નવસારી : ચીખલી પો.સ્ટેશનમાં બે શકમંદ આરોપીઓએ વાયરથી ગળેફાંસો ખાઇ કર્યો આપઘાત

નવસારીના ચીખલી પોલીસ સ્ટેશનની કામગીરી શંકાના ઘેરામાં આવી ચુકી છે અને પોલીસ સામે આદિવાસી સમાજમાં ઉકળતો ચરૂ જોવા મળી રહયો છે.

New Update
નવસારી : ચીખલી પો.સ્ટેશનમાં બે શકમંદ આરોપીઓએ વાયરથી ગળેફાંસો ખાઇ કર્યો આપઘાત

નવસારીના ચીખલી પોલીસ સ્ટેશનની કામગીરી શંકાના ઘેરામાં આવી ચુકી છે અને પોલીસ સામે આદિવાસી સમાજમાં ઉકળતો ચરૂ જોવા મળી રહયો છે. તેનું કારણ છે પોલીસ સ્ટેશનમાં બે આદિવાસી યુવાનોના મોત....

નવસારી જિલ્લાના ચીખલી પોલીસ સ્ટેશને બુધવારે વહેલી સવારથી જ ભારે ચહલપહલ જોવા મળી રહી છે. કારણકે ચોરીના બે શકમંદોએ કોમ્યુટર રૂમમાં વાયરનો પંખા સાથે ફંદો બનાવી સાગમટે આત્મહત્યા કરી લીધી છે. ત્રણ દિવસ પહેલા ડાંગ જિલ્લાના વઘઇ તાલુકામાં રહેતા રવિ જાદવ અને સુનિલ પવાર ને ચીખલી પોલીસ મિલકત અંગે ચોરીના કેસમાં પુછપરછ માટે લાવી હતી. ત્રણ દિવસથી ચીખલી પોલીસ સ્ટેશનમાં રહેલાં બંને યુવાનોના મોત થતાં પોલીસ પણ દોડતી થઇ ગઇ છે.

બુધવારે વહેલી સવારે ઘટનાની જાણ PSOને જાણ થઈ હતી. તેમણે બનાવ અંગે ઉપરી અધિકારીઓને માહિતી આપી હતી. મીડિયા ને અંદર જવા માટે પ્રતિબંધ ફરવામી દેવામાં આવ્યો હતો ત્યારથી જ ચીખલી પોલીસની કામગીરી શંકા જન્માવે એવી બની છે. જોકે પોલીસે JFMC કોર્ટેની પેનલ દ્વારા તપાસ કરાવીને સત્ય બહાર લાવવાનો પ્રયાસ કર્યો છે પરંતુ શકમંદોને આટલા દિવસો સુધી ગેરકાયદે રાખી શકાય ખરા એ પ્રશ્ન પણ ઉભા થઇ રહ્યા છે. આવો સાંભળીએ એસપી શું કહી રહયાં છે.

ચીખલી પોલીસ સ્ટેશનના કોમ્યુટર રૂમમાં સીસીટીવી કેમેરા લાગ્યા નથી જે પણ શંકા ઉપજાવે છે. જ્યારે અન્ય રૂમોમાં કેમેરા લાગેલાં છે. બંને યુવાનોએ જે રૂમમાં સીસીટીવી ન હતાં તે રૂમમાં જ કરેલો આપઘાત પોલીસની કામગીરીને શંકાને દાયરામાં લાવી રહયો છે. પોલીસ સ્ટેશનના અન્ય સીસીટીવી કેમેરાના ફુટેજ તપાસવમાં આવે તો સમગ્ર ઘટના પરથી પદડો ઉંચકાઇ શકે છે. હાલ તો પોલીસ અકસ્માત મોતનો જ બનાવ માની રહી છે. પોલીસની શંકાસ્પદ કામગીરી સામે આદિવાસી સમાજમાં ઉકળતો ચરૂ છે.

Read the Next Article

અંકલેશ્વર: મહોરમનું પર્વ શાંતિપૂર્ણ માહોલમાં સંપન્ન થતા તાજીયા કમિટી દ્વારા તંત્રનો આભાર વ્યક્ત કરાયો

અંકલેશ્વર શહેર-તાલુકા તાજીયા કમિટી દ્વારા વહીવટી તંત્ર, પોલીસ પ્રશાસન, ગુજરાત વિદ્યુત બોર્ડ અને અંકલેશ્વર નગરપાલિકાનો આભાર વ્યક્ત કરી સન્માન કરવામાં આવ્યું

New Update
Tajiya Commitee
અંકલેશ્વર શહેર-તાલુકા તાજીયા કમિટી દ્વારા વહીવટી તંત્ર, પોલીસ પ્રશાસન, ગુજરાત વિદ્યુત બોર્ડ અને અંકલેશ્વર નગરપાલિકાનો આભાર વ્યક્ત કરી સન્માન કરવામાં આવ્યું હતું. અંકલેશ્વરમાં મોહરમનું પર્વ શાંતિપૂર્ણ અને કોમી એખલાસભર્યા વાતાવરણમાં સંપન્ન થયું છે જે બદલ અંકલેશ્વર શહેર તાલુકા તાજીયા કમિટી દ્વારા પ્રાંત અધિકારી, મામલતદાર  કરણસિંહ રાજપૂત, નાયબ પોલીસ અધિક્ષક,ડો.કુશલ ઓઝા,પોલીસ ઇન્સ્પેકટર  પી જી ચાવડા, પાલિકા પ્રમુખ લલીતાબેન રાજપુરોહિત, શિક્ષણ સમિતિ ચેરમેન ગણેશ અગ્રવાલ, ભાજપ શહેર પ્રમુખ ધર્મેન્દ્ર પુષ્કર્ણા સહિતના આગેવાનોનો આભાર વ્યક્ત કરી તેઓનું સન્માન કરવામાં આવ્યું હતું.

Tajiya Commitee Ankleshwar

આ પ્રસંગે કમિટીના પ્રમુખ બખ્તિયાર પટેલ, સેક્રેટરી વસીમ ફડવાલા, ઉપપ્રમુખ અમન પઠાણ, નૂર કુરેશી, લીગલ એડવાઈઝર હારુન મલેક સહિતના આગેવાનો અને સભ્યો ઉપસ્થિત રહ્યા હતા.