નવસારી : અનાવિલ સંસ્કાર ટ્રસ્ટ દ્વારા અસ્તિત્વના 25 વર્ષની ઉજવણી, રજતોત્સવમાં નાણામંત્રી કનુ દેસાઈની ઉપસ્થિતી

અનાવિલ સંસ્કાર ટ્રસ્ટની સ્થાપનાના 25 વર્ષને ઉજવવા ‘સંસ્કૃતિ 2023’ અસ્તિત્વના 25 વર્ષ અંતર્ગત રજતોત્સવનો રાજ્યના નાણામંત્રી કનુ દેસાઈની ઉપસ્થિતિમાં શુભારંભ કરવામાં આવ્યો હતો.

New Update
નવસારી : અનાવિલ સંસ્કાર ટ્રસ્ટ દ્વારા અસ્તિત્વના 25 વર્ષની ઉજવણી, રજતોત્સવમાં નાણામંત્રી કનુ દેસાઈની ઉપસ્થિતી

નવસારીની અનાવિલ સંસ્કાર ટ્રસ્ટની સ્થાપનાના 25 વર્ષને ઉજવવા ‘સંસ્કૃતિ 2023’ અસ્તિત્વના 25 વર્ષ અંતર્ગત રજતોત્સવનો રાજ્યના નાણામંત્રી કનુ દેસાઈની ઉપસ્થિતિમાં શુભારંભ કરવામાં આવ્યો હતો.

Advertisment

નવસારીના અનાવિલ સંસ્કારધામ ખાતે ટ્રસ્ટની સ્થાપનાના 25 વર્ષને ઉજવવા ‘સંસ્કૃતિ 2023’ અંતર્ગત રજતોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં રાજ્યના નાણામંત્રી કનુ દેસાઈ વિશેષ ઉપસ્થિત રહ્યા હતા. આ પ્રસંગે રાજ્યના નાણામંત્રી કનુ દેસાઈએ મોરારજી દેસાઈને પણ ખાસ યાદ કર્યા હતા, અને સાથે જ અનાવિલ સમાજ માટે ખાસ સંગઠિત થઈને આગવી પ્રવૃત્તિઓ આગળ કરવામાં આવે એવું પ્રાસંગિક ઉદબોધન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે મોટી સંખ્યામાં સમાજના આગેવાનો, નવસારી, ગણદેવી અને સુરતના ધારાસભ્યો ખાસ ઉપસ્થિત રહ્યા હતા.

Advertisment
Read the Next Article

સંઘપ્રદેશ દમણમાં થયેલી રૂ. 1.33 કરોડની ચોરીનો ભેદ પોલીસે ઉકેલી કાઢ્યો, દાહોદથી 3 તસ્કરોની ધરપકડ

તસ્કરોએ રાત્રે 2 વાગ્યા બાદ ઘરમાં પ્રવેશ કરી ચોરીની ઘટનાને અંજામ આપ્યો હતો. તસ્કરોએ સોનું અને 8 હજાર UK પાઉન્ડની રોકડ રકમની ચોરી કરી ફરાર થઈ ગયા હતા

New Update
  • સંઘપ્રદેશ દમણ ક્રાઇમ બ્રાન્ચ પોલીસને મળી સફળતા

  • 20 દિવસમાં જ રૂ. 1.33 કરોડની ચોરીનો ભેદ ઉકેલ્યો

  • દાહોદ ખાતેથી 3 આંતરરાજ્ય તસ્કરોની ધરપકડ કરી

  • સોનું અને 8 હજાર UK પાઉન્ડ રોકડની થઈ હતી ચોરી

  • પોલીસે 18 લાખ રૂપિયાનું 26 તોલા સોનું રિકવર કર્યું 

Advertisment

સંઘપ્રદેશ દમણ પોલીસે માત્ર 20 દિવસમાં જ મોટી દમણમાં થયેલી રૂ. 1.33 કરોડની ચોરીનો ભેદ ઉકેલી કાઢી 3 આંતરરાજ્ય તસ્કરોની ધરપકડ કરી રૂ. 18.17 લાખની કિંમતનું 261.530 ગ્રામ સોનું જપ્ત કર્યું છે.

ગત તા. 28 ફેબ્રુઆરી-2025ના રોજ સંઘપ્રદેશ દમણના મોટી દમણ વિસ્તારમાં આવેલ મંદિર શેરી વિસ્તારમાં રહેતા ઇશ્વરભાઈ ટંડેલના ઘરમાંથી ચોરી થઈ હતી. ટંડેલ પરિવાર લંડનથી ભારત આવ્યો હતોત્યારે તસ્કરોએ રાત્રે 2 વાગ્યા બાદ ઘરમાં પ્રવેશ કરી ચોરીની ઘટનાને અંજામ આપ્યો હતો. તસ્કરોએ સોનું અને 8 હજાર UK પાઉન્ડની રોકડ રકમની ચોરી કરી હતી. આ સાથે જ શ્રી રણછોડરાયજી મંદિરની દાનપેટીમાં રહેલ 20થી 25 હજારની રોકડ પર હાથફેરો કર્યો હતો. સમગ્ર મામલે દમણ ક્રાઇમ બ્રાન્ચના PSI ભરત પરમારના નેતૃત્વમાં તપાસ શરૂ કરવામાં આવી હતી.

જેમાં ટેકનિકલ એનાલિસિસ અને હ્યુમન ઇન્ટેલિજન્સના આધારે દાહોદથી 3 આરોપીઓની ધરપકડ કરવામાં આવી હતી. ચોરીને અંજામ આપનાર મુખ્ય આરોપી ભરત મોતીલાલ પંચાલ જે 50થી વધુ ગુનાઓમાં સંડોવાયેલો છે. તે ગુજસીટોક હેઠળ સજા પણ ભોગવી ચૂક્યો છેજ્યારે અન્ય 2 આરોપીઓમાં જિજ્ઞેશ રાજુભાઈ પંચાલ અને પંકજકુમાર ઉર્ફે પુનીત ભરતભાઈ સોનીનો સમાવેશ થાય છે.

પોલીસે આરોપીઓ પાસેથી 18 લાખ રૂપિયાનું 26 તોલા સોનું પણ રિકવર કર્યું છે. હાલ સમગ્ર મામલામાં વધુ લોકો સામેલ હોય તેવું પોલીસ જણાવી રહી છેત્યારે આગામી તપાસમાં વધુ લોકોને પોલીસ દ્વારા પકડવાની હિલચાલ શરૂ કરવામાં આવી છે. દમણ પોલીસની ઝડપી કાર્યવાહીથી સ્થાનિક લોકોમાં પોલીસ પ્રત્યે વિશ્વાસ વધ્યો છે.

Advertisment