નવસારી : અમલસાડમાં પૌરાણિક શ્રી અંધેશ્વર મહાદેવ મંદિરમાં નવા પ્રકલ્પોનું લોકાર્પણ કરતા કેન્દ્રીય મંત્રી સી.આર.પાટીલ.

અમલસાડમાં આવેલા પૌરાણિક અંધેશ્વર મહાદેવ મંદિરમાં નવનિર્મિત શૃંગારિક પ્રકલ્પોનું લોકાર્પણ કરવામાં આવ્યું છે. સાંસદ અને કેન્દ્રીય જળશક્તિ મંત્રી સી.આર. પાટીલના હસ્તે આ પ્રકલ્પોનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું

New Update
  1. શ્રી અંધેશ્વર મહાદેવ મંદિરમાં શૃંગારિક પ્રકલ્પોનું લોકાર્પણ

  2. કેન્દ્રીય જળ મંત્રીના હસ્તે કરાયું લોકાર્પણ

  3. રૂ.17 કરોડના ખર્ચે સુવિધા સંપન્ન સંકુલનું થયું નિર્માણ

  4. દ્વાદશ જ્યોતિર્લિંગ સાથે દેવી-દેવતાની મૂર્તિની કરાઈ સ્થાપના

  5. પાણીની બચત કરવા માટે મંત્રીએ કર્યું આહવાન

નવસારી જિલ્લાના ગણદેવી તાલુકાના અમલસાડમાં આવેલા પૌરાણિક અંધેશ્વર મહાદેવ મંદિરમાં નવનિર્મિત શૃંગારિક પ્રકલ્પોનું લોકાર્પણ કરવામાં આવ્યું છે. સાંસદ અને કેન્દ્રીય જળશક્તિ મંત્રી સી.આર. પાટીલના હસ્તે આ પ્રકલ્પોનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું.

નવસારી જિલ્લાના ગણદેવી તાલુકાના અમલસાડ ખાતે શ્રી અંધેશ્વર મહાદેવ  પ્રાચીન મંદિરની ભવ્યતા અને દિવ્યતાનો અનુભવ કરાવે છે. શ્રી અંધેશ્વર મહાદેવ મંદિરની લોકપ્રિયતા તથા શ્રદ્ધાળુઓ અને મુલાકાતીઓની વધતી જતી અપેક્ષાઓને ધ્યાનમાં લઈને રૂપિયા 17 કરોડ કરતા વધુ ખર્ચે મંદિરમાં અનેક સુવિધા સંપન્ન સંકુલનું નિર્માણ થયું છે.

આ વિકાસ કાર્યોના ભાગરૂપે દ્વાદશ જ્યોતિર્લિંગ સાથે દેવી-દેવતાની મૂર્તિની સ્થાપના કરવામાં આવી છેરામ કુટીરનવગ્રહઅન્ન કુટીર તેમજ  અન્ય નયનરમ્ય ફુવારા અને બાગબગીચાનું નિર્માણ કરી વિકાસ કાર્યો કરવામાં આવ્યા છે.

શ્રી અંધેશ્વર મહાદેવ મંદિરનાં રજત જયંતિ સમારોહ નિમિતે નવનિર્મિત વિવિધ પ્રકલ્પોનું  લોકાર્પણ કરવામાં આવ્યું છે.નવસારી સાંસદ અને કેન્દ્રીય જળ શક્તિ મંત્રી સી આર પાટીલ ના વરદ હસ્તે લોકાર્પણ કરવામાં આવ્યું છે. આ પ્રસંગે જળશક્તિ મંત્રી સી આર પાટીલે  ચોમાસામાં વહી જતા પાણીના સંગ્રહ કરવાનું માર્ગદર્શન આપ્યું હતું.

આજે પાણીની બચત કરીશું તો ભવિષ્યની પેઢી માટે પાણીની બચત થશે અને પીવા તથા પિયત માટે પાણીની અછત દૂર કરવા સાથેજળ સંરક્ષણ– જન ભાગીદારી” અભિયાનમાં જોડાવા અપીલ કરી હતી.

આ પ્રસંગે ગણદેવી ધારાસભ્ય નરેશ પટેલનવસારી ધારાસભ્ય રાકેશ દેસાઈજિલ્લા પંચાયત પ્રમુખ પરેશ દેસાઈએસ એફ સી મુંબઈનાં સંદીપ  આસોલકરશ્રી અંધેશ્વર મહાદેવ મંદિર ટ્રસ્ટી સાથે દાતાઓ અને પદાધિકારીઓ અને ભાવિકો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.

Read the Next Article

અંકલેશ્વર: ક્રાઇમ બ્રાન્ચે ભડકોદ્રા ગામેથી ચોરી થયેલ બાઈક સાથે રીઢા બાઈકચોરની કરી ધરપકડ

ભરૂચ ક્રાઇમ બ્રાન્ચના કર્મચારીઓને માહિતી મળી હતી કે અગાઉ વાહન ચોરીના ગુનાઓમાં પકડાયેલ સુનીલ નાયકા હાલ સ્પ્લેન્ડર મો.સા.નંબર GJ-16-BE-5905 લઇને અંકલેશ્વર

New Update
css
ભરૂચ ક્રાઇમ બ્રાન્ચના કર્મચારીઓને માહિતી મળી હતી કે અગાઉ વાહન ચોરીના ગુનાઓમાં પકડાયેલ સુનીલ નાયકા હાલ સ્પ્લેન્ડર મો.સા.નંબર GJ-16-BE-5905 લઇને અંકલેશ્વર GIDC માં એશિયન પેઇન્ટ ચોકડી આસપાસ ફરે છે જેના આધારે પોલીસે વોચ ગોઠવતા આરોપીને ઝડપી પાડી તેની અટકાયત કરતા તેણે આ બાઈક ભડકોદરા નવી વસાહતમાંથી ચોરી કરી હોવાની કબૂલાત કરી હતી. પોલીસે આરોપી પાસેથી બાઈક કબ્જે કરી તેની વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.