નવસારી : કેન્દ્રિય જળશક્તિ મંત્રી સી.આર.પાટીલની અધ્યક્ષતામાં શાસ્ત્રી એમ.કે.આર. વશી હાઇસ્કૂલ-મરોલીનો શતાબ્દી મહોત્સવ ઉજવાયો...

શાસ્ત્રી એમ.કે.આર.વશી હાઇસ્કૂલની સ્થાપના વર્ષ 1925માં કરવામાં આવી હતી, ત્યારે આ શાળાને 100 વર્ષ પૂર્ણ થતાં શતાબ્દી મહોત્સવની ઉજવણીનું આયોજન કરવામાં આવ્યું

New Update
  • મરોલીની શાસ્ત્રી એમ.કે.આર. વશી હાઇસ્કૂલ ખાતે આયોજન

  • શાળાના શતાબ્દી મહોત્સવની કરવામાં આવી ભવ્ય ઉજવણી

  • કેન્દ્રિય જળશક્તિ મંત્રી સી.આર.પાટીલ રહ્યા વિશેષ ઉપસ્થિત

  • સી.આર.પાટીલના હસ્તે શાળાના પુસ્તકાલયનું ઉદ્દઘાટન કરાયું

  • મોટીવેશનલ સ્પીકર જય વસાવડાએ અસરદાર વક્તવ્ય આપ્યું

નવસારી જિલ્લાના મરોલી સ્થિત શાસ્ત્રી એમ.કે.આર. વશી હાઇસ્કૂલના શતાબ્દી મહોત્સવની કેન્દ્રિય જળશક્તિ મંત્રી સી.આર.પાટીલની અધ્યક્ષતામાં ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી.

નવસારી જિલ્લાના મરોલી શહેરમાં આવેલ શાસ્ત્રી એમ.કે.આર.વશી હાઇસ્કૂલની સ્થાપના વર્ષ 1925માં કરવામાં આવી હતીત્યારે આ શાળાને 100 વર્ષ પૂર્ણ થતાં શતાબ્દી મહોત્સવની ઉજવણીનું આયોજન કરવામાં આવ્યું હતું. કેન્દ્રિય જળશક્તિ મંત્રી અને નવસારીના સાંસદ સી.આર.પાટીલની અધ્યક્ષતામાં શાસ્ત્રી એમ.કે.આર. વશી હાઇસ્કૂલનો શતાબ્દી મહોત્સવ ઉજવાયો હતો.

આ સાથે જ સી.આર.પાટીલના હસ્તે શાળાના નવા પુસ્તકાલયનું પણ ઉદ્દઘાટન કરવામાં આવ્યું હતું. શાસ્ત્રી એમ.કે.આર. વશી હાઇસ્કૂલના શતાબ્દી મહોત્સવમાં નવસારી જિલ્લા પંચાયત પ્રમુખ પરેશ દેસાઈમોટીવેશનલ સ્પીકર જય વસાવડાશાળા પરિવારવિદ્યાર્થીઓ સહિત બહોળી સંખ્યામાં વાલીઓ ઉપસ્થિત રહ્યા હતા.

Read the Next Article

“વિશ્વ વસ્તી દિન” : ભરૂચના આમોદમાં આરોગ્ય કર્મચારીઓએ રેલી યોજી લોકોમાં જાગૃતિ લાવવાનો પ્રયાસ કર્યો...

ભરૂચ જિલ્લાના આમોદ ખાતે આરોગ્ય કર્મચારીઓ દ્વારા વિશ્વ વસ્તી દિવસ નિમિત્તે વિશાળ રેલી યોજી લોકોમાં જાગૃતિ લાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો.

New Update

આજરોજ ઠેર ઠેર વિશ્વ વસ્તી દિવસની ઉજવણી કરાય

ભરૂચ જિલ્લા પંચાયત આરોગ્ય શાખા દ્વારા આયોજન

આમોદ તાલુકા આરોગ્ય કચેરી દ્વારા કાર્યક્રમ યોજાયો

આરોગ્ય કર્મચારીઓ દ્વારા સૂત્રોચાર સાથે રેલી યોજાય

સૂત્રો પોકારી લોકોમાં જાગૃતિ લાવવાનો પ્રયાસ કર્યો

ભરૂચ જિલ્લાના આમોદ ખાતે આરોગ્ય કર્મચારીઓ દ્વારા વિશ્વ વસ્તી દિવસ નિમિત્તે વિશાળ રેલી યોજી લોકોમાં જાગૃતિ લાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો.

ભરૂચ જિલ્લા પંચાયત આરોગ્ય શાખા-ભરૂચના માર્ગદર્શન હેઠળ આમોદ તાલુકા આરોગ્ય કચેરી દ્વારા વિશ્વ વસ્તી દિવસની ઉજવણી કરવામાં આવી હતી. જેમાં આમોદ તાલુકા આરોગ્ય કચેરીથી મામલતદાર કચેરી સુધી આરોગ્ય કર્મચારીઓએ હાથમાં વિવિધ પ્લેકાર્ડ લખેલા સૂત્રોચાર સાથે વિશાળ રેલી યોજી હતી. જેમાં આમોદ તાલુકાના સમનીઆછોદ તેમજ માતર પ્રાથમિક આરોગ્ય કેન્દ્રના તમામ આરોગ્ય કર્મચારીઓ હાજર રહ્યા હતા. આ સાથે જ આમોદ તાલુકા આરોગ્ય અધિકારી ડો. કંચનકુમાર સિંગ પણ રેલીમાં જોડાયા હતા. રેલી દરમિયાન આરોગ્ય કર્મચારીઓએ હાથમાં વિવિધ સૂત્રો લખેલા પ્લેકાર્ડ બતાવી લોકોને જાગૃત કર્યા  હતા. તેમજ'નાનું કુટુંબસુખી કુટુંબ', 'માઁ બનવાની એ જ ઉંમરજ્યારે શરીર અને મન હોય તૈયારજેવા સૂત્રો પોકારી લોકોમાં જાગૃતિ લાવવાનો પ્રયાસ કર્યો હતો. વિશ્વ વસ્તી દિવસ નિમિત્તે આમોદ તાલુકા આરોગ્ય અધિકારી કંચનકુમાર સિંગ દ્વારા વસ્તી નિયંત્રણ કરવા લોકોને અપીલ કરવામાં આવી હતી.