નવસારી : અમલસાડમાં પૌરાણિક શ્રી અંધેશ્વર મહાદેવ મંદિરમાં નવા પ્રકલ્પોનું લોકાર્પણ કરતા કેન્દ્રીય મંત્રી સી.આર.પાટીલ.

અમલસાડમાં આવેલા પૌરાણિક અંધેશ્વર મહાદેવ મંદિરમાં નવનિર્મિત શૃંગારિક પ્રકલ્પોનું લોકાર્પણ કરવામાં આવ્યું છે. સાંસદ અને કેન્દ્રીય જળશક્તિ મંત્રી સી.આર. પાટીલના હસ્તે આ પ્રકલ્પોનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું

New Update
  1. શ્રી અંધેશ્વર મહાદેવ મંદિરમાં શૃંગારિક પ્રકલ્પોનું લોકાર્પણ

  2. કેન્દ્રીય જળ મંત્રીના હસ્તે કરાયું લોકાર્પણ

  3. રૂ.17 કરોડના ખર્ચે સુવિધા સંપન્ન સંકુલનું થયું નિર્માણ

  4. દ્વાદશ જ્યોતિર્લિંગ સાથે દેવી-દેવતાની મૂર્તિની કરાઈ સ્થાપના

  5. પાણીની બચત કરવા માટે મંત્રીએ કર્યું આહવાન

નવસારી જિલ્લાના ગણદેવી તાલુકાના અમલસાડમાં આવેલા પૌરાણિક અંધેશ્વર મહાદેવ મંદિરમાં નવનિર્મિત શૃંગારિક પ્રકલ્પોનું લોકાર્પણ કરવામાં આવ્યું છે. સાંસદ અને કેન્દ્રીય જળશક્તિ મંત્રી સી.આર. પાટીલના હસ્તે આ પ્રકલ્પોનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું.

નવસારી જિલ્લાના ગણદેવી તાલુકાના અમલસાડ ખાતે શ્રી અંધેશ્વર મહાદેવ  પ્રાચીન મંદિરની ભવ્યતા અને દિવ્યતાનો અનુભવ કરાવે છે. શ્રી અંધેશ્વર મહાદેવ મંદિરની લોકપ્રિયતા તથા શ્રદ્ધાળુઓ અને મુલાકાતીઓની વધતી જતી અપેક્ષાઓને ધ્યાનમાં લઈને રૂપિયા 17 કરોડ કરતા વધુ ખર્ચે મંદિરમાં અનેક સુવિધા સંપન્ન સંકુલનું નિર્માણ થયું છે.

આ વિકાસ કાર્યોના ભાગરૂપે દ્વાદશ જ્યોતિર્લિંગ સાથે દેવી-દેવતાની મૂર્તિની સ્થાપના કરવામાં આવી છેરામ કુટીરનવગ્રહઅન્ન કુટીર તેમજ  અન્ય નયનરમ્ય ફુવારા અને બાગબગીચાનું નિર્માણ કરી વિકાસ કાર્યો કરવામાં આવ્યા છે.

શ્રી અંધેશ્વર મહાદેવ મંદિરનાં રજત જયંતિ સમારોહ નિમિતે નવનિર્મિત વિવિધ પ્રકલ્પોનું  લોકાર્પણ કરવામાં આવ્યું છે.નવસારી સાંસદ અને કેન્દ્રીય જળ શક્તિ મંત્રી સી આર પાટીલ ના વરદ હસ્તે લોકાર્પણ કરવામાં આવ્યું છે. આ પ્રસંગે જળશક્તિ મંત્રી સી આર પાટીલે  ચોમાસામાં વહી જતા પાણીના સંગ્રહ કરવાનું માર્ગદર્શન આપ્યું હતું.

આજે પાણીની બચત કરીશું તો ભવિષ્યની પેઢી માટે પાણીની બચત થશે અને પીવા તથા પિયત માટે પાણીની અછત દૂર કરવા સાથેજળ સંરક્ષણ– જન ભાગીદારી” અભિયાનમાં જોડાવા અપીલ કરી હતી.

આ પ્રસંગે ગણદેવી ધારાસભ્ય નરેશ પટેલનવસારી ધારાસભ્ય રાકેશ દેસાઈજિલ્લા પંચાયત પ્રમુખ પરેશ દેસાઈએસ એફ સી મુંબઈનાં સંદીપ  આસોલકરશ્રી અંધેશ્વર મહાદેવ મંદિર ટ્રસ્ટી સાથે દાતાઓ અને પદાધિકારીઓ અને ભાવિકો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.

Read the Next Article

ભરૂચ : આમોદના આછોદ રોડ પર કેમિકલ ભરેલ ટેન્કર પલટી, અકસ્માતથી જાનહાનિ ટળી

આમોદ તાલુકાના આછોદ રોડ પર આવેલા પેટ્રોલ પંપ નજીક દહેજ કંપનીમાંથી વડોદરા જતા કેમિકલ ભરેલ ટેન્કર રોડની સાઈડમાં પલટી માર્યું હતું. ટેન્કર (નંબર GJ-12-AY-3678)નો ડ્રાઈવર સ્ટિયરિંગ

New Update
gujarat

આમોદ તાલુકાના આછોદ રોડ પર આવેલા પેટ્રોલ પંપ નજીક દહેજ કંપનીમાંથી વડોદરા જતા કેમિકલ ભરેલ ટેન્કર રોડની સાઈડમાં પલટી માર્યું હતું. ટેન્કર (નંબર GJ-12-AY-3678)નો ડ્રાઈવર સ્ટિયરિંગ પરથી કાબૂ ગુમાવતા ટેન્કર પલટી ગયુ હતું. સદનસીબે આ ઘટનામાં કોઈ જાનહાનિ થઈ નથી.

પ્રાપ્ત માહિતી મુજબ ટેન્કરમાં ભરાયેલ કેમિકલના વાસથી રોડ પરથી પસાર થતા વાહનચાલકોની આંખોમાં અને ગળામાં ચળચળાટ થતો હોવાનું જણાવાયું છે. સ્થાનિકોનો આક્ષેપ છે કે ટેન્કર જે ખાડામાં પલટી માર્યું છે તેમાં ભરાયેલા પાણીમાંથી સ્થાનિક ઢોર પણ પીવે છે, જેના કારણે પશુઓના જીવને જોખમ ઉભું થયું છે.આ કેમિકલથી સ્વાસ્થ્યને નુકસાન ન થાય તે માટે તેમજ પરિસ્થિતિ વધુ ગંભીર ન બને તે માટે સ્થાનિક લોકો દ્વારા તાત્કાલિક ટેન્કર ઊભું કરવા અને અસરગ્રસ્ત વિસ્તારમાં સફાઈ કરવા માંગણી કરવામાં આવી છે.