નવસારી: વાંસદાના ધારાસભ્ય પર ભાજપે હુમલો કરાવ્યો હોવાના પ્રદેશ કોંગ્રેસના નેતાઓના આક્ષેપ

વાંસદાના ધારાસભ્ય અનંત પટેલ પર હુમલો, ઇજાગ્રસ્ત ધારાસભ્ય સારવાર હેઠળ, પ્રદેશ કોંગ્રેસના નેતાઓએ પૂછ્યા ખબરઅંતર

New Update
નવસારી: વાંસદાના ધારાસભ્ય પર ભાજપે હુમલો કરાવ્યો હોવાના પ્રદેશ કોંગ્રેસના નેતાઓના આક્ષેપ

વાંસદાના કોંગ્રેસનાં ધારાસભ્ય અનંત પટેલ પર હુમલાના મામલામાં આજરોજ પ્રદેશ કોંગ્રેસનાં આગેવાનોએ ઇજાગ્રસ્ત ધારાસભ્યની મુલાકાત લઈ તેઓના ખબર અંતર પૂછ્યા હતા અને હુમલો ભાજપ પ્રેરિત હોવાના આક્ષેપ કર્યા હતા.

વાંસદાના ધારાસભ્ય અનંત પટેલ ખેરગામમાં સરપંચને મળવા ગયા હતા તે દરમિયાન બજાર પાસેથી પસાર થતી વેળા કેટલાક ઈસમો દ્વારા તેમના ઉપર હુમલો કરવામાં આવ્યો હતો. ગાડીમાંથી તેમની ખેંચીને બહાર કાઢવામાં આવ્યા હતા અને આંખના ભાગે તેમના ઉપર હુમલો કરવામાં આવ્યો હતો. અનંત પટેલે કહ્યું હતું કે, નવસારી જિલ્લા પંચાયતના પ્રમુખ અને અન્ય કેટલાક ગુંડાતત્વોએ મને રોકી હુમલો કર્યો હતો. જિલ્લા પંચાયતના પ્રમુખ ભીખુભાઇ અને રીંકુ નામના ઈસમે હુમલો કર્યો હોવાનો ધારાસભ્યનો આક્ષેપ છે.

ધારાસભ્ય પર હુમલાના પગલે પ્રદેશ કોંગ્રેસનાં અમિત ચાવડા અને સુખરામ રાઠવા સહિતના આગેવાનોએ હોસ્પિટલમાં સારવાર લઈ રહેલ અનંત પટેલના ખબર અંતર પૂછ્યા હતા॰વાંસદાના કૉંગ્રેસી ધારાસભ્ય અનંત પટેલ પર થયેલા હુમલા મામલે કૉંગ્રેસ દ્વારા કહેવામાં આવ્યું હતું કે,આદિવાસીના પ્રશ્નોને લઈને સતત લડાઈ લડતા ગુજરાતના યુવાન ધારાસભ્યની વધતી જતી પ્રતિષ્ઠાથી બોખલાઈને ભાજપાના લોકો દ્વારા જીવલેણ હુમલો કરવામાં આવ્યો છે સાથે જ આગેવાનોએ ભાજપ અધ્યક્ષ સી.આર.પાટિલ પર પણ આકરા પ્રહારો કર્યા હતા.

Read the Next Article

ભરૂચ: ગરુડ સેના દ્વારા રક્તદાન શિબિરનું કરાયુ આયોજન, રક્તદાતાઓએ કર્યું ઉત્સાહભેર રક્તદાન

ભરૂચના યુવાનો માટે એક ઉત્તમ પહેલરૂપ આજે ગરુડ સેના સંગઠન દ્વારા ઝાડેશ્વર ગામના પાટીદાર પંચની વાડી ખાતે રક્તદાન શિબિર નું આયોજન કરવામાં આવ્યું હતું.

New Update
  • ભરૂચમાં કરવામાં આવ્યું આયોજન

  • ગરુડ સેના દ્વારા કાર્યક્રમ યોજાયો

  • રક્તદાન શિબિરનું આયોજન કરાયું

  • રક્તદાતાઓએ ઉત્સાહભેર કર્યું રક્તદાન

  • સંસ્થાના આગેવાનો રહ્યા ઉપસ્થિત

ભરૂચમાં કાર્યકરત ગરુડ સેના દ્વારા રક્તદાન શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં રક્તદાતાઓએ ઉત્સાહભેર રક્તદાન કર્યું હતું
ભરૂચના યુવાનો માટે એક ઉત્તમ પહેલરૂપ આજે ગરુડ સેના સંગઠન દ્વારા ઝાડેશ્વર ગામના પાટીદાર પંચની વાડી ખાતે રક્તદાન શિબિર નું આયોજન કરવામાં આવ્યું હતું.યુનિટી બ્લડ સેન્ટરના સહયોગથી ગરુડ સેનાના પ્રતિનિધિ સેજલ દેસાઈ, વિક્રમ ભરવાડ તથા દાનુ ભરવાડની ટીમે રક્તદાન શિબિરનું આયોજન કર્યું હતું જેમાં મોટી સંખ્યામાં યુવાનોએ જોડાઈ રક્તદાન કરી સમરસતા અને માનવતાની ભાવના પ્રગટાવી હતી