નવસારી : કેન્દ્રિય જળશક્તિ મંત્રી સી.આર.પાટીલની અધ્યક્ષતામાં શાસ્ત્રી એમ.કે.આર. વશી હાઇસ્કૂલ-મરોલીનો શતાબ્દી મહોત્સવ ઉજવાયો...

શાસ્ત્રી એમ.કે.આર.વશી હાઇસ્કૂલની સ્થાપના વર્ષ 1925માં કરવામાં આવી હતી, ત્યારે આ શાળાને 100 વર્ષ પૂર્ણ થતાં શતાબ્દી મહોત્સવની ઉજવણીનું આયોજન કરવામાં આવ્યું

New Update
  • મરોલીની શાસ્ત્રી એમ.કે.આર. વશી હાઇસ્કૂલ ખાતે આયોજન

  • શાળાના શતાબ્દી મહોત્સવની કરવામાં આવી ભવ્ય ઉજવણી

  • કેન્દ્રિય જળશક્તિ મંત્રી સી.આર.પાટીલ રહ્યા વિશેષ ઉપસ્થિત

  • સી.આર.પાટીલના હસ્તે શાળાના પુસ્તકાલયનું ઉદ્દઘાટન કરાયું

  • મોટીવેશનલ સ્પીકર જય વસાવડાએ અસરદાર વક્તવ્ય આપ્યું 

નવસારી જિલ્લાના મરોલી સ્થિત શાસ્ત્રી એમ.કે.આર. વશી હાઇસ્કૂલના શતાબ્દી મહોત્સવની કેન્દ્રિય જળશક્તિ મંત્રી સી.આર.પાટીલની અધ્યક્ષતામાં ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી.

નવસારી જિલ્લાના મરોલી શહેરમાં આવેલ શાસ્ત્રી એમ.કે.આર.વશી હાઇસ્કૂલની સ્થાપના વર્ષ 1925માં કરવામાં આવી હતીત્યારે આ શાળાને 100 વર્ષ પૂર્ણ થતાં શતાબ્દી મહોત્સવની ઉજવણીનું આયોજન કરવામાં આવ્યું હતું. કેન્દ્રિય જળશક્તિ મંત્રી અને નવસારીના સાંસદ સી.આર.પાટીલની અધ્યક્ષતામાં શાસ્ત્રી એમ.કે.આર. વશી હાઇસ્કૂલનો શતાબ્દી મહોત્સવ ઉજવાયો હતો.

આ સાથે જ સી.આર.પાટીલના હસ્તે શાળાના નવા પુસ્તકાલયનું પણ ઉદ્દઘાટન કરવામાં આવ્યું હતું. શાસ્ત્રી એમ.કે.આર. વશી હાઇસ્કૂલના શતાબ્દી મહોત્સવમાં નવસારી જિલ્લા પંચાયત પ્રમુખ પરેશ દેસાઈમોટીવેશનલ સ્પીકર જય વસાવડાશાળા પરિવારવિદ્યાર્થીઓ સહિત બહોળી સંખ્યામાં વાલીઓ ઉપસ્થિત રહ્યા હતા.

Read the Next Article

રાજકોટમાં કોરોનાથી પ્રથમ મોત, ગુજરાતમાં એક સપ્તાહમાં કોરોનાના કેસ ત્રણ ગણા થયા

ગુજરાતમાં કોરોના કેસમાં દિવસે દિવસે વધારો થતો જઇ રહ્યો છે. ગુજરાતમાં અમદાવાદ પછી રાજરોટમાં પણ કોરોના કેસમાં વધારો થતો જઇ રહ્યો છે.

New Update
rajkot

ગુજરાતમાં કોરોના કેસમાં દિવસે દિવસે વધારો થતો જઇ રહ્યો છે. ગુજરાતમાં અમદાવાદ પછી રાજરોટમાં પણ કોરોના કેસમાં વધારો થતો જઇ રહ્યો છે.

એટલુ જ નહીં રાજકોટમાં કોરોનાના કારણે એક દર્દીનું મોત થયાનું પણ સામે આવ્યુ છે. રાજકોટમાં કોરોનાના કારણે આ પ્રથમ મોત થયુ છે.

ગુજરાતમાં કોરોના કેસમાં દિવસે દિવસે વધારો થતો જઇ રહ્યો છે. ગુજરાતમાં અમદાવાદ પછી રાજરોટમાં પણ કોરોના કેસમાં વધારો થતો જઇ રહ્યો છે.

એટલુ જ નહીં રાજકોટમાં કોરોનાના કારણે એક દર્દીનું મોત થયાનું પણ સામે આવ્યુ છે. રાજકોટમાં કોરોનાના કારણે આ પ્રથમ મોત થયુ છે.

રાજકોટમાં કોરોનાનો કહેર ધીમે ધીમે વધતો જઈ રહ્યો છે. શહેરમાં આજે કોરોના વાયરસના કારણે પ્રથમ મોત થયાનું સામે આવ્યુ છે. 55 વર્ષીય આધેડે શહેરની સિવિલ હોસ્પિટલમાં સારવાર દરમિયાન અંતિમ શ્વાસ લીધા હતા.

મળતી માહિતી અનુસાર, તેમને છેલ્લા ચાર દિવસથી કોરોનાના લક્ષણો હતા અને ગઇકાલે ગંભીર હાલતમાં હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા.

રાજ્યસ્તરે જોવામાં આવે તો ગુજરાતમાં કોરોનાના કેસોનો કુલ આંકડો 1109 સુધી પહોંચી ગયો છે. માત્ર એક જ દિવસે 235 નવા કેસ નોંધાતા તંત્રની ચિંતામાં વધારો થયો છે.

ચિંતાજનક બાબત એ છે કે છેલ્લા એક સપ્તાહમાં ગુજરાતમાં કેસ ત્રણગણા થયા છે. એક્ટિવ કેસનો આંક હવે એક હજારને પાર પહોંચી ગયો છે.