નવસારી : કેન્દ્રિય જળશક્તિ મંત્રી સી.આર.પાટીલની અધ્યક્ષતામાં શાસ્ત્રી એમ.કે.આર. વશી હાઇસ્કૂલ-મરોલીનો શતાબ્દી મહોત્સવ ઉજવાયો...

શાસ્ત્રી એમ.કે.આર.વશી હાઇસ્કૂલની સ્થાપના વર્ષ 1925માં કરવામાં આવી હતી, ત્યારે આ શાળાને 100 વર્ષ પૂર્ણ થતાં શતાબ્દી મહોત્સવની ઉજવણીનું આયોજન કરવામાં આવ્યું

New Update
  • મરોલીની શાસ્ત્રી એમ.કે.આર. વશી હાઇસ્કૂલ ખાતે આયોજન

  • શાળાના શતાબ્દી મહોત્સવની કરવામાં આવી ભવ્ય ઉજવણી

  • કેન્દ્રિય જળશક્તિ મંત્રી સી.આર.પાટીલ રહ્યા વિશેષ ઉપસ્થિત

  • સી.આર.પાટીલના હસ્તે શાળાના પુસ્તકાલયનું ઉદ્દઘાટન કરાયું

  • મોટીવેશનલ સ્પીકર જય વસાવડાએ અસરદાર વક્તવ્ય આપ્યું 

Advertisment

નવસારી જિલ્લાના મરોલી સ્થિત શાસ્ત્રી એમ.કે.આર. વશી હાઇસ્કૂલના શતાબ્દી મહોત્સવની કેન્દ્રિય જળશક્તિ મંત્રી સી.આર.પાટીલની અધ્યક્ષતામાં ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી.

નવસારી જિલ્લાના મરોલી શહેરમાં આવેલ શાસ્ત્રી એમ.કે.આર.વશી હાઇસ્કૂલની સ્થાપના વર્ષ 1925માં કરવામાં આવી હતીત્યારે આ શાળાને 100 વર્ષ પૂર્ણ થતાં શતાબ્દી મહોત્સવની ઉજવણીનું આયોજન કરવામાં આવ્યું હતું. કેન્દ્રિય જળશક્તિ મંત્રી અને નવસારીના સાંસદ સી.આર.પાટીલની અધ્યક્ષતામાં શાસ્ત્રી એમ.કે.આર. વશી હાઇસ્કૂલનો શતાબ્દી મહોત્સવ ઉજવાયો હતો.

આ સાથે જ સી.આર.પાટીલના હસ્તે શાળાના નવા પુસ્તકાલયનું પણ ઉદ્દઘાટન કરવામાં આવ્યું હતું. શાસ્ત્રી એમ.કે.આર. વશી હાઇસ્કૂલના શતાબ્દી મહોત્સવમાં નવસારી જિલ્લા પંચાયત પ્રમુખ પરેશ દેસાઈમોટીવેશનલ સ્પીકર જય વસાવડાશાળા પરિવારવિદ્યાર્થીઓ સહિત બહોળી સંખ્યામાં વાલીઓ ઉપસ્થિત રહ્યા હતા.

Advertisment
Read the Next Article

અરબી સમુદ્રમાં ચક્રવાતની શકયતાના પગલે,ગીર સોમનાથમાં તમામ બોટો પરત બોલાવાઇ

ગુજરાતમાં ચક્રવાતના સંકટ વચ્ચે ગીર સોમનાથમાં તમામ ફિશિંગ બોટો પરત બોલાવાઇ છે. અરબી સમુદ્રમાં ચક્રવાતની શકયતાના પગલે વેરાવળ ફિશરીઝ વિભાગે આ નિર્ણય લીધો

New Update
 cyclone in Arabian Sea

રાજ્યભરમાં ભર ઉનાળે ભારે પવન સાથે જોરદાર વરસાદ ખાબક્યો હતો ત્યાર બાદ હવે ગુજરાતમાં ચક્રવાતના સંકટની હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે આગાહી કરી હતી. આ દરમિયાન રાજ્યના દરિયા કાંઠાના વિસ્તારો એલર્ટ કરી દેવાયા છે. અરબી સમુદ્રમાં ચક્રવાતની શકયતાના પગલે ગીર સોમનાથમાં તમામ બોટો પરત બોલાવી લેવામાં આવી છે. વેરાવળ ફિશરીઝ વિભાગ દ્વારા બોટોને પરત બોલાવવા કવાયત શરૂ કરવામાં આવી છે.

Advertisment

ગુજરાતમાં ચક્રવાતના સંકટ વચ્ચે ગીર સોમનાથમાં તમામ ફિશિંગ બોટો પરત બોલાવાઇ છે. અરબી સમુદ્રમાં ચક્રવાતની શકયતાના પગલે આ નિર્ણય લેવાયો છે. વેરાવળ ફિશરીઝ વિભાગ દ્વારા બોટોને પરત બોલાવવા કવાયત હાથ ધરી છે. જિલ્લામાં 7500 પૈકી 504 જેટલી ફિશિંગ બોટો હજુ દરિયામાં છે.

Advertisment