Connect Gujarat
ગુજરાત

નવસારી: કામરેજ જતા મધ્યપ્રદેશના પરિવારને નડ્યો અકસ્માત; 3નાં મોતથી અરેરાટી

કામરેજ જતા મધ્યપ્રદેશના પરિવારને નડ્યો અકસ્માત, કારમાં બે બાળક સહિત 10 સભ્ય સવાર હતા.

X

નવસારીના ખડસુપા પાસે કામરેજ જતાં મધ્યપ્રદેશના એક પરિવારને અકસ્માત નડ્યો. ઓવર બ્રિજ ઉપર ગાડી બગાડતાં અજાણ્યા ટ્રક ચાલક પાછળથી ટક્કર મારી હતી. આ અકસ્માતમાં ત્રણ લોકોના મોત નિપજ્યાં.

નવસારીથી કામરેજ જતા મધ્યપ્રદેશના એક પરિવારને ખડસુપા પાસે અકસ્માત નડ્યો હતો, આ ગમખ્વાર અકસ્માતમાં ત્રણ લોકોના મોત નીપજ્યા છે. કોઈ કારણસર ઇકો કાર ખડસુપા પાસે બંધ પડી ગઇ હતી અને એ દરમિયાન એક ટ્રકે પાછળથી ટક્કર મારતાં કાર હવામાં ફંગોળાઈ હતી, જેને કારણે વાતાવરણ એકાએક ચિચિયારીઓથી ગુંજી ઊઠ્યું હતું.

મળતી માહિતી મુજબ, મધ્યપ્રદેશનો પરિવાર છેલ્લા એક મહિનાથી નવસારીમાં મજૂરીકામ કરતો હતો અને રાત્રે કામરેજ જઇ રહ્યો હતો. એ દરમિયાન રાત્રિના બે વાગ્યાની આસપાસ ઇકો કાર ખડસુપા પાસે પહોંચી ત્યારે ટેક્નિકલ ખામી સર્જાતાં કાર બંધ પડી હતી. પરિવારના સભ્યો ભરનિદ્રામાં હતા એ સમયે બેફામ આવતી ટ્રકે કારને ટક્કર મારી હતી, ગંભીર અકસ્માતને પગલે બે મહિલાનું સારવાર દરમિયાન અને એક પુરુષનું ઘટના સ્થળે મોત નીપજ્યું હતું. કારમાં સવાર બે બાળકો સહિત અન્ય આઠને ઇજાઓ થતા સારવાર માટે હોસ્પિટલ ખસેડાયા હતા. ગંભીર ઇજાગ્રસ્ત 5ને વધુ સારવાર માટે સુરત સિવિલ ખાતે ખસેડાયા છે.

Next Story