેશન તેમજ સોલાર પાવર સિસ્ટમથી સંચાલિત છેત્યારે આ પોલીસ સ્ટેશનમાં રેઇન વોટર હારવેસ્ટિંગની પણ વિશેષ વ્યવસ્થા કરવામાં આવી છે.

ગૃહ રાજ્ય મંત્રી હર્ષ સંઘવીએ અલથાણ પોલીસ સ્ટેશનનું નિરીક્ષણ કર્યું હતું. ગૃહ રાજ્યમંત્રીએ રાજ્યમાં શાંતિસુરક્ષા સલામતીના મૂળમાં ઉત્તમ કાયદો અને વ્યવસ્થા તેમજ ન્યાયની આશામાં પોલીસ સ્ટેશને આવતા ફરિયાદી તથા આમ નગારિક નિરાશ ન થાય તેમજ નાગરિકોની સમસ્યાઓફરિયાદોમાં અલથાણ પોલીસ સ્ટેશન મદદરૂપ થાય તેવી અપેક્ષા વ્યક્ત કરી હતી. આ લોકાર્પણ કાર્યક્રમમાં રાજ્ય સરકારના મંત્રી મુકેશ પટેલસંદીપ દેસાઈધારાસભ્ય સંગીતા પાટીલસુરત શહેર પોલીસ કમિશનર સહિત પોલીસ અધિકારીઓસામાજિક આગેવાનો  સહિત મોટી સંખ્યામાં નાગરિકો ઉપસ્થિત રહ્યા હતા.