નવસારી વાંસદા પોલીસે 4 કલાક રેસ્ક્યુ ઓપરેશન હાથ ધરી 1200 લોકોને બચાવ્યા

નવસારીના વાંસદામાં પડેલ ભારે વરસાદના પગલે આંકડા ધોધ જોવા આવેલ 1200 જેટલા સહેલાણીઓ પાણીમાં ફસાયા હતા જેઓને વાંસદા પોલીસે રેસ્ક્યુ ઓપરેશન હાથ ધરી સુરક્ષિત રીતે બચાવ્યા હતા

New Update

નવસારીના વાંસદામાં પડેલ ભારે વરસાદના પગલે આંકડા ધોધ જોવા આવેલ 1200 જેટલા સહેલાણીઓ પાણીમાં ફસાયા હતા જેઓને વાંસદા પોલીસે રેસ્ક્યુ ઓપરેશન હાથ ધરી સુરક્ષિત રીતે બચાવ્યા હતા

નવસારી જિલ્લામાં પડેલા ભારે વરસાદમાં વાંસદા પોલીસની સરાહનીય કામગીરી જોવા મળી હતી. અંતરિયાળ વાંગણ ગામમાંથી 1200 થી વધુ પ્રવાસીઓને વાંસદા પોલીસે સુરક્ષિત બચાવ્યા હતા. ગામમાં આવેલ પ્રસિદ્ધ આંકડા ધોધ જોવા માટે સહેલાણીઓ મોટી સંખ્યામાં પહોંચ્યા હતા ત્યારે ધોધમાં અચાનક પાણીનો પ્રવાહ વધી જતા 1200 થી વધુ સહેલાણીઓ અટવાયા હતા.ધોધ વિસ્તારમાં ફસાયેલા અંદાજિત 100 જેટલી ફોરવીલર અને 120 જેટલી ટુ-વ્હીલર બાઈક સહિત બે વર્ષના નાના બાળકો અને 75 વર્ષ નાં સિનિયર સિટીઝનનું રેસ્ક્યુ કરવામાં આવ્યું હતું.વાંસદા પોલીસે જીવના જોખમે ચાર કલાક સુધી તમામ લોકોનું રેસ્ક્યુ ઓપરેશન હાથ ધરી સુરક્ષિત સ્થળે ખસેડવામાં આવ્યા હતા

Read the Next Article

અંકલેશ્વર: ONGCમાં નોકરીના બહાને રૂ.1.84 કરોડની છેતરપીંડીમાં ફરિયાદી જ આરોપી નિકળ્યો, પોલીસે કરી ધરપકડ

આરોપીએ વ્યક્તી દીઠ બે થી અઢી લાખ રૂપિયા લઇ ONGC કંપનીમાં હજીરા, મહેસાણા તથા ખંભાત ખાતે નોકરીએ લગાડવાની લાલચ આપી અનેક લોકોને ફસાવ્યા હતા...

New Update
ONGC Fraud
અંકલેશ્વર ONGC માં અલગ અલગ સ્થળે 90 લોકોને નોકરીની લાલચ આપી 1.84 કરોડની ઠગાઈમાં વોન્ટેડ આરોપી ઝડપાતા ફરિયાદી પણ આરોપી હોવાનો થયો ધડાકો અંકલેશ્વરની ONGC કંપનીમાં સિક્યોરિટીમાં રાજ્યમાં અલગ અલગ સ્થળે નોકરીની લાલચે 90થી વધુ લોકો સાથે આચરાયેલા રૂપિયા 1.84 કરોડના કૌભાંડમાં ફરિયાદી પણ આરોપી નીકળ્યો છે. 
અંકલેશ્વરની અમૃતકુંજ સોસાયટીમાં રહેતા ફરિયાદી એવા આરોપી ઘનશ્યામસીધ રાજપુતની અંકલેશ્વર એ ડિવિઝન પોલીસે ધરપકડ કરી લીધી છે. વર્ષ 2022 થી 2024 માં વિરાટ નગર રહેતા ઓગસ્ત હરદેવ પાંડે એ પોતે નેશનલ ઇન્વેસ્ટીગેશન સિક્યુરીટી સર્વીિસ NISS કંપનીના મેનેજર તરીકેની ખોટી ઓળખ આપી હતી. વ્યક્તી દીઠ બે થી અઢી લાખ રૂપિયા લઇ ONGC કંપનીમાં હજીરા, મહેસાણા તથા ખંભાત ખાતે નોકરીએ લગાડવાની લાલચમાં લોકોને ફસાવ્યા હતા.
NISS કંપનીના બોગસ જોઇનીંગ લેટર અને આઇ કાર્ડ બનાવી તેનો સાચા તરીકે ઉપયોગ કરી વિશ્વાસમાં લઇ હાલના આરોપી એવા ફરિયાદીના પરિવારના 10 લોકો સહિત કુલ 50 જેટલા લોકો પાસેથી રૂપિયા 1.04 કરોડ પડાવ્યા હતા.સાથે જ ઠાકોરભાઇ આહીર અને તેની સાથેના 40 અન્ય લોકો પાસેથી દરેકના બે લાખ લેખે આશરે ₹80 લઇ નોકરીએ નહિ લગાવી નાસી છૂટ્યો હતો. જે આરોપી અગસ્ત પાંડે પકડાતા તેને પોલીસ સમક્ષ આ કૌભાંડમાં ફરિયાદી એવો ઘનશ્યામ સિંઘ પણ સામેલ હોવાનો ઘટસ્ફોટ કર્યો હતો. એ ડિવિઝન પોલીસે ફરિયાદીની આરોપી તરીકે ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે.