નવસારી : ચૂંટણી પહેલા વાંસદાના ધારાસભ્ય ઉપર થયો હુમલો, હુમલાખોરોને ઝડપી લેવા પોલીસની કવાયત

સરપંચની ચૂંટણીથી લઈને સાંસદની ચૂંટણી રાજકીય કાવાદાવાઓ વચ્ચે ખેલાતો જંગ બની રહે છે.

New Update
નવસારી : ચૂંટણી પહેલા વાંસદાના ધારાસભ્ય ઉપર થયો હુમલો, હુમલાખોરોને ઝડપી લેવા પોલીસની કવાયત

સરપંચની ચૂંટણીથી લઈને સાંસદની ચૂંટણી રાજકીય કાવાદાવાઓ વચ્ચે ખેલાતો જંગ બની રહે છે. કોઈ હારે તો, કોઈનો વિજય થાય. 2 હરીફ ઉમેદવારો વચ્ચે વૈમનસ્યની દીવાલો ઉભી થતી હોય છે. જે એક દિવસ વેર વારવા આતુર બની જતી હોય છે, ત્યારે ગ્રામ પંચાયતની ચૂંટણી પહેલા નવસારી જિલ્લાના વાંસદાના ધારાસભ્ય પર હુમલો થતા ચકચાર મચી ગઈ હતી.

ગ્રામ પંચાયતની ચૂંટણીને હવે માત્ર ગણતરીના દિવસો બાકી રહ્યા છે, ત્યારે પંચાયતમાં પોતાનો દબદબો મેળવવા માટે તમામ રાજકીય પાર્ટીના લોકો એડીચોટીનું જોર લગાવતો હોય છે, ત્યારે વાંસદાના ધારાસભ્ય અનંત પટેલ પણ ગ્રામ પંચાયતની ચૂંટણી માટે ઉનાઈના ચરવી ગામના પટેલ ફળિયામાં મિટિંગ કર્યા બાદ પરત ફરતી વેળાએ ગામના જ 5 જેટલા ઈસમો દ્વારા ધારાસભ્યની કારને નિશાન બનાવવામાં આવ્યું હતું. જેમાં કારની પાછળનો કાચ તોડી નાખતા મામલો ગંભીર બન્યો હતો. ધારાસભ્ય પર હુમલો થતાની વાત વાયુવેગે પ્રસરી જતાં આદિવાસી સમાજના આગેવાનો મહિલાઓ અને ધારાસભ્ય જાતે વાંસદા પોલીસ મથકે આવી પહોંચી વિરોધ પ્રદર્શન કર્યું હતું. પોલીસ વિરુદ્ધ સૂત્રોચ્ચાર કરી તમામ આરોપીઓને ઝડપી લેવાની માંગ કરી હતી.

જોકે, ધારાસભ્ય અનંત પટેલ દ્વારા આ અંગે કોઈપણ ફરિયાદ આપવામાં આવી નથી, ત્યારે વિરોધ કરી રહેલા ધારાસભ્ય અને સમર્થકોને પોલીસ દ્વારા સમજાવીને ફરિયાદ આપવા અંગે વારંવાર કહેવામાં આવ્યું હતું. બનાવની ગંભીરતાને જોઈ તાલુકામાં કોઈ અનિચ્છનીય ઘટના ન બને તે માટે પોલીસે ચુસ્ત બંદોબસ્ત પણ ગોઠવી દીધો હતો. સાથે જ ઘટનાની જાણ થતા નાયબ પોલીસ અધિક્ષક સહિતનો પોલીસ કાફલો પણ ઘટના સ્થળે દોડી આવી આરોપીઓને પકડવાની તજવીજ હાથ ધરી હતી.

Read the Next Article

ભરૂચ: મનરેગા કૌભાંડમાં BJPના ધરાસભ્યોના ખાતામાં રૂપિયા જમા થયા હોવાના કોંગ્રેસના આક્ષેપ,પોલીસની તપાસ સામે કર્યા સવાલ

ભરૂચના ચકચારી મનરેગા કૌભાંડ અંગે કોંગ્રેસ દ્વારા પ્રેસ કોન્ફરન્સ સંબોધી ભાજપના ધારાસભ્યોના ખાતામાં કૌભાંડના રૂપિયા જમા થયા હોવાના આક્ષેપ કરવામાં આવ્યા છે.

New Update
  • ભરૂચનો ચકચારી મનરેગા કૌભાંડ મામલો

  • કૌભાંડ મામલે રાજકારણ ગરમાયુ

  • કોંગ્રેસે યોજી પ્રેસ કોન્ફરન્સ

  • ભાજપ પર કરાયા પ્રહાર

  • પોલીસની તપાસ સામે સવાલ ઉભા કરાયા

ભરૂચના ચકચારી મનરેગા કૌભાંડ અંગે કોંગ્રેસ દ્વારા પ્રેસ કોન્ફરન્સ સંબોધી ભાજપના ધારાસભ્યોના ખાતામાં કૌભાંડના રૂપિયા જમા થયા હોવાના આક્ષેપ કરવામાં આવ્યા છે. સાથે જ પોલીસની તપાસ સામે પણ સવાલ ઊભા કરવામાં આવ્યા છે.

ભરૂચના ચકચારી મનરેગા કૌભાંડ અંગે રાજકારણ ગરમાય  રહ્યું છે. સાંસદ મનસુખ વસાવાએ એજન્સીઓએ કોને કોને પૈસા આપ્યા છે તે તમામ આગેવાનોનું લિસ્ટ તેમની પાસે હોવાના આપેલા નિવેદન બાદ ધારાસભ્ય ચૈતર વસાવાએ પણ ભાજપના જ નેતાઓને સંડોવણીના આક્ષેપ કર્યા હતા ત્યારે હવે કોંગ્રેસનું પણ આ સમગ્ર મામલે નિવેદન સામે આવ્યું છે. ગુજરાત પ્રદેશ કોંગ્રેસના મહામંત્રી સંદીપ માંગરોળાએ આ અંગે પ્રેસ કોન્ફરન્સ સંબોધી હતી જેમાં તેઓએ જણાવ્યું હતું કે સાંસદ મનસુખ વસાવા એજન્સીઓએ જે નેતાઓને રૂપિયા આપ્યા છે એ નેતાઓના નામનું લિસ્ટ તાત્કાલિક જાહેર કરે તેવી તેઓ દ્વારા માંગ કરવામાં આવી છે.

આ ઉપરાંત ભરૂચના સ્થાનિક ભાજપના ધારાસભ્યોના ખાતામાં કૌભાંડના રૂપિયા જમા થયા હોવાના તેઓ દ્વારા આક્ષેપ કરવામાં આવ્યા છે.બીજી તરફ સમગ્ર કૌભાંડમાં પોલીસ નિષ્પક્ષ તપાસ ન કરી હોવાના આક્ષેપ સાથે સીબીઆઇ તપાસની પણ તેઓ દ્વારા માંગ કરવામાં આવી છે.